________________
એકત્રીસમુ પદ્મ
૩૩૭
“ ત્યાં ( વિસાવદશામાં) નાના પ્રકારની ઈચ્છા, છળકપટ, આ મદ, અજ્ઞાન અને અભિમાન છે અને અહીં ( સ્વભાવદશામાં ) માત્ર કેવળ આત્મસ્વરૂપના એધરૂપ અમૃતનુ પાન કરવાનુ છે. સખી કહે છે કે હે મહેન સમતા ! ત્યાં પાર વગરનુ દુઃખ છે અને અહીં આનંદરાશિ ભગવાન્ વસતાત્સવ ખેલે છે. ”
ભાવવિભાવદશામાં અને સ્વભાવદશામાં પાન કરવાનુ હોય છે પણ બન્ને પીણામાં તફાવત બહુ છે. એકમાં વિવિધ પ્રકારની ઇચ્છા થાય છે, મને આ વસ્તુ મળેા, તે મળેા એવી કામના વારવાર થયા કરે છે, વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેને માટે એવી દૃઢ ઈચ્છા રહે છે કે જાણે તે વગર ચાલી શકશે નહિ, વસ્તુ પ્રાપ્ત થયા પછી તે પરને રાગ થેઢા વખતમાં ઉતરી જાય છે, તે પોર્ટુગલિક સ વસ્તુઓ માટે અવલેાકન કરી જોનારને જણાય તેમ છે; વળી એ દશામાં અનેક પ્રકારના છળ, કપટ, છેતરપીંડી, દ'ભ કરવા પડે છે, ખાટાં રૂપ અને મુખાકૃતિ ધારણ કરવાં પડે છે અને મનના વિચારા, ભાષાનાં વચના અને કાયાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ વિરાધ અનુભવવા પડે છે; વળી એ દશામાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્યાં, તપ, વિદ્યા, બળ અને ધનના મઢ થાય છે; તેમજ ત્યાં અજ્ઞાનનું એટલું બધું જોર રહે છે કે તેથી વિવેકચક્ષુ કદિ ઉઘડતાં જ નથી અને વળી ત્યાં અભિમાન પશુ વારવાર થયા કરે છે. આવી રીતે વિભાવદશામાં વિષય કષાયની પરિણતિ પ્રખળપણે તે છે અથવા ષરિપુ આ જીવ ઉપર વારંવાર વિજય મેળવી પેાતાનું સામ્રાજ્ય સ્થાપન કરે છે, તેથી તેને વિભાવદશામાં આવી કિલષ્ટ પરિણતિના રસનું પાન થાય છે અને તેના કેફ્ ચડે છે. પછી જેમ ભતૃહરી કહે છે તેમ——
आदित्यस्य गतागतैरद्दरहः संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥ १॥ સૂર્યના ઉદય થાય છે અને અસ્ત થાય છે, તેમ તેની સાથે જીવનના ક્ષય થતે જાય છે, કામધંધાની ધમાલમાં કાળ પસાર થતા જાય છે તે જણાતું નથી અને જન્મ, મરણુ, વૃદ્ધાવસ્થા અને વિપત્તિ જોઇને મનમાં ત્રાસ પણ થતા નથી, ખરેખર મેહરૂપ પ્રમાદમદિરા પીને આ દુનિયા ગાંડી થઈ ગઈ છે. '
આવી રીતે અજ્ઞાનના કેફમાં આ પ્રાણી ગમે તેવું વર્તન કરે છે, ગમે તેવુ ખેલે છે અને ગમે ત્યાં રઝળે છે, એના કાર્યમાં એક તત્ત્વ દેખાશે નિહ, એના વિચારમાં એકસરખાપણું પ્રાપ્ત થશે નહિ, એના વર્તનમાં એક નિયમ દેખાશે નહિ, મદિરા-કેથી મત્ત થયેલે મૂર્ખ જેમ અસ્તવ્યસ્તપણામાં ડોલા ખાય એમ જરાકમાં એને અભિમાનના શિખર પર ચઢેલા જોશો અને જરાકમાં એને તરકટ-છળ-પ્રપંચ કરતા જોશેા, જરાકમાં એ વિષયની ઇચ્છા કરશે અને જરાકમાં પેાતાની નાની વાતની માટી અલઇ મારવા મંડી જશે. વળી કાઈ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org