________________
૩૦૪
શ્રી આનંદઘનજીનાં પદો પદ ત્રીસમું
રાગ આશાવરી साधो भाई ! समता *रंग रमीजे; अवधू ममता xसंग न कीजे. साधो भाई. संपत्ति नाहि नाहि ममतामें, +ममतामां मिस मेटे; खाट पाट तजी लाख खटाउ, अंत खाखमें लेटे. साधो भाई. १
હે સાધક બંધુ! સમતામાં (તમારો ) રંગ જમાવે, હે ચેતન ! મમતાની સંગતિ (તમારે ) ન કરવી. મમતામાં કઈ પણ પ્રકારની લત નથી, (વળી) મમતામાં રહીને ( ઉલટી) શ્યામતા લગાડવાની છે. લાખો રૂપિયા ખાટનાર ખાટપાટ તજી દઈને આખરે રાખમાં રગદોળાય છે.”
ભાવ–અગાઉના પદમાં સંગ્રહનયની અપેક્ષા લઈ આત્મા ચિદાનંદઘન સ્વરૂપી ચૈતન્ય મૂર્તિ છે એ વાત કહી, પરંતુ અત્રે જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે-સંગ્રહનય સાધક નથી, તે માત્ર રેય છે. વ્યવહારનય સાધક છે તેથી હવે એ આનંદઘન ચૈતન્યમય મૂર્તિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તે બરાબર સમજવા માટે વ્યવહારનયની અપેક્ષા લઈ સમતા અને મમતામાં બરાબર સ્થિતિ કેવા પ્રકારની છે તે બતાવતા આ પદગી મહારાજ કહી બતાવે છે. આખા પદમાં કહેલી હકીકત વ્યવહારુ રીતે ખાસ ઉપગી છે.
હે સાધો ભાઈ ! તમારે હવે મમતાની સોબત છોડી દઈને સમતામાં રમણ કરવું ચુત છે. હું અને મારું એ મહ રાજાને મંત્ર આ જગતને અંધ બનાવી મૂકે છે અને મમતા એ મહરાજના મંત્રનો એક વિભાગ છે. એને લઈને વસ્તુ શું છે? કેવી છે?
* રંગને બદલે “સંગ ' પાઠ છે. બીજી પંક્તિમાં રંગ શબદ આ પ્રતિમાં મૂક્યો છે તેથી ભાવ
એક જ રહે છે.
૪ સંગને બદલે અહીં “રંગ ” પાઠાંતર એ જ પ્રતમાં મૂક્યો છે.
+ મમતામાં મિસ મેટે–એ પંક્તિને સ્થાને “રમતા રામ સમેટે ' એવો પાઠ એક પ્રતમાં છે. એ મમતા રમતા રામ-રમણ કરતા આત્માને એક સ્થાનકે કેદ કરી મૂકે છે એવો તેને અર્થ થઈ શકે છે. એ પાઠ પણ વિચારવા યોગ્ય છે.
: અંત શબ્દને બદલે બે પ્રતમાં “ અંતે ” એવો પાઠ છે એ વધારે સ્પષ્ટ અર્થ આપે છે, પણ ઉપર જે પાઠ લખ્યું છે તે સંગીતને અનુરૂપ છે.
૧ સાધે સાધુ, સાધકે. રંગ રમી રંગ જમાવો. અવધૂ=હે ચેતન ! ન કીજે ન કરો. સંપત્તિ=સંપદા નાહિ નહિ નથી નથી. મિસ શ્યાહી, શ્યામતા. મેટે લગાડે છે. ખાટપાટ ખાટલે પાટલો, વ્યવહારુ ગૃહસ્થાઈનાં ચિ, ખાટ=પ્રાપ્તિ, લાભ. પ =માર્ગ, વ્યવહાર, તજ-છોડી દઈ લાખખટાઉ લાખ ખાટવાની ઇરછાવાળો અથવા લાખ રૂપિયા ખાટલો, અંત= અંતે, છેવટે. ખાખમેં રાખોડીમાં. લે=આળોટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org