SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મેડતા સાથે સંબંધ પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ મને આનંદઘનજીના સંબંધમાં કેટલીક વાત કહી હતી. તેમણે સંપ્રદાયથી સાંભળેલી હકીકત પ્રમાણે આનંદઘનજીનું સાધુઅવસ્થામાં “લાભાનંદ” નામ હતું, તેમની દીક્ષા તપગચ્છમાં થઈ હતી. તેમને જન્મ બુદેલખંડના એક શહેરમાં થયો હતો. તેઓનો વિહાર પાલણપુર તરફ વિશેષ હતો. તેઓ યાત્રા નિમિત્તે શ્રી શત્રુંજય તરફ એક વખત આવ્યા હતા. સર્વથી વિશેષ સમય તેમણે પાલણપુર અને તેની ઉત્તરના વિભાગમાં અને બહુધા મારવાડમાં ગાળ્યો હતો. તેઓ ગછની સાથે બહુ સંબંધમાં રહેનાર ન હતા, અસાધારણ યોગબળ ધરાવનાર અને તદ્દન નિઃસ્પૃહી હતા. શ્રાવકની કે રાજાની આકાંક્ષા કે દરકાર કરનારા નહોતા, ( આ સંબંધી બે વાત તેમણે કહી છે તે હવે પછી નોંધી લેવામાં આવેલી માલુમ પડશે) અને તેઓની ભાષામાં તેઓની જન્મભૂમિની ભાષાની અસર સર્વત્ર જોવામાં આવે છે. આનંદઘનજી જેઓનું નામ લાભાનંદ અથવા લાભનંદી હતું તેઓનો મેડતામાં યશવિજય ઉપાધ્યાય સાથે મેળાપ થયો હતો અને તેઓને સત્યવિજય પંન્યાસ સાથે બહુ સારો પરિચય હતો. બંને મહાત્માઓ સાથે ઘણી વખત રહ્યા હતા અને છેલ્લું ચોમાસું સાથે શ્રી પાલણપુર શહેરમાં કર્યું હતું. આનંદઘનજીનો જન્મ બુદેલખંડમાં થયે હતો છતાં તેઓએ પદમાં તથા સ્તવનોમાં જે ભાષા વાપરી છે તેમાં ફેરફાર ઘણો જણાય છે. પરંતુ બુદેલખંડમાં હિંદી અને મારવાડીના સંકર જેવી જે ભાષા હાલ પણ વપરાય છે તેને મેટો ભાગ પદોમાં દેખાઈ આવે છે અને સ્તવનમાં પણ તેની છાયા સ્પષ્ટપણે પ્રગટ જણાય છે. આટલી હકીકત અને બીજી ત્રણ ચાર હકીકત મને પં. શ્રીગંભીરવિજય ગણિએ આનંદઘનજીના સંબંધમાં કરી હતી. તેમને આનંદઘનજી માટે ઘણે ઊંચે અભિપ્રાય હતો. તેઓનો અભિપ્રાય તથા તેમણે કહેલી વાતો હવે પછી લખી લીધી છે તે પરથી જણાશે કે આનંદઘનજી એક પ્રબળ પ્રતાપી વેગી થઈ ગયા છે. પં. ગંભીરવિજયજી પોતે બુદેલખંડના જ એક ગામમાં જન્મેલા હતા તેથી તેઓ આનંદઘનજીની ભાષા બહુ સારી રીતે સમજી શકતા હતા, તેમ જ સંપ્રદાયથી ચાલી આવતી હકીકત તેઓના જાણવામાં તથા સાંભળવામાં બહુ સારી રીતે આવી હતી. આ સર્વ વિચારનું પૃથકકરણ અહીં કરવામાં આવ્યું છે તે સુએ વિચારવા છે. * કપાચંદજી તેમને ખરતરગચ્છમાં થયેલ હોવાનું જણાવે છે અને તેના ચેલાએ ( ગોરજી ) હાલ હૈયાત છે એમ કહે છે. તપગચ્છમાં આ માત્મા થયેલા હોવાનાં ઘણાં કારણો જણાય છે તે આપ્યાં છે. ખરતરગચ્છ સંબંધી આધારભૂત હકીકત મળશે તો વિચારવામાં કોઈ પ્રકારનો આગ્રહ નથી. હજુ સુધી કુપાચંદજીના કથન સિવાય બીજું એક પણ સાધન ખરતગના અનુમાનને મજ કરે તેવું જણાયું નથી. ગરછ માટે આનંદઘનજીને જ આગ્રહ નહોતે તે પછી તેના સંબંધના લેખમાં આગ્રહ ન જ હવે જાઈએ, તે પણ હકીકત તે જે સત્ય સમજાણી હોય તે જ પ્રકટ કરવી જોઈએ. વિ. ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy