SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી આનૠનજીનાં પદ્મ વાર વૈરાગ્યની વાતા ઉપર ઉપરથી કરવા લાગશે તે કોઇ વાર કામકથા, રાજકથા, દેશકથામાં એકર`ગી થઈ જશે. આવી રીતે ઢંગધડા વગરનું તેનું વન એક મદિરા પીધેલ માણુસની સાથે જ સરખાવી શકાય તેમ છે. વિભાવદશામાં આવી રીતે કામ, કપટ, મદ, મેહ, માનનું પાન કરવાનુ છે. અને હું નાથ ! આ સ્વભાવદશામાં તે માત્ર યથાર્થ સ્વરૂપજ્ઞાનના ધરૂપ અનુભવઅમૃતનું જ પાન કરવાનુ છે. એમાં વસ્તુસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવી તેને તપે ઓળખાવી દેવું અને તે વિચારમાં આ જીવને મગ્ન રાખવા એ અનુભવજ્ઞાન છે. તેમાં જેમ જેમ વિશેષ મગ્નતા થતી જાય છે તેમ તેમ તેની મીઠાશ વધતી જાય છે અને તેના પાનમાં અધિક અધિક આનંદ થતા જાય છે. વિભાવદશામાં અજ્ઞાનતાનુ જોર છે અને સ્વભાવદશામાં અનુભવઅમૃતનુ પાન છે. સમતા કહે છે કે-હે સુમતિ ! વળી તે વભાવદશામાં પાર વગરનું દુઃખ છે. ત્યાં કર્મીના ખંધ એટલા થાય છે કે તેને પરિણામે મહાદુ:ખ સહન કરવાં પડે છે અને તે ભાગવતી વખતે વળી નવીન કર્મ બંધ થાય છે અને એમ તેની ઉત્તરાત્તર શ્રેણી એટલી લાંખી લાંખી ચાલ્યા કરે છે કે તેના ઈંડા આવતા નથી. જ્યાં કામમઢ અને મેહનુ જોર હેાય, જેમાં અજ્ઞાનનું આચ્છાદન થઇ ગયેલ હાય ત્યાં પછી દુઃખનેા છેડા કઇ રીતે આવી શકે એ સમજાય તેવુ' છે. મતલબ વિભાવદશામાં દુઃખની પરપરા ચાલ્યા જ કરે છે અને હું સખિ ! અહિં તેા આનંદરાશિ ભગવાન પોતે વસતાત્સવ ખેલે છે. જેમ વસંત ઋતુમાં વિલાસી લાકા ફાગ હારી ગાય છે, અબીલ ગુલાલ ઉડાવે છે અને ખીજા અનેક પ્રકારના આનંદ કરે છે, તેમ સ્વભાવદશામાં આનંદસમૂહ ભગવાન પાતે જ આનંદમાં ઉતરી પડે છે, એટલે પછી ત્યાં દુઃખનું તે નામ જ રહેતું નથી. આવી રીતે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું છે તે હું ચેતનજી ! તમે વિચારે, નિજ સ્વરૂપે શાંત રસનું અથવા સુમતિનું સ્વરૂપ હે ચેતનજી ! તમે આવી રીતે વિચારે, તમારા પરિવારને જુએ. આ જ ચેગી શ્રીઆનંદઘન મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે આપણે ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથ સંચાળથી, એહ નિજ પરિકર સાર રે, શાંતિન્જિન એક સુજ વિનંતિ. ‘મારા આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવત છે, તે એક અદ્વિતીય સ્વરૂપમયી ચેતનાને આધારે આશ્રય કરી રહ્યો છે, એટલે કે ચેતનાને આધારે આત્મા આધેય છે અને એ ચેતના સિવાયના બીજો સ સાથ જે પુગલ સબ'ધી શરીર પુણ્ય પાપ સુખ દુઃખાદિ સર્વ છે તે સંચેાગજન્ય છે, જ્ઞાનાદિક ગુણુ સમવાય—ભેદાભેદ સબંધે છે અને રાગ, દ્વેષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy