SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી આનંદઘનજીનાં પદો દર્શન એ પણ અર્થ થઈ શકે, પણ તે કરતાં પદના ભાવ સાથે ઉપર લખ્યો તે અર્થ વધારે બંધબેસતો આવે છે. જ્ઞાન એટલે ગુરુદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન એ અર્થ ટબાકાર કરે છે તે પણ પ્રસ્તુત વિષયને અનુરૂપ છે. વળી નિરંજન નાથનું ભજન આવી રીતે થાય છે તે પણ હું જાણતો નથી. મહાત્માના ભજનમાં એકતાન થઈ જવાથી છેવટે તન્મય–તકૂપ થઈ જવાય છે એવી વિશુદ્ધ ચિત્તવૃત્તિ કરતાં મને આવડતી નથી અને તે માટે ભજન ગુણગાન કરતાં પણ આવડતાં નથી. તેમજ પાઠાંતરે હે નાથ ! આપના પરમાત્મપદનાં અનેક નામ છે, હજારો કરડે અનંત નામે છે, દરેક ગુણ આપના નામ સાથે જોડી શકાય તેમ છે અને મારા સાંભળવા પ્રમાણે આપનામાં અનંત ગુણો છે, પણ તેનાં નામે પણ હું જાણતો નથી. એ નિરંજન પદનાં આટલાં નામે છે એમ જાણતો હોઉં તે તે પદનું રટણ કરી, તેને અર્થ વિચારી, તેનું સ્વરૂપ સમજું અને તેને જાપ કરું પરંતુ તે પણ હું જાણતો નથી. આવી રીતે હે નાથ ! હું ગાઈ બજાવી જાણતો નથી, આપને ઓળખતે નથી, કળાચાતુર્ય વગરનો છું, વરૂપના યથાસ્થિત બોધ વગરનો છું અને પરિણામધારા અને વલ્લાસથી ભક્તિભાવ રહિત છું. આવો હું ગુણહીન છું, ગુણની પીછાન વગરને છુ અને ગુણની ગણત્રી પણ કરી શકું તે નથી. ત્યારે હવે મારે શું માગવું? અને કેવી રીતે માગવું? મારે તે પ્રથમ પ્રભુપદ માગવું કે ગાયનવિદ્યા વિગેરે મારામાં નથી એ સર્વ માગવું. હે નાથ ! આ પ્રમાણે વિચાર કરતાં મારો પાર આવે તેમ જણાતું નથી, તેથી હું તે આનંદઘન પ્રભુના મંદિરના દ્વાર પાસે ઊભે રહીને આંટા મારું છું, મને અંદર પ્રવેશ કરવાને તે અધિકાર નથી, પણ બહાર પહેરો ભર્યા કરું છું અને અંદર દાખલ થવાની દઢ ઈચ્છા રાખ્યા કરું છું અથવા “મને મળે, મને મળે” એ પ્રમાણે આપનું રટણ કર્યા કરું છું, જાપ કર્યા કરું છું. આવી રીતે પ્રભુના દ્વાર પાસે રટણ કરવું એ પણ ગુણનું ધામ છે, ગુણપ્રાપ્તિનું કારણ છે એમ મેં સાંભળ્યું છે. જ્યારે મને અંદર પ્રવેશ કરવાનો અધિકાર નથી અને શું માગવું અને કેમ માગવું તે મને આવડતું નથી ત્યારે એક સ્થળ જ્ઞાન તરીકે મેં આ માર્ગ સ્વીકાર્યો છે કે–પ્રભુના મંદિર પાસે આંટા માર્યા કરવા અથવા તેમનું રટણ કર્યા કરવું. આવી રીતે દઢ ભાવનાથી એક વસ્તુને ઈરછતા ઈચ્છતા કેઈ દિવસ તેને એગ થઈ જશે, કારણ કે વસ્તુપ્રાપ્તિનો કાર્યક્રમ એ જ છે. શ્રીઆનંદઘનજી મહારાજના આખા પદનું રહસ્ય ઘણે ભાગે છેલ્લા પાદમાં હોય છે એ અત્ર પ્રત્યક્ષ જણાય છે. રટણ કરવાની બાબત કથિતાથ છે. પિતાની લઘુતા, ગુણહીનતા બતાવી પણ છેવટે માગવાનું શું છે તે બાબત વ્યક્ત થતી નથી, છતાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી દઢ ઈરછાને અંગે પ્રભુપદનું રટણ કરવાનો માર્ગ શોધી કાઢે છે. પ્રભુ નામનો જાપ કરતાં કરતાં તેને છેવટ ઓળખી શકાશે અને પછી તેને અને પિતાને અભેદભાવ સમજાતાં છેવટે મંદિરમાં પ્રવેશ થઈ શકશે તે તાવિક અર્થ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy