SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 1 આનધનનાં પા સ્થળ જગની ઘટના આશા પર બંધાયદી છે. દરિદ્ર સ્થિતિના માણસ ધન મેળવવાની આશા રાખે છે, કુવારા સ્ત્રી મેળવવાની આશા રાખે છે, વિરહી શ્રી પતિને મળવાની આશા રાખે છે, મરણુ કાંઠે સૂતેલે પ્રાણી સાજો થઇ જવાની આશા રાખે છે. આવી રીતે અનેક પ્રકારના આશાસૂત્રથી બંધાયેલેા આ જીવ અધમ સ્થિતિમાં હાય છે તે પણુ સંસાર તરફ ખેંચાતા જાય છે, તેને વળગતા જાય છે, તેને ચાટતા જાય છે. એક આશાને તાએ રહીને એટલાં ( અ )કાર્યાં કરે છે કે તેની ગણતરી કરી શકાય નહિં. આ આખા પદ્મ પરથી જણાશે કે નવીન સ્થળ વસ્તુ મેળવવાની તૃષ્ણા અને તે પ્રાપ્ત થશે એવી આશાને લીધે સ'સારદાવાનળથી અતિ તમ થયેલેા પ્રાણી પણ સ'સારમાં રાજીખુશીથી સખડ્યા કરે છે. ૩૪ આશાનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યુ` છે કે “ જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી રહે છે તેમ તેમ મેથિ વધારે દૃઢ થતી જાય છે. જો આશાને રોકવામાં ન આવે તે તૃષ્ણાની સાથે તે પણ આખા વિશ્વમાં વધારે વધારે પ્રસાર પામતી જાય છે અને તેના પાયા દૃઢ થયા પછી તેને કાપવી મુશ્કેલ થઇ પડે છે. આશા જો શાંતિને પામી જાય તે મનાવાંછિત સર્વ આત્મીય કાર્યો સિદ્ધ થાય છે અને જો તેમ ન થાય તે આ ભવસમુદ્ર દુસ્તર થઈ જાય છે. યમ, નિયમ વિગેરે પ્રશમ સામ્રાજ્યને તથા સધરૂપ સૂર્યને રોકનાર આશા જ છે. જેઆ વૃદ્ધિ પામતી આશાને રોકી શકતા નથી તે મેક્ષ પ્રાપ્તિ માટે નકામા શ્રમ કરે છે. આશા ઇંદ્રિયાને ઉન્મત્ત કરનાર છે, આશા વિષની વેલડી છે અને આશાને લઈને જ પ્રાણીને સર્વ દુઃખા પ્રાપ્ત થાય છે. જે ભાગ્યવાન્ પ્રાણીઓ આશા રાક્ષસીને હુી નાખે છે તે આ મહાટ્ટુઃખથી ભરપૂર સસારસમુદ્ર તરી જાય છે. જેઓને આશા હોય છે તેઓને મનની શુદ્ધિ પણ રહેતી નથી તેથી સર્વ આશાના ત્યાગ કરીને જે નિરાશીભાવનું અવલંબન કરે છે તેનું મન પોલિક પદાર્થોના સંગ કરતું નથી અને તેથી તેના પર જે વિજય મેળવે છે તેને સત્ય જ્ઞાન, ચારિત્રપાલન, વિવેક, તત્ત્વનિશ્ચય અને નિમત્વપણું પ્રાપ્ત થાય છે, પણ જ્યાં સુધી આશારૂપી દાવાનળ હૃદયમાં બળ્યા કરે છે ત્યાં સુધી મહાદુ: ખદાવાનળની શાંતિ થતી નથી. દેવાના સ્વામી ઇંદ્ર સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરીને પણ જો વિશેષ પ્રાપ્તિની આશાથી બુદ્ધ હાય તે વાસ્તવિક રીતે તે જરા પણ સુખી નથી. નિરાશભાવ ધારણ કરનાર પ્રાણીનુ અંતઃકરણુ ચપળતા છેડી દે છે, તેના ઇંદ્રિયહસ્તી વિક્રિયાને તજી દે છે અને તેના કષાયઅગ્નિ શાંતિ પામે છે, ” ( જ્ઞાનાણું વ-પ્રકરણ સત્તરમું) પૂજ્યપાદ શ્રીમદ્ઘશેાવિજયજી જ્ઞાનસારના બારમાં નિઃસ્પૃહાષ્ટકમાં લખે છે કે “ પોતાના સ્વભાવ-નિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યેગ્ય નથી. એવી રીતે આત્મઐશ્વય થી સપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાથના કરે છે, ઘરે ઘરે મિક્ષા માગે છે, પરંતુ અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy