________________
૩૦૬
શ્રી આનદઘનજીનાં પદા
અપૂર્ણ રહેલી આશાઓ પણુ પરભવમાં તે બહુ દુઃખ આપે તેવાં ચીકણાં કર્મ ના બધ કરાવે છે. આશાથી આ ભવમાં અને પરભવમાં બહુ દુઃખ પ્રાપ્ત થાય છે. એક ાટલીનેા કકડા મેળવવાની આશાએ જેમ કૂતરા લેાકેાનાં બારણે બારણે રખડે છે તેમ આશાધારી પ્રાણી લેાકેાનાં દ્વારે દ્વારે રખડે છે. એક નીતિવચનમાં કહ્યું છે કે:--
लाङ्गूलचालनमघश्चरणावपातः, भूमौ निपत्य वदनोदरदर्शनं च । पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु, धीरं विलोकयति चाटुशतैश्व भुते ||
‘ આ માણુસ રેાટલીના ટુકડા આપશે એવી આશામાં કૂતરા પૂંછડી હલાવે છે, પગે પડે છે, જમીન પર પડીને પેાતાનાં મુખ અને પેટ બતાવે છે, ત્યારે ગજરાજ( હાથી ) ખાવા માટે આણેલા રાટલાઓ તરફ ધીરેથી જુએ છે અને સેકડો કાલાવાલા કર્યાં પછી ખાય છે. ' હાથીને ખવરાવવામાં કેટલી મહેનત પડે છે અને કૂતરા એક રોટલીને ટુકડા હાથમાં રાખનારની પાસેથી તે મેળવવા સારુ કેટલી ગેલ કરે છે તે બન્ને વચ્ચેના તફાવત જેઓએ અવલેાકન કરીને જોયા હશે તે આશા કરનાર અને નહિ કરનારની સ્થિતિનું અંતર ખરાબર સમજી શકશે; અને એવી રીતે જ્યાં ત્યાં રખડ્યા કરે છે છતાં ઘેર ઘેર ભટકનાર કૂતરાને કોઇ જગ્યાથી લાકડીના માર અને કાઇ જગાએથી ‘ હુડ હુડ ’ના અવાજો સાંભળવા પડે છે. આશાધારી માનવીએની બરાબર આવી જ સ્થિતિ છે. ફાંટાદાર મગજવાળા શેઠીઆઓ પાસે નિજ ગુણુની સ્વમુખે કથા કરવી, પર્વત પર્વતે અને જંગલે જંગલે આશામાં રહી રખડવું, ન કરવા ચોગ્ય ધંધા કરવા, વિગેરે અનેક વિટંબણાઓ સહન કરવી, અનેક ફાન મચાવી મૂકવાં અને છતાં ઘણાખરી વખત કૂતરાના જેવી સ્થિતિમાં રહેવું–આમ આપણે બહુધા જોઇએ છીએ. આત્મસ્વરૂપથી ભિન્ન જડ વસ્તુની આશા કરનાર મનુષ્યની આવી સ્થિતિ થાય છે.
આશાધારીની ઉપર પ્રમાણે સ્થિતિ જાણવી. હવે જે આશીનાવ તજીને આત્મઅનુ ભવરૂપ રસમાં આસક્ત થાય છે તેને કેવા આનંદ થાય છે તે બતાવે છે. તેને પ્રથમ દરજ્જે તા નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે આત્માનુભવ થતી વખતે તે પરવસ્તુ સાથેના પોતાના સંબંધ વિવેકપૂર્વક વિચારી શકે છે અને તે સંબંધની અનિત્યતા અને સ્વરૂપથી ભિન્નતા જ્યારે તેના ધ્યાનમાં આવે છે ત્યારે તે કંઢ પણ સ્વથી અન્ય( વસ્તુ અથવા પ્રાણી )ની આશા ન રાખવાના નિશ્ચય કરે છે અને આ પ્રમાણે અન્યની આશા ન રાખવાના વિચાર સાથે આ જીવને આત્માનુભવના રસ જામે છે, તેમાં તેનું રિસેકપણુ થાય છે અને છેવટે તેમાં તે તલ્લીન થાય છે. આ આત્માનુભવરસનું પાન કરવાથી તેના કેફ્ ચડે છે, ાિનું પાન કરવાથી જેમ કેફ ચડે છે તેમ; પણ મદિરાપાન અને અનુભવરસના પાનમાં એક મેટા તફાવત છે અને તે એ કે મદિરાપાન કર્યાં પછી ઘેાડા વખતમાં તેના કેફ ઉતરી જાય છે ત્યારે હાથ-પગ તૂટે છે, શરીર શિથિલ થઈ જાય છે અને કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org