SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રી આનંદઘનજીનાં પદ્મા તે વ્યવહારરાશિમાં આવ્યા પછી વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં ફરતા ફરતે ગોળ પાષાણુ ન્યાયથી ઢીંદ્રિયાદિ જાતિ પામી આગળ વધતા જાય છે. તે વખતે તેના આત્મિક શુદ્ધ દ્રવ્ય પર કર્મને મેલ અત્યંત લાગેલા હાય છે. ખાણમાં પડેલા સુવર્ણ માં સુવર્ણત્વ તે છે · જ, પણ તેના પર માટી ખડુ લાગેલી હાય છે તેને જેમ શુદ્ધ કરવાની જરૂર પડે છે તેમ ચેતન ઉપર લાગેલ કર્મવારૂપ માટી ખસેડવાની જરૂર પડે છે. કમળ લાગેલ હાય છે ત્યારે તેનાં અનેક નામ પડે છે, અનેક ગતિમાં ચક્રભ્રમણ કરે છે અને જાણે સંસારદશા એ તેને સ્વભાવ થઈ પડ્યો હાય એમ લાગે છે. આવી સ્થિતિમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કર્મના લેપ લાગ્યા હાય છે પણ તે વખતે આઠ રુચક પ્રદેશ જે આત્માના મધ્યમાં રહે છે તે તદ્દન અલિપ્ત વિશુદ્ધ નિર્મળ રહે છે, આ શુદ્ધ રુચક પ્રદેશને લઈને સંગ્રહનય એક સત્યને અશ ગ્રતુણુ કરી જીવની સત્તાને સિદ્ધ તુલ્ય સમજી તેને સિદ્ધ કહે છે. આ હકીકત આ પદમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખી જે અમારું નામ પાડે છે તે ઉત્કૃષ્ટ રસને સ્વાદ લે છે, મતલબ તેને આત્માનુભવ જાગ્રત થાય છે. હવે એ નામ પાડવામાં બાહ્ય દૃષ્ટિની હકીકત પર તમે લલચાઇ જશે! તેથી તેનાથી બચાવવા અત્ર કહે છે. આત્માને સમજવા અને સમજીને તેની સત્તા ગત અને વ્યક્ત સ્થિતિ પર વિચાર કરવા એ અનુભવજ્ઞાનને વિષય છે, એ વાત તે હવે વાંચનાર બરાબર સમજી ગયા હશે, આ પત્રમાં વિદ્વાન ચેગી અતિ ઉચ્ચ સ્થિતિમાં ઉડ્ડયન કરે છે તે હવે જોવામાં આવશે. લેાકેાની સામાન્ય ટેવ કઇ વસ્તુનુ કાઇ પણ નામ સ્થાપન કરવાની અને તેના તદ્વારા વ્યવહાર કરવાની હોય છે એ આપણે સાધારણ અવલેાકનથી જાણીએ છીએ. કવિ તેને માટે કહે છે કે-સ્વસ્વભાવમાં વર્તનાર જીવા બધા પ્રકારના વ્યવહારમાં વર્તે છે છતાં કેવળ જ્ઞાનમય હાય છે અને તેથી તેને અમુક નામ ઉદ્દેશીને બેલાવવામાં આવે તે તેમ વાસ્તવિક રીતે થઇ શકતુ નથી. આ આશયથી આ પદ રચાયલું છે. તમે કોઇ મારું નામ પાડવા માગે તે મને મારા બાહ્ય સ્વરૂપને જોઈને કડા કે આ પુરુષ છે કે સ્ત્રી છે, પણુ સાચું નથી. અમે પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી. મારું વ્યવહારનયથી એક વિશેષ સ્વરૂપ લઇ તમે મને સ્ત્રી કે પુરુષ કહેવા ધારતા હા તે તે ઠીક નથી. જ્યાં અમે પેતે નવા ઉપજતા નથી કે મરતા નથી ત્યાં પછી તમે મારું સ્ક્રી કે પુરુષ નામ કેવી રીતે આપી શકે ? વળી મારા કાઇ વ નથી, રાતા, પીળે, કાળા, લીલેા ને શ્વેત એવા કોઇ પણુ રંગ લઇ વિશેષ ભાવ જે વ્યવહારનયને લઇને દ્રવ્યાર્થિ કપણે થાય છે તેમાંના હું કાઈ નથી. વધુ અશુદ્ધ આત્મદ્રવ્યને પુદ્ગલસયેાગે લાગે છે અને તેથી વ્યવહારથી જીવનાં અનેક નામ પડે છે. કાળા વધુ હેવાથી કાઇનું નામ હમસી પડે છે, ગેારા વર્ણ હાવાથી સાહેબ નામ પડે છે, લાલ વર્ણ હાવાથી અમેરિકાના મૂળ વતનીઓનું નામ ( Aborigines ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy