________________
સત્તાવીસમું પદ
૩૦૧ જળમાં શોધવા જશે તો એમાં કાંઈ વળવાનું નથી, એવા બહિરાત્મભાવમાં તે આ ચેતન અનેક વખત વર્યો છે, પણ તેનું એક પણ વાસ્તવિક કામ થયું નથી, પરંતુ જ્યારે તમારા હૃદયકમળમાં રહેલ અંતરાત્માની શોધ થશે, મનને વૈરાગ્યાદિથી નિર્મળ કરી તેમાં
જ્યારે આત્મસ્વરૂપનું પ્રતિબિંબ જોવામાં આવશે ત્યારે તેની ગંભીરતા તમારા લક્ષ્યમાં આવશે. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી ધર્મનાથના સ્તવનમાં કહે છે કે –
દોડતા દોડતા દોડતા દોડી, જેતી મનની રે દેહ-નજિનેસર; પ્રેમપ્રતીત વિચારે ટુકડી, ગુરુગમ લેજો રે છેડ-જિનેસર.
ધર્મ જિનેસર ગાઉ રંગશું. એ નિયમ પ્રમાણે આ તે આત્મસ્વરૂપ શોધવાની ઉલટમાં મન જ્યાં જ્યાં દોડાવે ત્યાં ત્યાં દેડ્યો જ જાય છે, અટક્તો નથી; પણ હે બંધુ ! તારે આત્મસ્વરૂપ સમજી આ બહિરભાવ ત્યાગ કરવો હોય તો સદ્ગુરુ પાસેથી તેનું સ્વરૂપ સમજી તારા પિતાની પાસે જે પ્રેમની પ્રતીત થાય તેમ છે તે જરા વિચારીને જે.
અંતરાત્મભાવ પ્રાપ્ત કરવાની અત્ર કુંચી બતાવી છે. હદયકમળને વૈરાગ્યરૂપ શુદ્ધ જળથી સાફ કરી તેની ઉપર રમણ કરતા સત્, ચિત્ અને આનંદસ્વરૂપ ભ્રમરાને શોધ, એને શોધીને તન્મયપણે–તપ વિહાર કરવો એ અંતરાત્મભાવ છે. ઉપર ઉપરથી “રામ રામ” કે બીજા કોઈ પણ જાપ કરવામાં આવે તેમાં કાંઈ પણ વળવાનું નથી, મતલબ એથી કદાચ સહજ પુણ્યપ્રાપ્તિરૂપ લાભ થાય તો તે કાંઈ બિસાતમાં નથી. કમનશીબે આવી રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓમાં પિતાના મતને માટે એટલે બધો આગ્રહ થઈ જાય છે કે પછી તે અન્ય મતમાં સત્યનું કાંઈ સ્વરૂપ કે અંશ છે એટલું પણ દેખી શકતા નથી, એટલેથી પણ ઘણી વાર અટકતું નથી, પણ પછી ધર્મ, મત કે પંથને નામે અનેક પ્રકારની લડાઈઓ કરવામાં તેઓ ધર્મ માની બેસે છે અને એવા ધર્મિષ્ઠ ગણાતા સામાન્ય રીતે સાત્ત્વિક પ્રકૃતિના દેખાતા માણસો પણ ધર્મને નામે એવા ઝગડામાં ઉતરી જતા જણાય છે કે પછી ધર્મ પણ એક પ્રકારની દુનિયાદારી જ થઈ જાય છે. આર્યાવર્તને ધાર્મિક ઈતિહાસ લખવામાં આવશે ત્યારે આવા મતઆગ્રહથી દેશ કેટલે બધે પછાત પડી ગયા છે તે જણાશે. વર્તમાન સમયમાં પણ ઘણા નાના મોટા ઝગડાઓ ધર્મને નામે થાય છે. આ ઝગડાઓમાં વિશેષ ખરાબ તત્ત્વ એ છે કે તે ઝગડો કરનાર લેકે તેમ કરતી વખતે ધર્મ કરતા હોય એમ માની લે છે. આથી બહિરાત્મભાવમાંથી ઊંચા આવવાને જે એક જ પ્રસંગ-નિમિત્ત છે તે તેઓ ગુમાવી બેસે છે.
શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે કહે છે કે આ સર્વ વૃથા આળપંપાળ છે તે છોડી દે, એ સર્વ એક પ્રકારને સંસાર છે એમ સમજો, એ સર્વ મતઆગ્રહમાં આશાન દાસપણું છે એ વિચારે, એમાં માત્ર પોતાનું પેટભરાપણું છે તે વાત હૃદયમાં ધ્યા અને તેવી સ્થિતિને ત્યાગ કરવા નિશ્ચય કરે અને હૃદયકમળમાં આનંદબ્રમરને શેધી તેની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org