________________
ત્રીસમું પદ
૩૩૧
સ્થાનક progressive stage માં આવે છે ત્યારે તે શ્રેણી માંડે છે અને તે સ્થિતિ એટલી આનંદજનક છે કે એની મીઠાશ અમૃત સાથે સરખાવવી એ માત્ર સમજાવવા પૂરતું જ છે, મતલબ એ સ્થિતિમાં અમૃતથી પણ અનંતગુણ મીઠાશ છે. ચૌદ રત્ન શેધતાં દેવતાઓએ જેમ છેવટે અમૃત પ્રાપ્ત કર્યું તેમ આ સમતા અને ચંદ્ર રત્ન પ્રાપ્ત થયા પછી પણ કઈ વાર અશુભ ધ્યાનરૂપ કાળકૂટ ઝેર પ્રાપ્ત થયા છતાં પણ ચેતનજીને દઢ પુરુષાર્થ કરી પ્રગતિ કરવા અને અમૃતને પ્રાપ્ત કરવા દેવતા પેઠે નિશ્ચય થયે તેથી અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી શ્રેણીગત અમૃતધારાને છેવટે ચેતનજીએ પ્રાપ્ત કરી.
શ્રેણી બે પ્રકારની છે : ઉપશમ અને ક્ષપક કષાયાગ્નિ ઉપરઉપરથી બુઝાય પણ અંદર સત્તામાં રહે તેને ઉપશમ શ્રેણી કહે છે. એ અવસ્થામાં આગળ વધેલે જીવ પાછો અપ ક્રાન્તિ પામી નીચે ઉતરી જાય છે. આવી ઉપશમ શ્રેણી એક ભવમાં બે વખત કે જીવ કરે છે. પાંચથી વધારે વખત એ શ્રેણી આખા સંસારમાં કઈ પણ જીવને થતી નથી. ક્ષપણી પર ચઢેલ છવ તો એ જ ભવમાં સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત અજરામરત્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઉલ્કાન્તિને અંગે આ શ્રેણી પ્રગતિને માર્ગ બતાવે છે. એનું સ્વરૂપ કર્મગ્રંથાદિ પુસ્તકોથી ખાસ સમજવા ગ્ય છે.
આવી રીતે સ્થળ લદ્દમી તે મુખ પર ધૂળ નાખનારી અને અનેક પ્રકારે ઉપાધિ કરનારી છે અને સમતારૂપ લક્ષ્મી અમૃતને લાવી આપનારી છે તેથી વસ્તુસ્થિતિ સમજી સત્ અને અસત્ અથવા લાભ કરનાર અને હાનિ કરનાર પદાર્થ વચ્ચેનું અંતર જાણું તેનું વિવેચન કરી પોતાની સ્થિતિ સુધારવા સારુ સમતાને ગ્રહણ કરવાને નિર્ણય કરે એ મુખ્ય આવશ્યકીય કર્તવ્ય છે.
लोचन चरण सहस चतुरानन, इनतें बहुत डराइ;
आनंदघन पुरुषोत्तम नायक, हित करी कंठ लगाइ. साधो भाई० ४
જેની હજાર ચક્ષુ છે, જેના હજાર પગ છે અને જે ચાર મુખવાળા છે તેનાથી તે (સમતા) બહુ ડરી ગઈ; આનંદસમૂહ પુરુષોત્તમ નાયકે (તેના પર) પ્રેમ કરીને તેને પિતાને ગળે વળગાડી ”
ભાવજેમનાં હજાર નેત્ર છે તે ઇદ્ર તથા જેમના હજાર પગ છે તે શેષનાગ * આ ગાથાનો અર્થ ટબા ઉપરથી વિચાર કરીને લખ્યું છે અને તેમાં જે કાંઈ પણ ખલના થઈ હોય તો તેને માટે હું જવાબદાર છું.
૪ લોચન=આંખ. ચરણ=પગ. સહસ હજાર. ચતુરાનનચતુમુખ, બ્રહ્મા અથવા ચાર મુખે દેશના દેતા શ્રી જિનેશ્વર દેવ, ઇન=એનાથી. ડરાઈ=ડરી ગઈ પુરુષોત્તમ નાયક=વિષ્ણુ અથવા પુરુષમાં શ્રેષ્ઠ. હિત=હેત, પ્રેમ. કંઠમળે. લગાઈ=વળગાડી.
* આ ગાથાને અર્થે કરવામાં જે દંતકથાદિક પર સૂચવન થયું છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. અર્થને ઝળકાટ તેથી બરાબર થતો નથી એટલું અત્ર કહી દેવું યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org