SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું પદ ૨૮૯ ગુણનું ગાન કરું, તમારા ગુણોનું કાવ્ય બનાવું અને તદ્દદ્વારા તમારા ગુણોની યાચના કરું. આ પ્રમાણે મારી સ્થિતિ છે તેથી હે પ્રભુ ! હું તે આપની પાસે હજુ આ જ્ઞાન, વિજ્ઞાન કે જે આત્મજ્ઞાન કરવાનાં સાધન છે તે માનું કે આપના ગુણ માગું? હું તે કેવી રીતે માગું? શું માગું? ખરેખર ! હું મા ભ્રષ્ટ થયેલો છું. મને શું કરવું તેનું ભાન નથી. હે મારા નાથ ! મને આપ બરાબર માર્ગપ્રતીક્ષા કરો. जाप न जानुं जुवाब न जानु, न जानुं *कथवाता; भाव न जाणुं भगती न जाणुं, जानुं न सीरा ताता. अवधू० ३ આપને જાપ જાણતા નથી, (આપ સંબંધી પ્રશ્નને ) જવાબ પણ જાણતે. નથી, ( ઉત્તમ પુરુષ-મહાત્મા) કથિત આપની વાત જાણતા નથી; અથવા કથા-વાર્તા જાણતો નથી, રુચિ જાણતા નથી, ભક્તિ( ન ભેદ) જાણતા નથી અને શીતળ ગરમ શું છે તે પણ જાણ નથી.” ભાવ-નવકારવાળી આદિ સાધન હાથમાં લીધા વગર મુખેથી પ્રભુનામોચ્ચારણ કરવું તે શાબ્દ જાપ કહેવાય છે અને નવકારવાળીથી અથવા હૃદયમાં કમળ વિગેરેની કલ્પના કરી જાપ કરવો તે માનસ જાપ કહેવાય છે. જે આશ્રવભીતિપૂર્વક ગજ્ઞાન યથાસ્થિત ન થયું હોય તે શેડ વખત જાપ કર્યા પછી પાછું મન ભ્રમિત થઈ જાય છે. જયારે પ્રભુના પદની લય લાગે છે ત્યારે અંતરદવનિ–અજપાજાપ-હંસેહનો અખલિત ઉરચાર ઉઠે છે અને તેનું બરાબર જ્ઞાન ન હોય તો તેમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પણ થાય છે. પ્રાણાયામ વિગેરે તેટલા માટે કાળજ્ઞાન અને શરીરસ્વાથ્ય માટે જ ઉપગના છે એમ શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના પાંચમા પ્રકાશની શરૂઆતમાં કહે છે. એ બાબતને જેને નાદ લાગેલ હોય છે તે કોઈક વાર આત્મસ્વરૂપ જોવાને ભ્રમમાં પડી જાય છે, તેથી ગમાર્ગના સંપ્રદાયી જ્ઞાન વગર જાપમાં હું ઉતરી શકતો નથી. અને હે નાથ ! આપનું સ્વરૂપ માનસ પ્રત્યક્ષ પણ થતું નથી અને જ્યાં સુધી પરમાત્માને માનસિક સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ગમે તેટલો જાપ કરવામાં આવે તો તેનો પરમાત્મદશાપ્રાપ્તિના લક્ષ્યાર્થીને અંગે કાંઈ પણ ઉપયોગ નથી એ સારી રીતે સમજી શકાય તેવી હકીકત છે. વળી અન્ય કઈ મને પૂછે કે–પરમાત્મા કેવા છે? તે આપના સાક્ષાત્ સ્વરૂપનું મને * કવિવાતા એ પાઠાંતર કવચિત છે પણ બીજી ગાથાના છેલ્લા ચરણમાં તે વાત આવી ગઇ છે તેથી અત્ર ઉપરનો પાઠ સમીચીન ગણે છે. “કર વાતો' એવો પાઠ છે, તેનો અર્થ કરી જાણતું નથી” એમ થાય છે. ૩ જાપસ્મરણશક્તિ. જુવાબ=જવાબ. કથવાતા ( ઉત્તમ જન) કથિત વા=માર્ગો, કથા અને વાત. ભાવ=રુચિ, પ્રણામ. ભગતીભક્તિ. સીરા તાતા ટાઢા ઉના, ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy