SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રી આનંદઘનજીનાં પદે આવી સુમતિની સંગતિ કરવા, તે દ્વારા નિજ પરિવારને ઓળખવા અને તદુદ્વારા ગુણસ્થાન પર કમે ક્રમે આરોહ કરી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા દઢ ભાવના રાખવી અને તે પણ નિરંતર રાખવી, નહિ તે વિભાવદશાનું જોર એટલું બધું છે કે ગમે તે વખતે તે સુમતિ અને તેના પરિવારને હાંકી મૂકી તમારા ઉપર પોતાનું સામ્રાજ્ય એવું સ્થાપન કરશે કે ઘણા વખત સુધી તમે સુમતિને યાદ પણ નહિ કરી શકે. હવે એ વિભાવદશામાં પડી ગયેલા ચેતનજી કેવા કઠોર થઈ ગયા છે તેને ઉદ્દેશીને આવતા પદમાં શુદ્ધ ચેતના કહે છે તે વિચારવા યોગ્ય છે. તેને આશય પતિને નિજ મંદિરે પધરાવી, નિજ પરિવારને ઓળખાવી નિજસ્વરૂપ પ્રાપ્ત કરાવવા અને પરઘર ભટકવાનું બંધ કરાવી કુલટાઓને સંગ છોડાવવાને છે. લગભગ આ પદમાં બતાવ્યું છે તેને મળતે ભાવ બતાવનારું એક પદ શ્રીમદશેવિજયજીએ રચ્યું છે તે પણ વિચારવા ગ્ય છે. ચેતન મમતા છાંડ પરીરી, છોડ પરરી દર પરીરીક ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આ૫ વરીરી. ચેતન- ૧ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંયમનુપ કુંવરીરી; મમતા મુખ દુધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભારીરી. ચેતન- ૨ મમતાસે લર દિન જાવે, સમતા નહિ કેઉ સાથ લારીરી, મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતા કે કેઉન અરિરી. ચેતન ૩ મમતા કી દુર્મતિ હે આલી, ડાકિની ગત અનર્થ કરીરી; સમતાકી શુભ મતિ હે આલી, પરઉપકાર ગુણે સમરીરી. ચેતન૪ મમતા પુર ભયે કુલપંપન, શેકવિયેગ મહામત્સરીરી; સમતા સુત હવે કેવલ, રહે દિવ્ય નિશાન ધુરીરી. ચેતના ૫ સમતા મગ્ન રહે ચેતન, જે એ ધારે શિખ ખરીરી, સુજસ વિલાસ લહેશે તો તું, ચિદાનંદધન પદવી વરીરી. ચેતન ૬ શ્રીઆનંદઘનજી મહારાજનું પદ વાંચ્યા પછી આ પદના અર્થમાં તુરત જ પ્રવેશ કરી શકાય તેમ છે. ઉપરોક્ત પદમાં સમતા અને મમતાને તફાવત બતાવી ખરે ભાવ ઝળકાવવા પ્રયત્ન કર્યો છે, અને યોગના વિષય પર લખનારાઓ એક જ વિષયમાં કેવી જૂદી જૂદી શૈલી આદરે છે તે પણ આ પદથી જણાઈ આવે છે. બંને મહાત્માઓના સંબંધમાં વિશેષ ઉલ્લેખ ઉપદઘાતમાં જોવામાં આવશે. અત્ર જે ભાવ તેઓએ પ્રગટ કર્યો છે તે વારંવાર વિચારવા ગ્ય છે. સમતા, મમતાના આવિર્ભાવ અને સ્વભાવ તેમજ વિભાવદશાના આવિર્ભાનું દર્શન કરી તેમાંથી કેને આદર કરે અને કોને ત્યાગ કરે તેને-મતલબ હેય ઉપાદેયને-નિશ્ચય કરે. પ્રસ્તુત વિષય ઉપર દઢ નિશ્ચય કરી આત્મજીવનનો છેવટને નિર્ણય કરવાનો આ અવસર ચૂકવા જેવો નથી. * દીકરી. ' દુશમન. + સખી. = થયા, થાય છે. * કુળને કલંક લગાડનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy