SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી આનંદઘનજીનાં પદો છે તેથી અહીં મનસા પ્યાલાની વાત કહી છે. એ મનરૂપ પ્યાલામાં વાચના, પ્રરછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણરૂપ સ્વાધ્યાયરાગ આદિ મસાલે ભરે. દૂધમાં જેમ મસાલો નાખવામાં આવે છે તેમ મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગ વિગેરે મસાલે નાખવો. નીચે બ્રહ્મ એટલે બ્રહ્મચર્યરૂપ અથવા વિશેષ વાસ્તવિક રીતે સાધ્યબિન્દુના શુદ્ધ જ્ઞાનરૂપ બ્રહ્મને અગ્નિ શુદ્ધ કરે. બ્રા શબ્દને જે નવીન અર્થ અહીં બતાવ્યું છે તે ખાસ વિચારવા એગ્ય છે. “તન ભાઠી અવટાઈ કસ પીએ” એટલે નિરંતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે છે તેથી છેવટે કેવળ સ્વસ્વરૂપમાં રમણતાની દશા પ્રગટ થાય. આ અર્થમાં સાંકેતિક શબ્દોને જે વિશુદ્ધ આશય બતાવે છે તે ખાસ મનન કરવા ગ્ય છે. મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગાદિ મસાલા ભરી સાધ્યના જ્ઞાનરૂપ બ્રહ્માગ્નિ શુદ્ધ કરી સ્વમાં એકાગ્રતા કરીએ તો સ્વસ્વરૂપમાં રમણતાની દશા પ્રાપ્ત થાય એ આ ગાથાને આશય છે. આપણું વર્તમાન દશામાં પરની આશા કરી સ્વાવલંબનને મૂકી દેવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, વિસારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય-પ્રાપ્તવ્ય બિન્દુનું શુદ્ધ જ્ઞાન થાય અને સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સ્વસ્વરૂપ રમણુતાની એકાંત હિતકારક દશા જરૂર પ્રગટ થાય એમાં સંદેહ જેવું નથી. આ જીવને જે જોઈએ છે તે તેની પાસે છે, પારકા પાસેથી કાંઈ આવવાનું નથી, અન્ય કઈ આપનાર નથી અને અન્યની આશા સ્થલ-માનસિક કે આત્મિક વિષયમાં રાખવી એ સાધ્ય સ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. આ ભાવ બહુ સારી રીતે વિચારે. *अगम पीआला पीओ मतवाला, चीने अध्यातम वासा; fકાનંઘન ચેતન હૈ રે, રે હો તમામા, આશા ૦ ૪ જેની ખબર ન પડી શકે તે (મસા) પ્યાલો હે અધ્યામમતમાં મગ્ન લેકે ! પીઓ અને તેમ કરવા પહેલાં અધ્યાત્મને વાસ ક્યાં છે તે ઓળખો. આનંદસમૂહ ચેતનજી ત્યાં ( અધ્યાત્મવાસમાં ) રમણ કરે છે અને લોકોને તમાસે જુએ છે.” ભાવ-જેની કેઈને ખબર નથી એવે ઉપર જણાવેલો પ્યાલે હે મતવાલા ! અધ્યાત્મમતમાં આસક્ત થયેલા સજજને ! પીઓ. એ પ્યાલો એવા પ્રકાર છે કે તેની સાધારણ રીતે કેઈને ખબર પડતી નથી. તે ક્યાં છે? કે છે અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેવો છે? તે પણ જાણી શકાય તેવું નથી. આવો અગમ્ય પ્યાલો જેમાં મસાલાદાર તત્ત્વ તૈયાર કર્યું છે તે તમે પીઓ. જો તમે અધ્યાત્મમતમાં મગ્ન હો તે ઉપરની ગાથામાં બતાવેલા * અગમને બદલે આગમ પાઠાંતર છે. - “આનંદઘન તે જગમેં ખેલે ” એવો પાઠ અન્યત્ર છે. ૪ અગમ જેની ખબર ન પડી શકે તેવો, અગમ્ય. મતવાલા=અધ્યાત્મમતમાં મગ્ન, ચીને ચીન્હી, શોધીને. વાસા=વાસ, નિવાસસ્થાન. દૈલ્યાં. તમાસાઃખેલ, નાટક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy