________________
શ્રી આનઘનજીનાં પદા
ભાવ-પૈસાને ચાર ચારી ન જાય ઇત્યાદિ અનેક કારણેાથી અથવા તે સાત પેઢી સુધી ચાલે એવી તૃષ્ણાથી આ ગાંડા ભાઈ પૈસાને જમીનમાં દાટે છે. પૈસાને અંગે અનેક પ્રકારના મૂર્ખાઇભરેલા વિચારવગરનાં આચરણેામાંનુ આપણુ એક આચરણુ છે, પણ પ્રથમ તેા પૈસા દાટવા સારુ ખાડા ખેાદે ત્યારે જ પાતાના મુખ ઉપર બહુ ધૂળ ચઢાવે છે અને પૈસા જમીનમાં દાટ્યા પછી તેના ઉપર ધૂળ-માટી છાંટ્ઠી ખાડાનુ મ્હાં બંધ કરે છે ત્યારે વાસ્તવિક રીતે તે પેાતાના મ્હાં ઉપર જ ધૂળ વાળે છે. ધનને અંગે આ જીવનું ગાંડપણુ તે વિચારા ! પાતે પૈસાનું દાન કે તેના ભાગ કરી શક્તા નથી પણ પાતાની સંતતિ જાણે તદ્ન નિર્માલ્ય થવાની છે એવી ધારણા ધારી ધનને ધરતીમાં દાટી મૂકવા સારુ ખાડા ખાદે છે, હવે તે બાબતનુ પૃથક્કરણ કરી જોઈએ તે તેમાં તેની કેટલી ગાંડાઇ-મૂર્ખતા છે તે જણાશે. ઘણી વખત તા પાતે ધન દાટ્યા પછી તે હકીકત છૂપી રાખવા સારુ કાઇને સ્થળ કે દાટવાની હકીકત કહેતા નથી અને અચાનક મરણુ થતાં તે હકીકત તેની સાથે જ મરણ પામે છે અને દાટેલું ધન ભૂમિમાં જ રહે છે. સંતતિ માટે ધનસંગ્રહ કરતા એમાં એક એવી માન્યતા ગોણપણે રહેલી છે કે પેાતાની સંતતિ શક્તિ વગરની અને નશીખ વગરની થશે. હવે આ બન્નેમાંથી એક પણ પ્રકારની પ્રજા થાય તે ધન તેની પાસે ટકી શકતું નથી એ સુસ્પષ્ટ છે. ધનની વાસનામાં પાતે મરણ પામીને ધન ઉપર સર્પ કે ઉંદર થઈ તેની ચાકી કરે છે અને તે ધન તેના મૃત્યુ માટે થાય છે. ધનમૂર્છા આવી રીતે તેને અનેક ઉપાધિનું ભવાંતરમાં પણ કારણ બને છે. આવાં અનેક કારણેાને લઇને ધનને અલક્ષ્મી કહેવામાં આવે છે. લાકે એને નશીબની દેવી, પૂજ્ય સ્થાનને ચાગ્ય અને સવ ગુણુનું સ્થાન ગણે છે તે માત્ર તેના પરના મૂર્ખાઇ ભરેલા રાગને લઇને જ છે, વસ્તુતઃ તે લક્ષ્મી છે તે લક્ષ્મીવાન નહિ પણ અલક્ષ્મી એટલે નમઃ વિદ્યતે થય સઃ રુક્ષ્મ: લક્ષ્મી વગરના, ધન વગરના, નિર્ધનના નામને યાગ્ય છે. કાઇ પણ પ્રકારની આત્મલક્ષ્મી તે વાસ્તવિક લક્ષ્મી છે. તેવી લક્ષ્મી ધનમાં નથી અને તેથી તેના વડે યુક્ત પુરુષાને લક્ષ્મીવાન કહેવા એ લક્ષ્મીનાં સ્થૂળ સ્વરૂપ તરફ જ લક્ષ્ય બતાવે છે. એ સ્થળ લક્ષ્મીની સેવા કરનારા હેતુ વગર અને સાધ્ય વગર એની પ્રાપ્તિ માટે દોડાદોડ કર્યા કરે છે, એની ખાતર મૂખ શેઠીયાઓની ખુશામત કરે છે, એની ખાતર અનેક પ્રકારના નાચ નાચે છે. આવી રીતે પેાતાના મુખ પર શ્યામતા લાવનાર અને લક્ષ્મીના નામને ચેાગ્ય નહિ એવી લક્ષ્મીના પતિએ એને જમીનમાં દાટીને કે તીજોરીમાં ભરીને એના દાનાદિક વ્યાપારમાં ઉપયોગ કરતા નથી, પોતે તેના ઉપભાગ કરતા નથી અને છેવટે અનેક કિલષ્ટ કર્મરૂપ શ્યામતા વહેારી લઇને ભવાંતરમાં દુર્ગતિમાં રખડે છે.
૩૧૮
એ સ્થૂળ લક્ષ્મી મુખ પર શ્યામતા કેમ લાવે છે તેનાં અનેક દૃષ્ટાંતા શાસ્ત્રામાં અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ધવળશેઠ લક્ષ્મીના પૂજારી તેની ઉપાસનામાં કેવી ગતિ પામ્યા, તે આપણે શ્રીપાળના રાસમાં સાંભળીએ છીએ; સમ્ભણશેડ માટે લક્ષ્મીપતિ રાતે નદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org