SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનઘનજીનાં પદ્મા આવી રીતે અનેક દૃષ્ટિથી કહ્યું કે-અમે આ નથી, અમે તે નથી વિગેરે. એ સર્વની મતલબ વેદાન્ત દર્શનની પેઠે આત્માની વિશેષ સત્તા ગ્રહણ કરી બતાવ્યું કે-આત્મા આ સમાંથી એક પણુ રૂપે નથી અને તેથી તેને અમુક નામે ખેલાવવામાં આવે તે સંગ્રડુનયની અપેક્ષાએ તે વાત સત્ય નથી. તે નયની અપેક્ષાએ તેા આત્મા ત્રણ કાળમાં એક સ્વરૂપવાળા છે, જે છે તે છે, તેમાં કાંઇ ફેરફાર થતા નથી, બહિરુપાધિથી થતા ફેરફાર તે નય સ્વીકારતા નથી. તે તે આત્માના દ્રવ્યસ્વરૂપને માને છે અને તેને ઓળખી તેનું જે ખરાખર નામ આપે તે તેના ઉત્કૃષ્ટ રસને ચાખે એમ તે કહે છે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે તમે કાણુ છે એવા પ્રશ્ન સહજ થાય છે. વેદાન્ત તે નૈતિ નેતિ એમ જ પ્રત્યુત્તર આપે છે, કારણ તેને અન્ય નયની અપેક્ષા જોવાની નથી. સંગ્રહનય તેના સ્વરૂપને જ વળગી રહી જવાબ આપે છે કે અમે આનંદના સમૂહુરૂપ ચૈતન્યમય મૃત્તિ છીએ. આત્માને શુદ્ધ દશામાં અનંત જ્ઞાન પ્રગટે છે તેથી સર્વ વસ્તુસ્વરૂપને જાણે છે, અનત દર્શન પ્રગટ થાય છે તેથી સર્વ દેખે છે, અનંત ચારિત્રથી સ્વગુણુમાં સ્થિરતા પામે છે અને અનંત વીર્ય પ્રગટ થવાથી અનંત શક્તિ તેનામાં હેાય છે. આત્મા પૂર્ણ બાધિત સ્થિતિમાં હાય તે પણ તેને જ્ઞાનના અંશ તેા રહે જ છે અને તે તેનુ અસ્તિત્ર બતાવવા માટે પૂરતા છે. આ જ્ઞાન સર્વાંશે તે સાધ્ય દશામાં પ્રાપ્ત થાય છે અને તેને ચિત્ કહેવામાં આવે છે, અસ્તિત્વ એ સત્ છે, જ્ઞાન એ ચિત્ છે અને સ્થિરતામાં રમણતા કરવી તે વાસ્તવિક આનંદ છે. દુનિયાના જીવા પૌદ્ગલિક પાર્શ્વમાં સ્થળ આનંદ માને છે તેને આનંદનું નામ પણ આપી શકાય નહિ; કારણ કે એ કર્મજન્ય છે અને એને પાયે જ ખાટા છે. ઉક્ત પ્રકારના વાસ્તવિક આન વેદનીય કર્મના સર્વાંશે ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. એટલા ઉપરથી જોવામાં આવ્યુ હશે કે-આ ચૈતન્ય સત્, ચિત્ અને આનંદમય છે—સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ એની ત્રિકાળ અબાધિત સ્થિતિમાં એક સ્વરૂપે રહે છે. ૩૨ આવા મારા આનંદસ્વરૂપ ચૈતન્યમય મૃત્ત ધર્માંને જે પ્રાણી સેવે છે, મતલબ તે મારા સહભાવી ગુણા જે અત્યારે તે ક્રમભાવી ધર્માં-પર્યાયાને લીધે અવાંતર સ્વરૂપને પામી ગયા છે તેની ઉપાસના કરે છે એટલે તેને પ્રગટ કરવા માટે જે પ્રયાસ કરે છે તે બલિહારીને પામે છે એટલે તેનુ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થતાં જગના મુમુક્ષુ જીવા તેની બલિહારી ખેલે છે, તેનાં લૂછણુાં લે છે, તેનાં ઓવારણાં લે છે-તેને સર્વ પ્રકારનુ માન આપે છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની હકીકત વિચારી તેનાં ગમે તે નામ આપવાના પ્રયત્ન કરવાને બદલે અથવા તે આ નથી, એ નથી, પેલા નથી એમ એક દૃષ્ટિબિંદુથી નિહાળી સત્યના અંશ ઉપર ભાર દેવાને બદલે તેના સચ્ચિદાનંદસ્વરૂપને ઓળખી તે પ્રગટ કરવા પ્રયત્ન કરવા એ ખાસ કર્તવ્ય છે. જ્યાં સુધી એકલુ વ્યવહારુ જ્ઞાન હાઇ ઝીણવટમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy