________________
૨૯૪
શ્રી આનંદઘનજીનાં પદો વિચારતા નથી, જાણવાની દરકાર કરતા નથી. તેઓ તો ગ્રાફના યંત્રવત્ દશરથ રાજાના પુત્ર રામનું નામ લઈ જાણે છે, પણ તે તિ રામઃ “નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ’ એ ભાવ જાણતા નથી તેમ વિચારતા પણ નથી. સ્વભાવ શું? વિભાવ શું ? નિજ સ્વભાવ શું? પરભાવ શું ? કોને પ્રાપ્ત થાય ? કેમ પ્રાપ્ત થાય? તેનું શું પરિણામ થાય? એને તેઓ ખ્યાલ, તેલ કે વિચાર કરતા નથી, માત્ર મુખેથી રામ રામ બેલી જાય છે. એ રામ શબ્દને કેટલે વિસ્તૃત અર્થ થઈ શકે છે અને પિતાને અને એ શબ્દને શું સંબંધ છે, પિતે તન્મય કયારે અને કેવી રીતે થઈ શકે તેમ છે તેને ઘણાખરા તે વિચાર જ કરતા નથી. કોઈ ભાગ્યશાળી પ્રાણું હોય છે તે જ રામ શબ્દમાં રહેલું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે, જાણી શકે છે. વાત એમ છે કે સામાન્ય વ્યવહારુ માણસે આવા સૂક્ષ્મ આત્મસ્વરૂપને ઓળખ્યા વગર રામ રામ પોપટની જેમ બેલ્યા કરે છે, જ્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જે અલક્ષ્ય છે તે તે કોઈક જ સમજે છે.
(અથવા કોઈ કઈ પ્રાણીઓ અલખને જાગ્રત કરે છે, ઝળી, લંગેટી અને મૃગચર્મ લઈ અલેક અલેક કર્યા કરે છે, પણ અલેક શું છે તે સમજતા નથી. આ અર્થ કરવાને બદલે ઉપર બતાવ્યું તે અર્થ વધારે બંધબેસતા આવે છે. રામ રામ બેલી જનારા તેનું અલક્ષ્ય સ્વરૂપ જાણતા નથી, માત્ર વ્યવહારથી ઉચ્ચાર કર્યો જાય છે.) આવી રીતે લક્ષ્યાર્થ સ્પષ્ટ કર્યા વગર ઉચ્ચાર કર્યા કરે છે તેનું પરિણામ શું આવે છે તે હવે બતાવે છે. અત્ર રામ શબ્દ સંજ્ઞાસૂચક હોય એમ સમજાય છે. કેઈ કૃષ્ણ કૃષ્ણ કરતા હોય, કે ક્રાઈસ્ટને જતા હોય, કેઈ પિગંબરને ભજતા હોય, કેઈ જિનને આરાધતા હોય તે સર્વને અત્ર સમાવેશ કરવો એગ્ય ગણાશે. ખરી રીતે સ્વરૂપજ્ઞાન થવાને અંગે શું દશા થઈ છે તે વિચારવા યોગ્ય છે.
બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક વિગેરે મતવાળાઓ પિતપોતાના મતમાં આસક્ત રહે છે, મસ્ત રહે છે અને અન્ય શું કહે છે તે સમજ્યા વગર, તેના નયની અપેક્ષા ધ્યાનમાં લીધા વગર, વગર સમજે તેના પર આક્ષેપ કરવા મંડી જાય છે અને પિતે સત્યસ્વરૂપ પરમાત્માના મુખમાંથી નીકળી પડ્યા છે એમ માનવા લાગી જાય છે, એટલું જ નહિ પણ અન્ય મતને હલકે પાડવામાં, તેઓની સાથે લડાઈ કરવામાં અને તેઓની નિંદા કરવામાં ધર્મ સમજે છે. પિતાના મનમાં એટલા છકી જાય છે કે પરમસહિષ્ણુતા શું છે તે તેઓના વિચારપથમાં પણ આવતું નથી. આવી જ રીતે મઠધારીઓ પિતાના મઠમાં આસક્ત થઈ જાય છે. તેઓની દષ્ટિ એટલી ટૂંકી થઈ જાય છે કે પિતાના મઠની બહાર સત્ય હોઈ શકે એમ તેઓના વિચારમાં પણ આવી શકતું નથી. શંકરાચાર્યના શૃંગેરીમઠ, શારદાપીઠ વિગેરે મઠે છે તેમ જ દુધરેજના મહંત, સ્વામીનારાયણના વડતાલ, ગઢડા વિગેરેના મઠ અને બીજા અનેક મઠો હોય છે. આ મઠને આશ્રય કરનારા અને તેમનો અનુયાયી વર્ગ ધર્મસર્વસ્વ પિતાના મઠમાં જ આવી ગયું હોય એમ માની લઈને ચાલે છે. ધર્મનું સત્ય સ્વરૂપ
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org