SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અાવીસમું પદ ૩૧ રહે તેને જરા ઠંડે પડવા દઈ જ્યારે તેને પીવામાં આવે ત્યારે સર્વ પદાર્થ તરફ નિરિરછકપણથી પ્રગટેલ ઉમત્તતા અને તેથી પ્રગટેલી અનુભવની લાલી આંખ પર, મુખ પર અને શરીર પર દેખાય છે. આવા રસનું પાન કરનારનાં કાર્ય, વચન કે ક્રિયા જોયાં હોય તે તેમાં બાહ્ય કે અંતરંગ સ્વરૂપમાં તદ્રવૃત્તિ એટલે અનુભવરસની લાલી-એકાગ્રતા સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ચેતન ! તું પારકી આશા કરી ઘર ઘર રખડી પાછો પડે છે, દુઃખ ખમે છે અને અંતે કાંઈ પ્રાપ્ત કરી શકતા નથી તેને બદલે આ તારી પાસે રહેલ રસમાં મસાલે નાખી પીશ તે આ ઠંડીના દિવસે હોવાથી તેને લાભ બહુ થશે, તારા આત્મિક શરીર પર લાલી આવશે અને તેને સર્વ પ્રકારની પુષ્ટિ થશે. મનને પ્યાલે બનાવવામાં બહુ વિચાર કર્યો જણાય છે. નકામો કચરો અને શુદ્ધ રસ તે ગ્રહણ કરે છે અને ધારણ કરી રાખે છે. એ સર્વ શુભ અશુભ વિચારોને વ્યક્ત કરવાનું સાધન છે. કસ-સર્વા પીવાની હકીકત પણ એટલી જ ધ્યાન રાખવા ગ્ય છે. નકામી વસ્તુનું પાન કરવાથી લાભ થતું નથી, તે મળરૂપે નીકળી જાય છે, પરંતુ સત્ત્વનું પાન કરી તેને પચાવવામાં આવે તે તેનું રુધિર, વીર્ય વિગેરે ધાતુ બની શરીરને પિષે છે, તેવી જ રીતે પ્રેમ મસાલાદાર રસના પાનનું સમજી લેવું. અનુભવની લાલી પ્રગટ કરવાને જે કમ આ ગાથામાં બતાવ્યું છે તે નીચે પ્રમાણે સમજ. અનુભવ પ્રગટ કરવા માટે પ્રથમ મનમાં વિચાર કરે, કારણ વિચારને વ્યક્ત કરવાનું સાધન હાલ તે મન જ છે. પછી તે મનરૂપ પ્યાલામાં પ્રેમને મસાલો નાખવો એટલે સ્વરૂપપ્રાપ્તિના વિચાર તરફ પૂર્ણ પ્રીતિ કરવી. આવી પ્રીતિ જ્યારે વિવેકપુર સર થશે ત્યારે સ્વપર વિવેચન થવાથી બાહ્ય વસ્તુ અને સંબંધ પરથી પ્રીતિ ઓછી થઈ જશે. એવી સ્થિતિ બરાબર પ્રાપ્ત કરવા અને તે નિરંતર બની રહે તેવું કરવા તેની નીચે બ્રહ્મચર્યરૂપ અગ્નિ સળગાવ અને તેના વડે શરીરરૂપ ભઠ્ઠીને ખૂબ તપાવો. શરીરને તપાવવાથી તેના પરને રાગ પણ ઓછો થઈ જશે. આવી રીતે શરીર, સ્ત્રી અને બાહ્ય પુદુગળ સંબંધને ત્યાગ થયા પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવામાં જ પરમ પ્રીતિ પ્રગટ થશે. આ પ્રયોગ કર્યા પછી સત્ત્વનું પાન કરવા નિર્ણય થશે તે વખતે એગ્ય ગુરુના આશ્રય નીચે અધિકાર પ્રમાણે ધ્યાનક્રિયારૂપ સત્ત્વનું પાન થશે અને તેથી મનની સ્થિરતા પ્રાપ્ત થતાં પ્રેમની જમાવટ થશે ત્યારે અનુભવની લાલી તમારા પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વર્તનમાં, પ્રત્યેક વચનમાં સ્પષ્ટ જણાઈ આવશે અને તમારા મનમાં એટલી ઉદાત્તતા પ્રગટ થશે કે તમારી આસપાસ પણ અનુભવને શાંત રસ ઝરતા હોય એમ સ્પષ્ટ દેખાઈ આવશે પં. આનંદસાગરજી આ ગાથાના અર્થ માટે એક વિશેષ અર્થ સૂચવે છે, એ પણ ખાસ વિચારવા યોગ્ય છે. મેક્ષ અથવા આત્માનુભવ માટે સંસી પંચેન્દ્રિય જીવો જ ગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy