________________
૩૩૨
શ્રી આનંદઘનજીનાં પદ તથા ચાર મુખવાળા બ્રહ્મા તેનાથી સમતા બહુ ડરી ગઈ છે. મતલબ તેઓનાં હજાર નેત્ર, પગ અને ચાર મુખ જોઈ અસ્વાભાવિક રૂપ દેખી સમતા તેઓ પાસે જતી નથી અને તેથી તેઓમાં સમતા આવતી પણ નથી. તેથી છેવટે પુરુષોત્તમ નાયક વિષ્ણુદેવે તેના પર પ્રેમ લાવી તેને પિતાને ગળે વળગાડી, એટલે કે સમતાને તેઓએ અંગીકાર કરી. રજોગુણ અને તમે ગુણ હોય ત્યાં સમતાને સ્થાન મળતું નથી, તેની હયાતી સત્વગુણમાં જ છે અને વિષ) સવગુણ બતાવનારા છે; તેથી ઇંદ્ર, શેષ કે બ્રહ્મા પાસે સમતા જતી નથી પણ વિષ્ણુ પાસે જાય છે એમ કહેવામાં તે સત્ત્વગુણુવલંબી છે એમ કહેવાને આશય હોય એવી માન્યતા રહે છે.
લક્ષમીની દંતકથામાં તે ઇંદ્ર અને શેષનાગથી ડરી ગઈ અને છેવટે વિષ્ણુદેવે તેને પિતાને ગળે વળગાડી એવી હકીકત જાણવામાં આવી નથી, તેથી દંતકથા અનુસાર આ ગાથાને અર્થ બરાબર બેઠે નથી. તે સંબંધી વિશેષ તપાસ કરવામાં આવે છે. કદાચ સમુદ્રમંથનની કથા સાથે શેષ, ઇંદ્ર, બ્રહ્મા વિગેરેને સંબંધ હોય અને તેને અંગે આ ગાથામાં કાંઈ ભાવ દાખલ કર્યો હોય તે તે પણ વિચારવા એગ્ય છે.
કષાયનાં કોધ, માન, માયા, લોભ એ ચાર મુખ છે એટલે એ ચાર આકારમાં એ દર્શન આપે છે અને તેને હજારો પગ છે, મતલબ તે અનેક રીતે પ્રવેશ કરે છે, તેમ જ તેની આંખે પણ હજારો છે, કારણ કે તે દરેક વસ્તુને જૂદા જૂદા આકારમાં દેખે છે; એવા કષાયથી સમતા બહુ ડરી ગઈ છે, કારણ કે તેઓ હોય ત્યાં એ રહી શકતી નથી. તેથી છેવટે જ્યારે આનંદઘન સમૂહ પુરુષોત્તમ નાયક શ્રી જિનેશ્વર દેવને શરણે ગઈ ત્યારે તેઓએ તેને હિત કરનારી જાણીને પિતાને ગળે વળગાડી, મતલબ તેની સાથે દઢ આલિંગ ગન કર્યું અને તેથી કષા તરફથી સમતાને જે પીડા થતી હતી તે દૂર થઈ. પુરુષોત્તમપણું પ્રાપ્ત કરવા સમતાની ખાસ જરૂર હોવાથી પુરુષોત્તમ નાયકે જેમ લક્ષ્મીને પિતાને ગળે વળગાડી તેમ તમારે પણ તેની સાથે પ્રેમ જમાવવાની જરૂર છે–આ અર્થ પણ બંધબેસતે આવે છે.
અથવા ચતુરાનન–ચારે મુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈ અને સમતાને તે શ્રી પુરુષોત્તમ નાયક પ્રભુએ પ્રેમ કરી ગળે વળગાડી–આ અર્થ કરવામાં લેચન ચરણુ સહસ શબ્દ તદ્દન રહી જાય છે અને પ્રકમભંગ થાય છે.
કહેવાની મતલબ એક જ જણાય છે કે-સાધુ ભાઈઓ! આ મમતા કે જેની સોબતમાં પડી તમે તમારું આત્મધન ગુમાવે છે તે તે સર્વ પ્રકારે તમને નુકશાન કરનારી છે, એનાથી તમારો એક પણ અર્થ સરવા નથી અને સમતા તમને મેક્ષનાં સુખ નજીક લાવી આપે તેવી છે, તેથી તેના સંબંધમાં આ પદમાં જે જે કારણે બતાવ્યાં છે તે વિચારી તમારી પરિણતિ સુધારે, તમારા પ્રત્યેક કાર્યમાં સમતા લાવે અને પછી છેવટે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrar
www.jainelibrary.org