________________
૩૩૬
શ્રી આનઘનજીનાં પદ્મા
એટલા બધા ભૂલાવામાં નાખી દેશે અને અત્યાર સુધીમાં નાખી દીધેલા પણુ છે કે વિભાવદશા કઇ અને સ્વભાવદશા કઈ તેનું પણ તમને ભાન રહેશે નહિ અને તેથી એવા ભ્રમમાં પડી જશે કે વભાવદશાને જ સ્વભાવદશા માની લેશે. વળી આ એક જ પ્રકારને ભ્રમ નહિ પણ તેને યેાગે તે દશામાં બીજા પણ અનેક પ્રકારના ભ્રમે તમને થશે. જ્યાં સુખ મળવાની સ્વપ્ને પણ આશા નહિ હોય ત્યાં સુખ શેાધશેા, અથવા અમુક કાર્ય માં સુખ હુશે કે નહિ તેના અવ્યવસ્થિત વિચાર કરશેા. અરે ! વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે અને કેમ મળે તેને તમને વિચાર આવતા પણ અટકી જશે અને આવા અનેક ભ્રમમાં તમે અવ્યવસ્થિતપણે ઘસડાયા કરશેા. આ ઉપરાંત વળી વિભાવદશામાં તમને વિષયપિપાસારૂપ વિષવેલડીના સગ થશે. વેલડીના સ્વભાવ છે કે તે નિર ંતર વૃદ્ધિ પામ્યા કરે અને ઊંચી ચઢી તેના આશ્રિતને ચાતરફથી એવી વીંટી લે કે પછી આશ્રય પેાતે ત્યાંથી તેનાથી દૂર ખસી શકે જ નßિ. વિષયે ભાગવવાની ઇચ્છારૂપ આવી વિષવેલડી જે તમને ભ્રમને લીધે અમૃતવેલી લાગતી હશે તે તમને ચાતરથી ઘેરી લઈ કાઈ પણ બાજુ જવા દેશે નહિ અને આખા વખત તમને પેાતાના કબજામાં રાખી મૂકશે.
આવી રીતે વિભાવદશામાં કર્મભ્રમ અને વિષવેલીને સંબંધ છે અને તે પ્રત્યેક તમને અનેક પ્રકારના ત્રાસ ઉપાવનારા છે, તમને રખડાવનારા છે, તમારી સ્વતંત્ર વિચારશક્તિ પર મજબૂત કાબૂ મેળવી તમારી નિણ્યશક્તિ, તુલનાશક્તિ અને ન્યાયમુદ્ધિને ઉથલાવી નાખનારા છે, અને અહીં સ્વભાવદશામાં પરમ નરમ મતિ જે હું-સમતા તેની સાથે એકત્ર રંગ જામે તેમ છે. સમતા મહાઉત્કૃષ્ટ નમ્ર સ્વભાવની છે, એ તે તેના નામ ઉપરથી જ જણાય છે અને વળી તેની સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે તે એવા રંગ જમાવે છે કે એમાં દ્વિધા ભાવ રહેતા જ નથી અને મનમાં જરા પણ ભ્રમ કે શાક થતા નથી. આવી રીતે વિભાવદશામાં અને સ્વભાવદશામાં શું છે તે બતાવી સમતા ચેતનજીને એક વાર વધારે વિજ્ઞપ્તિ કરે છે કે-હે નાથ ! તમે આપણે મંદિરે પધારી આપણા પરિવાર કેવા છે તે જરા અવલેાકન કરી જુએ, આપે માયા મમતા સાથે સબંધ કરી જોયા છે, હવે જરા થાડા વખત એ જડ સબંધ મૂકી તમારી ખાનદાની અને ઉચ્ચ કુલને યાગ્ય મારા સંબંધ કરો અને પછી તેનુ પરિણામ તપાસા,
ચેતનજીને ગળે એ હકીકત ખરાખર ઉતરે તેટલા માટે સમતા હજી પણ એ જ મુદ્દા પર વિશેષપણે તેમનું ધ્યાન ખેંચે છે.
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान;
आली कहे समता उत दुःख अनंत, इत * खेलहु आनंदघन वसंत कित० ३
* ખેલહુને બદલે ‘ખેલે' એવા પાઠાંતર બી. મા. ની મુકમાં છે.
૩ કામ=નાના પ્રકારની ઇચ્છા, કપટ=છળ. મદ=આઠ પ્રકારના અહંકાર. માહ-અજ્ઞાન. માન= અભિમાન. આલી=સખી. અનત છેડા વગરનું. ખેલહુ=ખેલે છે, રમે છે. વસંતત્વસતાત્સવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org