________________
૩૦૯
અવીસમું પદ (બને છે) એમ અર્થ કરે છે. મતલબ એના સંબંધમાં દાસ તરીકે કે પતિ તરીકે આવનારને એ આશા રખડાવે છે એટલે કેઈ પણ રીતે એને સંબંધ ઈષ્ટ નથી. આ દષ્ટિબિંદુથી આ અર્થ પણ સમીચીન છે.
આ ત્રીજી અને ચોથી પંક્તિને એક બીજી રીતે પણ સુંદર અર્થ થાય છે. જેમ શેઠનું કામ પિતાની દાસીઓને પ્રવર્તાવવાનું છે તેમ જે આશાને દાસી તરીકે પ્રવર્તાવે અથવા તે તરીકે રાખે અને તેમ કરીને–તેના ઉપર હુકમ કરીને પોતાનું કામ શેઠ સિદ્ધ કરે છે તેવી જ રીતે જે આત્મા આશાને દાસ ન બનતાં સ્વસ્વરૂપની સિદ્ધિ માટે કાર્યોમાં ઇરછાને પ્રયાસ કરે છે તે અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં “જે નાયક આશા દાસી કરે,” એમ પદર છેદ કરવાનું છે. આ અર્થ બહુ સુંદર ભાવ બતાવે છે. આશય લગભગ ઉપર બતાવ્યો તે જ રહે છે, પણ એમાં ફેર એટલો છે કે પ્રથમ અર્થમાં આશા તેને નાયક કરે છે અને આ અર્થમાં ચેતનજી આશાને દાસી બનાવે છે. આ ભાવ તેથી વધારે સુંદર છે, કારણ કે એમાં ચેતનનું નાયકપણું યોગ્ય રીતે પીછાનાય છે.
આશા એ એવી વસ્તુ છે કે તેને પાર પામવામાં અને તેના પર સ્વામિત્વ મેળવવામાં બહુ મુશ્કેલી નડે છે. ભર્તુહરિ તેને નદી સાથે સરખાવી તેને પાર પામનાર
ગીશ્વરના આનંદનું વર્ણન કરે છે; તેમ કરતાં નદીમાં શું શું પદાર્થ હોય છે અને તેને પાર પામવામાં કેટલી અગવડો પડે છે તે તરફ લક્ષ્ય ખેંચતાં તે કહે છે કે- આશા નામની નદીમાં મરથ જળ ભર્યું છે, તેથી આખો વખત જૂદી જૂદી ઈરછાઓ થયા કરે છે; નદીમાં જેમ જળ તરંગ થાય છે તેમ અહીં તૃષ્ણાનાં મોજાં આવ્યાં કરે છે; નદીમાં રાગરૂપી શાહ (જળમાં રહેનાર મનુષ્યનું પણ ભક્ષણ કરી જાય તેવા મોટા મગરમચ્છો ) હોય છે જે પ્રાણીનું પ્રસન કર્યા કરે છે; નદી પર જેમ પક્ષીઓ ઊડ્યા કરે છે તેમ આ આશા નદી પર વિતર્કરૂપ પક્ષીઓ ઊડ્યા કરે છે જેથી અસ્તવ્યસ્ત વિચારના ઉધ્યન થયા કરે છે; નદીમાં પૂર આવે ત્યારે જેમ કાંઠા પરનાં વૃક્ષોને નાશ થાય છે તેમ આ આશા નદીમાં મને રથજલનું પૂર આવે ત્યારે વૈર્યવૃક્ષને નાશ થાય છે; મેટી નદીઓમાં જેમ આવત(જળચકે) થાય છે અને તેના સપાટામાં આવનાર તરનારે પણ ડૂબી જાય છે તેમ આ આશા નદીમાં મોહના આવર્ત આવે છે કે જે પ્રાણીને ચકભ્રમણમાં નાખી દે છે; આવી આશા નદી તરવી મહામુશ્કેલ થઈ પડે તેવી અને અતિ ઊંડી છે; તેનો પાર જે યોગીશ્વરો પામી ગયા છે તે આનંદ કરે છે. આટલા ઉપરથી જોવામાં આવ્યું હશે કે-આશા પર જય મેળવનાર પ્રાણી આ જીવનનું વિશિષ્ટ કર્તવ્ય કરે છે, તેમાં આનંદ માની સાધ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય છે અને અનુભવરસનું પાન કરવાને ગ્ય થઈ છેવટે તેનું પાન કરી સાધ્ય પ્રાપ્ત કરે છે.
* आशा नाम नदी मनोरथजला तृष्णातरङ्गाकुला, रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी ।
मोहावर्तसुदुस्तरातिगहना प्रोत्तुङ्गचिन्तातटी, तस्याः पारगता विशुद्धमनसो नन्दन्ति योगीश्वराः ॥ भर्तहरि.
www.jainelibrary.org
Jain Education International
lain Education International
For Private & Personal Use Only