SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું પદ ૨૯૧ હે નાથ ! ટૂંકામાં કહું તે હું આપને વાસ્તવિક રીતે એળખતા જ નથી. આપના સ્વરૂપનું મને ભાન નથી. અરે ! આપ ટાઢા છે કે ઉના છે, શીતળ છે કે ગરમ છે તે પણ હું જાણતા નથી. મતલબ આપને વણુ, ગંધ, રસ, સ્પર્શાદિ છે કે નહિ તેનું પણુ મને જ્ઞાન નથી, તમે નિર ંજન નિરાકાર છે કે ગરમ ઠંડા છે તે પણ હું જાણુતા નથી તેથી આપની પાસે હું શું માશુ' ? અથવા આત્માનેા કર્માંતાપ મટાડી દઈ તેને શીતળ કરે એવાં હિતકાર્યાં ક્યા છે તે હું જાણતા નથી તેમજ આત્મ અહિત કરનાર પ્રાણાતિ પાતાદિ આશ્રવ છે તેને પણ હું જાણુતા નથી. મતલબ આત્માને શીતળ અથવા ગરમ બનાવનાર પદાર્થાંના મને વિવેક હજી થયા નથી. મારા પ્રભુ ! મારા અંતર્યામી ! મારી આવી સ્થિતિ છે તેથી આપની પાસે હું કેવી રીતે અને શેની યાચના કરું તે હજી હું વ્યક્ત રીતે મારા મનમાં સમજતેા નથી. નાથ ! ગુણુડ્ડીન તરફ દયા કરે, કુપા કરા, ષ્ટિ નાખા. આ ग्यान न जानुं विग्यान न जानुं, न जानुं भजनामा (न जानुं पदनामा ); आनंदघन प्रभुके घरद्वारें, रटन करूं गुणधामा. अवधू० ४ “ મારામાં યથાસ્થિત વસ્તુગ્રાહી ઉપયાગ નથી, વિશિષ્ટ કળા હું જાણતા નથી અને આપનાં ભજનો કરવાની રીતિ હું જાણતા નથી અથવા તેા નિરંજન પદ્મનાં નામે મને આવડતાં નથી; આથી હું તેા આનંદસમૃદ્ધ પરમાત્માના મંદિરના દ્વાર પાસે ભમ્યા કરું છું અથવા દ્વાર પાસે ઊભા રહી પ્રભુનુ રટણ કરું છું જે રટણ ગુણેાના ધામ(સ્થાન)રૂપ છે. ” ભાવ—હે નાથ ! મારામાં યથાસ્થિત વસ્તુગ્રાહી ઉપયાગ નથી કે જેથી પ્રત્યક્ષ ઉપયોગથી આપનાં દર્શન કરું, આપના ગુણુની પ્રતીતિ કરૂં અથવા તેા પરાક્ષ ઉપયાગથી મતિશ્રુતદ્વારા આપનાં દર્શન કરું. સામાન્ય ઉપયોગથી આપનું ખરાખર જ્ઞાન થતું નથી અને તેથી વારંવાર માગ પરિભ્રષ્ટ થયા કરું છું. જે વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે તેનું મને સર્વાંશે જ્ઞાન નથી તેથી હું તેને કેવી રીતે સ્પષ્ટ-વ્યકત કરું? તેમ જ હું નાથ! મારામાં કોઈ ખાસ કળા પણ નથી કે જેથી તદ્વ્રારા આપને એળખું. ચિત્રકળા, લેખકળા, વાદ્યકળા, શિલ્પકળા એ સવ વિજ્ઞાન કહેવાય છે. જો મને ચિત્રકળા આવડતી હોય તે આપનુ ચિત્રામણુ કરી આપને વ્યક્ત કરું, આપના ગુણગ્રામ લખતાં આવડતા ાય તે તેમ કરી આપને ઓળખું, એવી રીતે સ કળા માટે સમજવું; પણ મને તે એ કામને ઉપયાગી થાય તેવી એક પણ કળા આવડતી નથી ત્યારે મારે આપની પાસે શું મુખ લઇને માગવુ ? અથવા જ્ઞાન એટલે સામાન્ય દર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ ૪ યાન=વિશિષ્ટ વસ્તુગ્રાહી ઉપયોગ અથવા સામાન્ય દર્શન. વિગ્યાન=કળા, અથવા વિશેષ દન. ભજનામા=ભજન કરવાની રીતિ. પ=નિરંજન ૫૬. દ્વારે=આંગણામાં, બારણામાં. રટન કરું=ભમું, જપુ. ગુણધામા ગુણેાનું સ્થાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy