SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ અવીસમું પદ કરે ત્યારે જ સંસારને પાર પમાય છે. આ સ્વરૂપ બહુ મનન કરી, વિચારી હૃદયમાં ઉતારવા યોગ્ય છે, વર્તનમાં લાવવા યોગ્ય છે અને ખાસ અનુભવવા ગ્ય છે. પદ અઠ્ઠાવીસમું રાગ આશાવરી. આશા સોની ના શાને? યાર સુધાત . શાશા भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी; સાતમ નુભવ રસ રસીયા, કતરે ન જાદુ ઘુમાર. શાહ ? પારકાની આશા શું કરવી? જ્ઞાનઅમૃતરસનું પાન કરવું (એ કર્તવ્ય) છે. આશા ધારણ કરનારો-આશાને વશ પડેલો કૂતરો લોકોને બારણે બારણે રખડે છે (પણ) જે આત્મઅનુભવના રસમાં રસિક જીવે છે અથવા જે તેમાં મગ્ન-તલાલીન થઈ ગયેલા જો છે, તેને તેના મસ્તકને) કેફ કદિ ઉતરતો જ નથી.” ભાવ–આ પદના સંબંધમાં એક એવી દંતકથા ચાલે છે કે-શ્રી આનંદઘનજી મહારાજ જેનું નામ લાભાનંદ હતું તેઓ એક શહેરમાં મારું સ્થિત રહ્યા હતા. ત્યાં એક શ્રાવક તેમની બહુ વૈયાવરચ કરતે હતે, તેઓને આગ્રહ કરી આહાર વહોરવા લઈ જતું હતું, જરૂરી કપડાં પણ વહોરાવતા હતા અને ઘણે વખત તેમની પરિચર્યામાં કાઢતો હતો. વળી તે ઉપાશ્રયને શેઠ પણ હતો એમ કહેવાય છે. પર્યુષણ પર્વના વખતમાં એક દિવસ તે પૂજામાં સવારે જરા વધારે રોકાઈ ગયે. વ્યાખ્યાન શરૂ કરવાને વખતે કેઈ શ્રોતાએ યાદ આવ્યું કે અમુક શેઠ હજુ પધાર્યા નથી, પૂજામાં છે તે તુરતમાં આવશે; પણ નિર્ણય કરેલા વખતે શ્રી આનંદઘનજી મહારાજે તે વ્યાખ્યાન શરૂ કર્યું. પર્યુષણનાં વ્યાખ્યાન અખંડ સાંભળવાની સ્વાભાવિક ઈચ્છાવાળે તે શેઠ પા કલાક પછી આવ્યો એટલે તેને જરા ખેદ થયે. વ્યાખ્યાન પૂરું થયા પછી તે બેલી ગયો કે “ સાહેબ ! આ સેવક પર જરા દયા કરી સહજ વ્યાખ્યાન ભાવવું હતું. ગુરુ કંઈ પણ બોલ્યા નહિ ફરી વાર એ ને એ જ વાત કરતાં તે શ્રાવકે કહ્યું કે “સાહેબ ! હં કપડાં પહેરાવું છું, આહાર વહેરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું તે તે ધ્યાનમાં રાખવું હતું.’ આનંદઘનજી બોલ્યા: ‘ભાઈ, આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં ” એમ કહી કપડાં ઉતારી નાખી જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં જઈ આ પદ પ્રથમ બનાવ્યું. ઉપાશ્રય તે શેઠને હોવાથી તેને ત્યાગ કરી દીધેઆવી દંતકથા છે. ૧. એરનકી=બીજાની. કયા શી ? કીજે કરવી. સુધાર=અમૃતરસ. પીજે–પી. ભટકે=ભટકે છે, રખડે છે. દ્વાર દ્વાર=બારણે બારણે. લોકનકે લેકેનાં. કૂકર કૂતર. આશાધારી=આશાને વશ રહેલો. રસીયા તેમાં રસિક છે. કબ=કોઈ પણ વખત, ખુમારી ધુમવાપણું, કેફ. Jain Education International ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy