________________
શ્રી આનન્ઘનજી અને તેમના સમય
હકીકત પ્રાપ્ત થઈ શકતી નથી. આપણા ચરિત્રનાયક સંબંધી હકીકત રાસરૂપે કે ચરિત્રરૂપે કાઇએ લખી નથી તેથી આ સંબંધી ઘણુ ખરું અંધારામાં જ રહેવાનુ થાય છે. તેએના સંબંધમાં લેાકેામાં અનેક વાતે ચાલે છે તે પણ એટલી બધી અવ્યવસ્થિત આકારમાં મળે છે, અને તેની તે જ વાતે હેમચંદ્રાચાય તથા બીજા સમર્થ વિદ્વાનેાના સંબંધમાં પણ કહેવામાં આવતી હાવાથી તે વ્યવસ્થિત વાતામાં પણ સત્ય કેટલું છે, અતિશચેક્તિનું અને અસત્યારાપનુ મિશ્રણ કેટલું છે તે તપાસી કાઢવું લગભગ અશક્ય જેવું થઇ પડે છે. ચિરત્ર સંબંધમાં આ મુશ્કેલી તેા કાયમ છે અને તેને માટે શરૂઆતમાં જ રિયાદ કરવાની જરૂર પડી છે. આ મહાત્મા સંબંધી જે હકીકત મળી આવી છે તેમાંની કઇંક અંશે આધારભૂત હકીકત વિચારીએ તે એટલું જણાય છે કે તેઓશ્રીનું સાધ્વવસ્થામાં નામ લાભાન ધ્રુજી હતું. જેમ કપૂરવિજયજીએ સર્વ પદોમાં પેાતાને લેખ દર્શિત કરવા · ચિદાનંદ” એવુ ઉપનામ ધારણ કર્યું છે તેમ આ મહાત્માએ · આનંદધન ’ એવું ઉપનામ ધારણ કર્યું જણાય છે. તેઆના વિહાર મેડતા શહેરમાં અને તેની આસ– પાસ વિશેષ હતા. મેડતા મોટી મારવાડમાં એક જીલ્લાનુ શહેર છે. હાલ તે તે જોધપુર તાળે છે, પરંતુ અસલ ત્યાંના રાણા હતા અને અત્યારે શહેરનાં છ દુર્ગા અને ખડેરા જોતાં તે પૂર્વે બહુ મોટું શહેર હશે એમ જણાય છે. અત્યારે પણ ત્યાં ૧૬ જૈન પ્રાસાદ
છે. લગભગ સર્વે પ્રાસાદ મેટા છે. ગામમાં વચ્ચે એક વિશાળ જૈન મંદિર છે. ગામની અહાર એક ચૈત્ય છે. બીજી બાજુએ એક પડી ગયેલ ખડેરના વિભાગને આનંધનજીને ઉપાશ્રય કહેવામાં આવે છે. જેમ ગાંધારમાં શ્રી હીરવિજયસૂરિનો ઉપાશ્રય બતાવવામાં આવે છે તેમ અહીં શ્રી આનધનજીના ઉપાશ્રય બતાવવામાં આવે છે અને પાટણમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપાશ્રય અને મસીકુડ બતાવવામાં આવે છે. આવા મહાત્માએ એક સ્થાનકે રહે અને અમુક ઉપાશ્રય તેઆને કહેવાય એમ તે જૈન આમ્નાય પ્રમાણે અને નહિ, પરંતુ આટલી હકીકત જ્યારે હજુ સુધી તત્રવાસ્તવ્ય લેાકેા ચીવટથી જાળવી રાખી શક્યા છે અને હેાંશથી બહારના આવનારને સંભારીને જણાવે છે ત્યારે તે ઉપરથી એક અનુમાન થઇ શકે તેવું છે અને તે એ કે, એ મહાત્માએ ઉપરાત ગામામાં અવારનવાર વિશેષપણે આવેલા હેાવા જોઇએ અને તે ગામના લેાકેા પર તેના ખાસ ઉપકાર હાવા જોઈએ. આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીના સ્તૂપ( દેરી ) પણ હતા, પરંતુ હાલ તેની નિશાની મળતી નથી એમ ત્યાંના લાકે કહે છે. મેડતા પૂર્ણ જાહેાજલાલીવાળું શહેર તે કાળમાં હતું અને ત્યાંના લેાકેા બહુ ધર્મિષ્ઠ, ધનવાન અને ઉત્સાહી હતા એમ તે વખતની હકીકત વાંચતા બહુ જગ્યાએ મળી આવે છે. મેડતામાં અનેક મહાત્માઓના દેહાડ્સ થયેા છે. ઘણા આચાર્યાં અને ઉપાધ્યાયને પદવીદાન થયુ છે અને ત્યાં વિહાર પણ ઘણા આચાર્યોએ કર્યાં હાય એમ નોંધાયુ છે. આટલા ઉપરથી મારવાડના અગત્યના એક શહેરના સંબંધમાં આપણા ચરિત્રનાયક વિશેષ આવ્યા હાય એમ અનુમાન થાય છે.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org