SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રી આનઘનજીનાં પદ્મા સિદ્ધતાનું કારણુ માની રહ્યા છે, એ વગર સિદ્ધિ નથી એમ માની રહ્યા છે, કેાઈ જટા ધારવામાં જ સિદ્ધિ માની બેઠા છે. વળી કાઇક અતસમયે લાકડાના પટ્ટો ધાર્યા વિના સિદ્ધિ નથી એમ માનનારા છે. કેટલાક છતા એટલે પૃથ્વીને ધારણ કરવામાં-ક્ષત્રિયપણામાં એટલે ક્ષતપ્રહારથી શત્રુઓને હઠાવી ગરીબનુ રક્ષણુ કરવામાં સિદ્ધિ છે એમ માની બેઠા છે. રહસ્ય એ છે કે-રાજ્યમાં જે આસક્ત થયા છે તે રાજ્યપણામાં જ મગ્ન રહી તેમાં સિદ્ધિ માને છે. રાજ્ય વગર જગમાં નીતિ કોણ પ્રવર્તાવે અને ચોરાદિક દુષ્ટ જનાથી રક્ષણુ કાણુ કરે? એમ જણાવી રાજ્યથી જ સિદ્ધિ છે એમ માને છે. હવે એ જ દૃષ્ટિથી વિચાર આગળ ચલાવે છે. आगम पढि आगमधर थाके, मायाधारी छाके; दुनियादार दुनिसें लागे, दासा सब आशाके. अवधू० २ “ આગમના અભ્યાસ કરી આગમધારીએ થાકી ગયા છે, માયાવાદીએ ( પોતાના ) વિચારમાં છકી જાય છે અને દુનિયાના માણસા વ્યવહારકામાં લાગ્યા કરે છે આશાના દાસ છે એમ સમજવુ', એ સ "" ભાવ—જિનાગમના અભ્યાસીએ આગમને અભ્યાસ કરી કરીને થાકી જાય છે, પણ જો મતરાગથી મુક્ત થતા નથી તેા તેઓને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કદ્ધિ પણ થતા નથી. અથવા ઉપર જણાવેલા મહધારી, પટધારી, છત્રધારીઓને સમજાવવા માટે આગમધારીએ પ્રયત્ન કરીને થાકી જાય તે પણ તે કદિ સ્વરૂપ સમજવાના નથી; કારણ એ છે કે—સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા મહધારી વિગેરે ઇચ્છા જ કરતા નથી. તેઓ તે પેાતાના મઠમાં આસક્ત રહે છે, તેના ઉપર પેાતાના નિર્વાહ સમજે છે અને તેના અધ રાગમાં મસ્ત રહે છે, જ્યાં સત્ય સ્વરૂપ સમજવાની ઈચ્છા કે પ્રવૃત્તિ નથી ત્યાં ગમે તેટલા પ્રયાસ કે દલીલ કરવામાં આવે તે તે તદ્દન બીનઉપયોગી છે એ સમજાય તેવી હકીકત છે. આગમધારીને અંગે આ બન્ને અથ બરાબર મધબેસતા આવે છે. અથવા આગમધારીએ એટલે વેદાભ્યાસી એવા પણુ અથ થાય છે. તેઓ વેદના અભ્યાસ કરી કરીને થાકી જાય છે પણ અલક્ષ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થ કરવાના એક મુખ્ય નિયમ એ છે કે પ્રચલિત અર્થ ઘટી શકતા હાય ત્યાં સુધી ખેંચીને અન્ય અર્થ ઘટાવવા નહિ, તે નિયમ પ્રમાણે આ અર્થ ખરાબર લાગતા નથી, કારણ કે તેઓ પેાતાનાં શાસ્ત્રને આગમ શબ્દથી ઓળખતા નથી. અને માયાધારી–માયા-પૈસા રાખનારા ધનમાં છકી જાય છે અને તેમાં જ મસ્ત ૨. આગમ=જિનાગમ અથવા વેદ. માયાધારી=માયાવાદી, વેદાન્તી છા=છકી જાય. દુનિસે= વ્યવહારકૃત્યમાં અથવા દુનિયામાં, દાસાĂાકરે. સબ=સર્વે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy