________________
ઇતિહાસની આવશ્યકતા
૧૯
વિજયને ક્રિયાઉદ્ધાર કરવાની આજ્ઞા આપી હતી એમ તે જ રાસ પરથી જણાય છે; પરંતુ ક્રિયાઉદ્ધારની આજ્ઞા થયા પછી થોડાં વરસ રહીને તે કર્યાં જણાય છે. સત્યવિજયજીએ પેાતે સૂરિ—આચાર્યની પાટ ન સ્વીકારતાં શ્રી વિજયસિંહસૂરિની પાટ પર શ્રીવિજયપ્રભસૂરિની સ્થાપના કરી અને તેમની આજ્ઞામાં પેાતે રહી સંવત્ ૧૭૨૯માં તેમની પાસે પન્યાસપદવી સોજત ગામમાં લીધી ( પૃષ્ઠ ૧૧૪ સદરહુ રાસ). પંન્યાસ પદ્મ લીધા પછી ક્રિયાઉદ્ધાર કર્યાં હાય એમ મારું માનવું છે. આ સંબંધમાં વિશેષ હકીકતના હવે પછી વિચાર કરવામાં આવશે. અત્ર આટલી હકીકત પરથી શ્રીમદ્ઘશેાવિજયજી તથા સત્યવિજયના સમય નિય કરવાની જરૂર હતી તે સંબંધી મળી શકતી હકીકતા પરથી કાંઈક પ્રકાશ પાડ્યો છે. ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન્ આનંદઘનજીને અતિ મહત્ત્વપૂર્ણ માન આપે તેથી એમ અનુમાન સહજ કરી શકાય છે કે તેઓને સમય અને વય ઉપાધ્યાયજીને સહુકાળ હાવા સાથે કાંઈક પૂર્વ પણ હાવા જોઇએ. આનંદઘનજીનાં અલૌકિક વૃત્તિ, વિશિષ્ટ વર્તન અને ચેાગાભ્યાસ જોતાં તથા તેઓના સંબંધમાં ચાલતી હકીકતા પર વિચાર કરતાં તેઓ વિક્રમ સંવત્ ૧૬૬૦ લગભગ જન્મ્યા હોય અને તેને દેહાત્સગ ૧૭૨૦ થી ૧૭૩૦ સુધીમાં થયેા હાય એમ માનવાના અહુ સંભવ રહે છે. સત્યવિજય ક્રિયાઉદ્ધાર કરી ઘણાં વરસ સુધી આન ંદઘનજી સાથે વનવાસમાં રહ્યા એમ શ્રી આત્મારામજી મહારાજ તેઓના અનાવેલા જૈન તત્ત્વાદશ ગ્રંથમાં જણાવે છે. એ હકીકત પરથી એમ અનુમાન થાય છે કે ક્રિયાઉદ્ધાર પંન્યાસપત્તપ્રાપ્તિ પહેલાં સત્યવિજયજીએ કર્યાં હાય. ક્રિયાઉદ્ધાર કર્યાં પછી મૂળ પાટના સૂરીશ્વર સાથે સત્યવિજયજીને બહુ સારા સંબંધ રહ્યો નથી અને રહ્યો હાય એમ સંભવિત પણ નથી તેથી તેમને પન્યાસપદ ક્રિયાઉદ્ધાર કર્યાં પછી વિજયપ્રભસૂરિ પાસેથી મળે એ સંભવિત ન ગણાય અને ક્રિયાઉદ્ધાર પન્યાસપત્તની પછી કરેલ હેાય તે તે સ ંવત્ ૧૭૩૦ પછી થાય તે પછી આનદઘનજીના દેહાત્સગકાળ ૧૭૩૦ ને બદલે ૧૭૩૫ લગભગમાં મૂકવાની જરૂર પડે છે. આટલી હકીકત ઉપરથી એમ અનુમાન થાય છે કે આનંદઘનજીને સમય સંવત્ ૧૬૬૦ અને ૧૭૩૦ લગભગમાં હતા અને તેમાં આ બાજુએ કે મીજી બાજુએ પાંચ દશ વરસથી વધારે ફેર પડવાના સંભવ નથી. આથી તેઓશ્રી ઈસ્વીસન ૧૬૦૬ થી ૧૬૭૪ સુધીમાં થયા હતા એવા અનુમાન પર આવવાનું થાય છે. સહકારી ઐતિહાસિક બનાવ સમજવા માટે આ ઇસ્વીસનના કાળ પણુ બહુ ઉપયાગી છે તે હવે પછી જાણવામાં આવશે.
જન્મભૂમિ વગેરે
શ્રી આનંદઘનજીની જન્મભૂમિ ક્યા દેશમાં હતી, તે સંસારી અવસ્થામાં કાના પુત્ર હતા, કઇ જ્ઞાતિના હતા, કઇ ઉમરે તેએએ દીક્ષા અંગીકાર કરી, કેાની પાસે અંગીકાર કરી, કેવી સ્થિતિમાં અને વેશમાં તેએ રહેતા હતા તે સંબંધી કાંઇ પણ સીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org