________________
૩૪૨
શ્રી આનંદઘનજીનાં પદ તેવી જ હું પવિત્ર છું. આવી આપની પરમ પવિત્ર સાવી પતિપ્રાણા સ્ત્રી તરફ આપ કઠેર કેમ થઈ ગયા છે?
અથવા હું મન વચન કાયાએ કરીને આપ સાહેબની છું અને આપની રીત તેવી નથી, મતલબ હું આપના પાલવને પકડતી આવું છું અને આપ મારી દરકાર નહિ કરતાં મારાથી ઉલટી રીત ગ્રહણ કરી મારી સામું પણ લેતા નથી. હે નાથ! આપ આવા કઠણુ હદયના શા માટે થયા છો? આપને આ પ્રમાણે વર્તન ચલાવવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. “એક ૫ખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સંધી” એ વાત આપ જાણો છો. હું આપના તરફ આટલે બધે રાગ બતાવું અને આપ મારા તરફ બેદરકારી રાખે એ કઈ રીતે યોગ્ય ગણાય તેને આપ જરા વિચાર તે કરે. અને વળી આપ મને તુરછકારી કઈ સુજ્ઞ પતિપ્રાણા સ્ત્રીની સેનત કરતા હો તો તે તે વાત કંઈક પણ ઉચિત ગણાય, પણ આપ તે કુલટાઓનાં મંદિરમાં રખડ્યા કરે છે, જે કુલટાઓ તમારી રીતિ કદિ ગ્રહણ કરવાની નથી, જેમણે અત્યાર સુધી કદિ તેવી રીતિ ગ્રહણ કરી પણ નથી, તેવી સ્ત્રીઓની સેબતમાં આપ પડ્યા છે, તેથી આપ મારી હકીકત તરફ જરા ધ્યાન આપો અને જ્યારે હું આપના પર અતુલ્ય પ્રેમ રાખું છું ત્યારે આપ તદ્દન બેશરમ ન થાઓ. આપને ઓળભે આપીને આટલું કહું છું તે ખાતર પણ મને ખેદ થાય છે, પણ તે નાથ ! હવે મારા મનમાં જે વિચાર થાય છે તે આપને જણાવી દેવા ઉચિત ધારીને જ આટલું કહું છું.
અનુભવ હમ રાવરી દાસી ” એ તેરમા પદમાં આ વિચાર ઘણી પુખ્ત રીતે બતાવ્યું છે તે તરફ વાચકનું ધ્યાન ખેંચવામાં આવે છે.
फूल फूल *भवर कीसी भाउंरी भरत हुं, निवहे प्रीत क्युं ऐसे;
में तो +पीयुतें ऐसी मीलि आली, कुसुम वाससंग जैसे. पीया तुम०२ “ ફૂલે ફૂલે ભમરાની જેમ હું પ્રદક્ષિણા દઉં છું, પણ એવી રીતે પ્રીતિ કેમ નભાવવી? હે સખિ ! હું તે પતિ સાથે એવી રીતે મળી છું કે જેવી રીતે કૂલ તેની વાસ સાથે (મળી ગયેલ હોય તેમ).”
ભાવ-વળી તે મારા નાથ ! ગુલાબ, ચંપિ, મગર, માલતી કે એવાં એવાં બીજા * ભવરને બદલે કવચિત “ભમર' શબ્દ છે. કીસીને બદલે કેસી શબ્દ છે. + પીયુને બદલે કવચિત્ “પિયતે” શબ્દ છે.
૨ ભવરભ્રમર, ભમરે. કીસીની પેઠે, ની જેમ. ભાઉરી=પ્રદક્ષિણા, ચક્કર. ભરત હું=ભરું છું, નિવહનિર્વાહ કર, નિભાવવી, કયું=શું. ઐસે એવી રીતે પીયતંત્રપતિ સાથે. મીલિમળી ગઈ. આલી=સખી, વાસસંગ=તેની સુગંધી સાથે જેસે=જેવી રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org