SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રવિચારણાનાં કિંમ'દુ શ્ય જણાય છે, સંભળાય છે; પરંતુ કાઇ વાર કફની પહેરીને પશુ નીકળી પડતા એવી વાતા ચાલે છે. આટલા ઉપરથી એમ જણાય છે કે તેઓ ગચ્છની તકરારમાં ઊતર્યાં નહુ હાય પણ દીક્ષિત જરૂર હતા અને સાધુના વેશ ધારણ કરતા. સંપ્રદાયમાહમાં ઊતર્યાં વગર વ્યવહાર અને નિશ્ચયને એકત્રપણે ગોઠવી, વિશુદ્ધ વર્તન કરી, સાધુજીવન ગાળી શકાય છે એવા દાખલા તેઓએ બેસાડ્યો હાય એમ જણાય છે. શ્રી આનંદઘનજી સંબધી કેટલીક વાતે શ્રી આનંદઘનજી સંબંધી કેટલીક વાતે ખડુ સંક્ષેપમાં અત્ર બતાવી દઇએ. તેમાં પણુ જે માનવા લાયક વાતા ન હોય તેને લખીને લેાકપ્રવાહમાં ચાલુ કરવી એ એકદરે મહુ નુકસાન કરનાર છે. વળી કેટલીક વાતા દરેક મોટા માણુસના સંબંધમાં આવે છે. તેથી તેને કબૂલ કરવા પહેલાં ઘણા વિચાર કરવા પડે છે અને સ્વીકારતાં આંચકા આવે છે. રાજાના મેળાપ પ્રસંગે તાવને કપડામાં ઉતારી ખાજુ પર મૂકવાની અને કપડા ધ્રુજતે દેખી એ સંબંધમાં રાજા તરફથી થતી પૃચ્છા સંબંધી વાત શ્રીમાન્ હેમચંદ્રાચાર્યના સંબંધમાં તેમજ હરિભદ્રસૂરિ અને હીરવિજયસૂરિના સંબંધમાં પણ કહેવામાં આવે છે. આવી વાતને કાઈ પણ મહાત્માની સાથે જોડી દેવાના વિચાર સ્વાભાવિક છે તેથી એવી વાત સ્વીકારતાં પહેલાં ચેાગ્ય વિચાર કરવા જોઈએ. કેટલીક વાતા લેાકવિચારની તે વખતની સ્થિતિ બતાવી આપે છે અને કેટલીક વાત વિશિષ્ટ સ્થિતિનું યોગિક રહસ્ય સમજવાની લેાકેાની અશક્તિ બતાવી આપે છે. તેથી પ્રથમ કેટલીક આધારવાળી અને વજુદવાળા માણસા પાસેથી સાંભળેલી હકીકતા સ ંક્ષેપમાં વિચારી જઈએ. પ’. શ્રી ગંભીરવિજયજીએ તપાસ કરીને એકઠી કરેલી અને મને જાતે કહેલી વાતને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. મેડતા શહેર અને આનંદઘનજી લાભાનઢ અથવા લાભાનદી જેમને આપણે આ પ્રસંગમાં શ્રી આનંદઘનજીના નામથી ઓળખશુ તેઓના સંબંધમાં ઘણીખરી વાર્તા મેડતા શહેરને અગે આવે છે. મેડતાના પ્રાચોન ઇતિહાસ વિચારતાં તે એક બહુ મોટું શહેર હાવું જોઇએ એમ જણાય છે. ત્યાં અનેક લડાઇએ થઇ છે. ત્યાંના રાજા જોધપુર રાજ્યથી સ્વતંત્ર રજપૂત હતા એમ મારવાડને પૂર્વ ઇતિહાસ તપાસતાં જણાય છે. એ શહેરનાં અત્યારનાં ખડેરા જોતાં અને જીણું દ્રુની સ્થિતિ વિચારતાં જણાય છે કે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન કાળમાં એ ઘણું મટુ શહેર હશે. આ શહેરમાં એક બહુ મોટી મસ્જીદ્ર છે જેના બુરજ દૂરથી દેખાય છે, તે પરથી જણાય છે કે મુસલમાન પાદશાહના વખતમાં એ શહેર પર ઘણાં હલ્લાએ થયા હશે. જોધપુરના પુરાણા રજપૂત રાજ્યના તાબામાં તે બહુ થાડા વખત પહેલાં આવી પડ્યું હોય એમ જણાય છે. આ શહેર અત્યારે તેા બિસ્માર હાલતમાં છે તે પશુ હાલ ત્યાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનેાનાં ત્રણસો ઉપર ઘર છે અને ત્યાંના શ્રાવ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy