SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસમુ' પદ ૩૩૩ સ્થળ કાર્યોં તરફ જ સમતા લાવા, મતલબ એ સંસારદશા છેડી દઇ, એના ઉપર સમતા લાવી, સાધકદશાને માગે ચઢી જાએ અને જેમ બને તેમ આત્મગુણ પ્રકટ કરવાના વિશાળ માર્ગમાં નિરંતર આગળ વધા; ત્યાં પણ તમને મમતા તરફથી વારંવાર પશ્ચાત્ અપકર્ષીણ થયા કરશે પણ એના પ્રેમની અલ્પતા અને તેનાં ભયંકર પિરણામે વારંવાર વિચારી તેને વિસરી જા, તેના તરફ તિરસ્કાર બતાવા અને તેના દૃઢ નિશ્ચયપૂર્વક ત્યાગ કરા એટલે તે તમને કાંઇ કરી શકશે નહીં. પદ્મ એકત્રીસમું શ્રીરાગ. कित जनमतें हो प्राणनाथ, इत आय निहारो घरको साथ. कित० १ " “ કોઇ જાણુકારના મત પ્રમાણે હે સ્વામી ! અહીં આવીને આપના નિજ પરિવાર જુઓ. ’ ભાવ—પ્રથમ પંક્તિ અશુદ્ધ હોય તેમ જણાય છે, તેને બદલે ઉત કહાં જાત હા પ્રાણનાથ ' એમ પાઠ હાય તા અર્થ ખરાખર બેસતા આવે છે. પરંતુ મૂળ પાઠમાં આવેા ફેરફાર કરવાના સંશોધનકાર અને વિવેચનકારના અધિકાર નથી. આ પાઠ પ્રમાણે સુમતિ ચેતનજીને કહે છે કે હું મારા નાથ ! તમે ક્યાં જાઓ છે ? હું પતિ ! તમે એક વાર અહીં આવી તમારે પોતાના પરિવાર--સગા સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રા વગેરે છે તેને જુએ તે ખરા. ચેતનજીને પેાતાનુ ઘર છોડીને પારકા મંદિરે ( વિભાવદશામાં ) રખડવાની ટેવ પડેલી છે અને ત્યાં જઇ માયા, મમતા સાથે વિલાસ કરવામાં તેને આનંદ આવે છે. એ માયા, મમતા કેવી રીતે વાંચક શઠ સંચક અને ખાટા ખત ખતવનારી છે, તે આપણે નવમા પદ્મમાં વિસ્તારથી જોઈ ગયા છીએ અને તેમાં એમ પણ જોયું છે કે–મમતા દરેક પ્રકારે ચેતનનું અહિત કરનારી છે અને સમતા સિવાય કોઇ પણ તેનું હિત કરનાર નથી, છતાં ચેતનજી તેા માયા, મમતાના ઉપર ઉપરના રાગથી લલચાઈ જઈ તેના મંદિરે વિભાવદશામાં પડ્યા રહે છે એટલું જ નિહ પણુ પાતાની શુદ્ધ પતિવ્રતા સાધ્વી સુમતિ( સ્વભાવદશા )ની સાથે વાત પણ કરતા નથી, તેની દરકાર પણ કરતા નથી અને પારકા મદિરે રખડવાની ટેવને લીધે પેાતાના બીજા સગાસ'મધીએ જેવા કે ક્ષમા, માવ, આવ, સત્ય, શૌચ આદિ ધર્મબંધુએ તેને પણ વિસરી ગયા છે અને તેની સાથે * ચાલતા રાગામાં એ · આઇ સુંદર નાર કર કર શૃંગાર 'ના લયમાં ચાલશે, ૧ કિત=કાઇ. જાનમતે=જાણકારના મત પ્રમાણે. પ્રાણનાથ=સ્વામી. છત=અહીં. આય=આવીને. નિહારા=જીએ. ધરકાપેાતાના, નિજ. સાથ=પરિવાર. × આ આખું પદ અશુદ્ધ છે તેમ જ તેના પર મા બિલકુલ નથી તેથી અર્થ કરવામાં ઘણા આધાર આગળ પાછળના સંબંધ ઉપર રાખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy