________________
૩૩૪
શ્રી આનંદઘનજીનાં પદો ઓળખાણ પણ રાખતા નથી. માયા, મમતા તેને એવું મદિરાપાન કરાવે છે કે તેના ઘેનમાં ચેતનજી સ્વભાવને યાદ પણ કરતા નથી. બાર વરસ સુધી કોશાને ઘરે રહેતી વખતે સ્થલીભદ્રને પોતાનાં સગાં કે સંબંધીઓ યાદ પણ આવ્યાં નહોતાં અને તેઓની સાથે વાત કરવાની પણ તેને ઈરછા થઈ નહોતી; તેવી રીતે ચેતનજી હાલ તે માયા, મમતા સાથે એવા દઢ આસક્ત થઈ ગયા છે કે પોતાના પરિવાર સામે દૃષ્ટિ પણ કરતા નથી. આવે વખતે સમતા-ચેતનજીની પત્ની જરા પ્રસંગ લઈને તેને પિતાના ઘરનું અને વેશ્યામંદિરનું સ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં બતાવી આપે છે. ચેતનજીએ તે રાજીખુશીથી સાંભળ્યું કે સાંભળતી વખતે પણ કાન આડા હાથ ધર્યા તે માલુમ નથી પણ અર્ધા મનથી સાંભળ્યું હશે એમ જણાય છે. એ હકીક્ત ચેતનજીને પિતાને પૂછવાથી જ જણાઈ આવશે.
અહીં તે કઈ વખત મડાપ્રયાસે અથવા અનાયાસે સુમતિને મંદિરે ચેતનજી આવી ચઢ્યા હશે તેને જોઈ સમતા ચેતનજીના મનની જરા ડામાડોળ સ્થિતિને લાભ લઈ કહે છે તે નેંધી રાખ્યું છે. “હે નાથ ! મારા પતિ ! તમે ત્યાં ક્યાં જાઓ છો? તમે મારી સામું જોતા નથી એ તે આપને એગ્ય લાગતું હશે, પણ આ તમારે પરિવાર છે તેને તે જુઓ. મારી સામું ન જુઓ તે ખેર, પરંતુ આ તમારા પરિવાર સામું જોઈને પણ આ મંદિરે પધારે. તમે જ્યાં ભટકે છે ત્યાંની વાસ્તવિક સ્થિતિ શું છે તે જરા આપને કહું છું તે સાંભળે.”
મૂળ પાઠ ઉપર આપે છે તે સર્વ પ્રતમાં છે, તેથી તે પ્રમાણે અર્થ કરવા યત્ન કરવો જોઈએ. તેના બે અર્થ થઈ શકે છે. એક અર્થ તે “જાણકારના મતે તમે તમારે પરિવાર જુઓ. તમે હાલ તે વિષય કષાય પ્રમાદને જ તમારા પરિવાર તરીકે જાણે છે અને તેઓના જ સંબંધમાં રાજી રહો છો, પણ તે અયુક્ત છે, કારણ કે એને તમે તમારે પરિવાર સમજે છો તે અજ્ઞાનતાને લીધે છે. જ્ઞાની અથવા સર્વજ્ઞના મત પ્રમાણે અથવા ડાહ્યા માણસના મત પ્રમાણે આપને પરિવાર કયે છે તે આપ વિચારી જુઓ.” એમ થાય છે અને બીજો અર્થ એમ થાય કે-હે પ્રાણનાથ ! તમે કયાં જઈને નમો છે તે તે વિચારે, તમે અહીં આવીને તમારા ઘરને-સાથ પરિવાર કયો છે તેનું અવલોકન કરે. તમે હાલ જેને પૂજ્ય ધારીને નમે છે તેની આંતરિક સ્થિતિ શું છે, તેનું વસ્તુ સ્વરૂપ શું છે તે જરા વિચારો, જુઓ, તપાસો અને પછી તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે અર્થ કરવામાં “કિત જા મતે” એવું ૫દરછેદ થાય છે, પણ તે અર્થ સંબંધને અનુરૂપ નથી. અત્ર તે સ્વસ્વરૂપની વિરુદ્ધતા જણાવવી છે તેથી આ અર્થ યોગ્ય નથી.
હવે સુમતિના મંદિરમાં (સ્વભાવદશામાં) શું છે અને મમતાના ઘરમાં ( વિભાવદશામાં) શું છે તેની સરખામણી કરતાં સુમતિ આગળ ચલાવે છે અને ચેતનજી તેની સન્મુખ ઊભા ઊભા સાંભળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org