________________
અલવીસમું પદ
૩૧૩ વિધિ પ્રમાણે તેનું પાન કરે અને તેમ કરવા સારુ પ્રથમ તે અધ્યાત્મને નિવાસ કયાં છે તે બરાબર ઓળખીને પછી મનસા પ્યાલાનું પાન કરો. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી–તેનું નિવાસસ્થાન આત્મા જ હોય. બાહ્ય પદાર્થ અથવા વસ્તુસંગથી રહિત શુદ્ધ દશામાં વર્તતે અથવા શુદ્ધ દશા તરફ ગમન કરતો આત્મા એ અધ્યાત્મનું સ્થાન છે. આત્મા સંબંધી હકીકતનું સ્થાન આત્મસ્વરૂપ જ છે. એને બરાબર ઓળખીને પછી ઉપરોક્ત અગમ પ્યાલાને પીએ. ઘણી વખત એવું બને છે કે અધ્યાત્મને ઓળખ્યા વગર ઉપર ઉપરની હકીક્તને જ અધ્યાત્મ સમજી જવામાં આવે છે અને તેથી અનુભવરસના પાનને બદલે આત્મવંચન થાય છે, તેથી અગમ પ્યાલાનું પાન કરવા પહેલાં અધ્યાત્મવાસ કયાં? કેવી રીતે અને કેવા પ્રકારે ? થાય છે તે બરાબર સમજી લેવું ઉચિત છે.
એ અગમ પ્યાલાને બદલે કેટલીક પ્રતમાં “આગમપ્યાલા” એ પાઠ છે, તેને અર્થ પણ સ્પષ્ટ છે. અધ્યાત્મવાસને ઓળખીને થતજ્ઞાનના બોધ૫ આગમખ્યાલે પીવે. ત્યાં સામાન્ય રીતે મુશ્કેલી પ્રાપ્ત થશે કે શ્રુતજ્ઞાન તો સમુદ્ર જેટલું છે તે સર્વ જાણી શકાય કેવી રીતે ? તે અધ્યાત્મવાસ ઓળખી વસ્તુસ્થિતિનું અને ખાસ કરીને પડુ દ્રવ્ય અથવા નવ તત્વનું જ્ઞાન કરી તેમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે તે સમજવું એ અધ્યાત્મવાસ ઓળખી લેવાનું સાધન છે. મુમુક્ષુ જીવ તેને અલ્પ સમયમાં જાણી શકે છે અને પછી તે સ્થિતિમાં તેને જે આનંદ થાય છે તે નીચે બતાવ્યો છે.
આનંદઘન ચેતનજી એ અધ્યાત્મવાસમાં જ ખેલે છે, ત્યાં તેને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે જ તેનું ક્રીડાક્ષેત્ર છે અને ત્યાં ખેલતી વખતે લેકના તમાસા જુએ છે, ભવનાટક જુએ છે, સંસારપ્રપંચ પ્રત્યક્ષ રીતે જુએ છે. તે વખતે આનંદઘન ચેતન કઈક લેકેને કૂદતાં જુએ છે, કઈકને વીંછીએ ફટકાવ્યા હોય તેમ અશાતાથી હણુયેલા જુએ છે, કોઈને રમતા, કેઈને મરતા, કેઈને રોતા, કેઈને વિષયકમમાં આળોટતા, કોઈને હેતુ વગર દેડાદોડી કરતા અને કેઈને પવનની સાથે બાથ ભીડતાં એમ અનેક પ્રકારના નાટક કરતા જુએ છે, તેને તે વખતે અનેક પ્રકારની કરુણાદિક લાગણી થાય છે અને તેથી તે નાટકનું પતે એક પાત્ર હોવા છતાં નાટકમાં તે ભાગ લેતા નથી.
આ ગાથાનો ભાવ બતાવતાં ઉપરોક્ત પં. આનંદસાગરજી લખે છે કે-કઈ પ્રકારે ઓળખી શકાય નહિ-સ્પર્શ રૂપ રસ ગંધ કે શબ્દ દ્વારા જણાય નહિ એ સ્વસાધ્ય દશાની ઈચ્છાને પ્યાલે જે પીએ તે અધ્યાત્મનું સ્થાન કયું? કેવું અને કેવા ફળને દેનારું છે? તેનું બરાબર જ્ઞાન થાય અને આ જગત્ તમાસા જેવું લાગે. આ ભાવમાં અગમ શબ્દનું પારમાર્થિક રહસ્ય બતાવવામાં આવ્યું છે. અધ્યાત્મવાસની દરેક હકીક્ત તેના વિસ્તૃત આકારમાં જાણવાની ખાસ જરૂર છે; કારણ કે જે વાસમાં જઈને રહેવાની ઉગ્ર ઈચ્છા છે તેના સ્થાન, સ્વરૂપ અને લાભેનું બરાબર જ્ઞાન ન હોય તે સાથે મેળવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org