________________
સત્તાવીસમું પદ
૨૯૫ મઠની બહાર હોઈ શકે એમ તેઓના સ્વપ્નમાં પણ આવી શકતું નથી અને બીજા કેઈ અન્ય દષ્ટિબિંદુથી સ્વરૂપ બતાવે તે વિચાર કરવાની પણ દરકાર વગર તેને હડધૂત કરી નાખે છે. મઠમાં મગ્નપણું એટલી હદ સુધી થઈ જાય છે કે એક જ સરખી ધર્મવિચારણાવાળા પણુ બાજુના અન્ય મહંતના મઠનો તિરસ્કાર કરવામાં ધર્મ સમજે છે. એ મઠરાગથી ઉત્પન્ન થયેલું અભિમાનજન્ય ફળ છે જેને પ્રતીકાર બહુ મુશ્કેલ થઈ પડે છે.
આવી જ રીતે હે નાથ ! જટાધારી ખાખી બાવાઓ પિતાની જટામાં ગરમ રહે છે, પાટધારી શ્રીપૂ વિગેરે અનેક મતાવલંબીઓ પિતાની પાટમાં જ આસક્ત રહે છે અથવા પાટધારી રાજાઓ પોતાની રાજ્યગાદી–પાટમાં મસ્ત રહે છે અને છત્રધારી દિવાન, સરસૂબા વિગેરે પિતાની છત્રમાં ગરમ રહે છે. એ જટા, પાટ અને છત્રની ગરમીમાં તેઓ એટલા અભિમાનને વશ રહે છે કે ધર્મનું તત્વ શું છે તે તેઓના સમજવામાં કદી પણું આવતું નથી. આટલા ઉપરથી એક વિચારશીલ મનુષ્ય તે ત્યાં સુધી કહી ગયા છે કે ધર્મરણ તારાં નિતં જુઠ્ઠાવાન્ ધમનું ખરું તત્ત્વ તે ગુફામાં ભંડારી દીધું છે. આ ગુફા તે કઈ સમજવી તે વિદ્વાને વિચારવાયોગ્ય છે. વિચારવાથી સમજાશે કે એ ગુફા તે અન્ય કઈ નહિ પણ મતરાગ (દણિરાગ) જવાથી વિશુદ્ધ થયેલ ચિત્તગુહા છે. આ પદ પર વધારે વિચાર કરવાથી એને આશય બરાબર ખ્યાલમાં આવશે. ઉપર ઉપરની હકીકતથી સંતોષ પામનારા અને તત્ત્વતત્વને વિચાર નહિ કરનારા ઉત્કાન્તિની કઈ અવસ્થામાં છે તે હવે વિચારીએ.
ટબામાં આ ગાથાને અર્થે બહુ જૂદી રીતે કર્યો છે તે પણ ખાસ વિચારવા લાયક છે. ત્યાં લખે છે તેને ભાવ આ પ્રમાણે છેઃ–હે આનંદઘન આત્મા ! જગતના જી રામ રામ” એ જાપ કરે છે, એ શબ્દને રટે છે; પણ એને લઈને અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. રામને જ અલક્ષ્યપણે માની લઈ અલયના ઓળખાણની જરા પણ દરકાર કરતા નથી તેઓના મનમાં તે એમ જ છે કે પરમ પદાર્થરૂપ રામનું નામ અમારા હાથમાં આવ્યું છે, હવે અમારે કોઈ કાર્ય કરવાનું બાકી નથી. આ જેન લેકે માત્ર “જિન જિન” કરી રહ્યા છે પણ તેનું સ્વરૂપ સમજ્યા વગર તે ભૂલાવામાં પડ્યા છે; પરંતુ ઢોરા વરિયા લેકે બાહ્ય વસ્તુ ઉપર દૃષ્ટિ રાખનારા જ હોય છે, પણ અલક્ષ્ય સ્વરૂપ સમજવાવાળા તે લાખોમાં એક–એઈ સંતપુરુષ હોય છે. વળી વિષ્ણુમતધારી તેમ જ કબીર ફકીર પણ એમ જ કહે છે. લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ રામનું મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા. આવી રીતે રામ નામનું રટણ કરનાર જગવાસી જીવડાઓ અલખને લખી ન શકે; જેવી રીતે ગે નામ લેવાથી અશ્વત્વ વિશિષ્ટ અશ્વની ઓળખ શુ ન થાય તેમ. મઠવાસી એટલે આવેલા અભ્યાગતની મઠમાં પરિચર્યા કરનાર એવા મકવાસી મઠમાં માતા એટલે મગ્ન થઈ ગયા છે, તેમાં જ રક્ત થઈ ગયા છે. કેઈ વળી જટાને જ જગાવી રહ્યા છે, અંતસમયે સંન્યાસ ધારણ કરે એને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org