________________
૩૦૦
શ્રી આનંદઘનજીનાં પદો ભાવ-પક્ષીનાં પગલાને જે આકાશમાં શેધે છે અથવા માછલાનાં પગલાંને પાણીમાં શોધે છે તે પ્રાણુને દેખીતી રીતે મૂર્ખ—ગાંડો-બેવકુફ સમજવો. જમીન ઉપર મનુષ્ય અથવા તિર્યંચનાં પગલાં જ્યારે તે ચાલે છે ત્યારે પડી રહે છે અને સારો પગી હોય છે તો તેને તે શેધી શકે છે, પણ તેથી તે જ નિયમને અનુસરીને જે માછલાનાં પગલાંને જળમાં અથવા પક્ષીનાં પગલાંને આકાશમાં શોધવા જાય છે તે તેને તે મળી શકતાં નથી, કારણ કે તેનાં પગલાં પડી રહેતાં નથી, તેવી જ રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓ અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે બહિરાત્મભાવમાં પણ પરમાત્મદશાનાં પગલાં લેવા પ્રયાસ કરે છે, પણ તે પ્રયત્ન મિથ્યા છે. બહિરાત્મભાવમાં જે વસ્તુ નથી તે શોધવાનો પ્રયાસ કરવો એ ખગપદ ગગનમાં અથવા મીનપદ જળમાં શેધવાના પ્રયાસ પેઠે પ્રયાસ કરનારની બેવકુફી જ બતાવે છે. ઉપર ઉપરથી “રામ રામ” બોલ્યા કરવું અથવા “અહ” અહં અને ઉચ્ચાર કરે અથવા અંતરસ્વરૂપ સમજ્યા વગર વિચાર કરે કે અમુક ક્રિયા કરવાથી લાભ શું? અથવા અમુક પ્રકારના શિથિલ વિહારીને વાંદવાથી શું લાભ થવાને છે ? અથવા “જે જે ” કરતા મંદિરોમાં ભટક્યા કરવા જેવા સવાલે ઉપર વિચાર કર્યા કરવા એમાં એકંદર રીતે કાંઈ લાભ થતો નથી. આવા બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણુઓ ઘરમાં બેઠા બેઠા વાતો કર્યા કરે છે કે આમ કરીએ તો આમ થાય અને આમ ન કરીએ તો આમ ન થાય. કાંઈ કરવું નહીં અને મોટી મોટી વાતો કર્યા કરવી અને તે પણ બીજા માણસોના સંબંધી કર્યા કરવી. પિતાને જાણે તે વાત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જ ન હોય, પિતાને જાણે તે વાત અથવા તેના નિર્ણય સાથે કશું લાગતુંવળગતું ન હોય એવી રીતે પોતાની જાતને અળગી રાખી વાત કરવી અથવા કઈ પણ ક્રિયા, વ્રત, પૂજન કે ધ્યાનનો હેતુ સમજ્યા વગર માત્ર એક દુનિયાદારી કરવી, ધર્મને નામે દુકાન ચલાવવી, આશાદાસીના દાસ થઈને રહેવું-એ સર્વ બહિરાત્મભાવ છે. આવી સ્થિતિમાં રહી જ્યાં વાસ્તવિક રીતે “ધર્મ' જેવું કે સાધ્યસ્વરૂપની વાનકી જેવું પણ કાંઈ હોતું નથી ત્યાં ધર્મ માની ચાલ્યા જાય છે અને એવી ઉપર ઉપરની બહિર વાતમાં જ આયુષ્ય નિર્ગમન કરે છે “ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ જિનેસર” આવી રીતે ધર્મ તરીકે માનેલી ક્રિયાને મર્મ સમજ્યા વગર બહિરાત્મભાવમાં પડી રહી પોતાની જાતને બેવકુફમાં ગણાવે છે. આવા પ્રાણીઓ બહારથી ધર્મ આવી જવાનું છે એમ સમજી સાધન સાધ્યને વિચાર કર્યા વગર મંદિરમાં, તીર્થોમાં અને આશ્રમમાં ફર્યા કરે છે અને માયાના ફંદમાં ફસાઈ બહિરાત્મભાવમાં મૂઢ રહે છે, પરંતુ જે પ્રાણીઓ પિતાના હૃદયકમળમાં શોધ કરે, ત્યાં શું છે તેથી તપાસ કરે, તેનામાં હજુ માયા-મમતાનાં તરંગે ઓછા થયા છે કે નહિ તેની ગવેષણ કરે અને તેની દશા કઈ બાજુએ હજુ વહન કરે છે તેનું અવલોકન કરે ત્યારે તે કમળ પર રમણ કરતા આનંદસ્વરૂપ ભ્રમરને ઓળખે. તમે ખપદને ગગનમાં અને મીનપદને
Jain Education International
ucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org