SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી આનાનજીનાં પદ્મા સિદ્ધ થાય. તદપેક્ષયા આત્મિક જ્ઞાન પૂર્ણ કરવા કુરાન, માઇબલ, અવસ્થા વગેરે સવ ધર્મ ગ્રન્થા વાંચી-વિચારી દૃષ્ટિબિંદુ સમજવા આત્મજ્ઞાનીનું પરમ લક્ષ્ય હાય છે. અથવા કિતાબ એટલે બક્ષીસ એ અર્થ લઈએ તે આપની બક્ષીસ કેવી હાય? આપની કૃપા કેમ મળે અને કેવી રીતે મળે ? તે પશુ હું જાણુતા નથી. * હે નાથ ! હું પિંગલનાં લક્ષણા પણ જાણતા નથી કે આવા અક્ષરસયાગથી અમુક વૃત્ત થાય કે આ છંદ માત્રામેળના છે કે એમાં અમુક ગણા આવે છે. વળી ક્યા વૃત્તો સમ છે, ક્યા વિષમ છે વિગેરે લક્ષણા મને આવડતાં નથી કે કવિતા કરીને આપની પાસે ગુણુયાચના કરું, પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કાય; વળી વ્યાકરણ વિના વન્દે, વાણી વમળ ન હેાય ' એ સ્પષ્ટા છે. અથવા છંદ એટલે મનુષ્યામાં વિચિત્ર સ્વભાવના આવિર્ભાવા હાય છે તે હું ખરાબર સમજતા નથી. તેનાં લક્ષણા મારા ધ્યાનમાં નથી અને તેથી તેઓ વિભાવદશામાં પણ કેવી રીતે ગુણ સાથે વર્તે છે તે મારા ખ્યાલમાં નથી. આવી રીતની હકીકત હાવાથી હું આપની પાસે કેવી રીતે ગુણુની યાચના કરું અથવા ક્યા ગુણાની યાચના કરું તે હું સમજતા નથી. વસ્તુની ઘટના હેતુપણાના જ્ઞાનપૂર્વક કરવી તેનુ નામ તર્ક કહેવાય છે. અહીં ધૂમાડો દેખાય છે તે તેમાં અગ્નિ હાવા જોઇએ, કારણ ધૂમાડા અગ્નિનું કાર્ય છે વિગેરે તક કહેવાય છે. તેને અંગે દ્રવ્ય ગુણુ પર્યાયનું જ્ઞાન અને સાથે પ્રમાણ, નય અને ભગસ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે અપેક્ષા વગેરે સમજવાથી આત્માના અવ્યાંમાધપણા આદિના તર્ક વડે આત્મસ્વરૂપનું યથાર્થ લક્ષ્ય થાય છે. એ ઉપયાગની સ્ફુર્તિને તર્ક કહેવાય છે. વળી એક હકીકતને સ્થાપન કરતાં આચાર્ય અને શિષ્યના પરસ્પર પૂર્વ પક્ષ ઉત્તરપક્ષ થાય તે વાદ અને તેના ઉત્તર પ્રતિઉત્તર આપવા તે વિવાદ કહેવાય છે. કુતર્ક ઉઠાવી હેતુ અને પિરણામ વગરના વાદ કરવા તે પણ વિવાદ કહેવાય છે. આ તર્કવાદ અને વિવાદમાંથી હું કાંઇ જાણુતા નથી. આ તવાદ-વિવાદનુ શુષ્ક જ્ઞાન તત્ત્વજ્ઞાનના પાર પામવા માટે ઉપયોગી નથી, કારણ કે શુષ્ક વાદ્ય અને પ્રતિવાદ કરતાં કદ્ધિ પણ તત્ત્વને અંત પમા નથી, એમ ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં કહે છે, પણ હેત્વાભાસવાળી યુક્તિકુયુક્તિથી જ્યારે અન્ય કોઈ લક્ષ્યસ્થાન ઉડાવી દેવા યત્ન કરતા હાય અથવા શાસ્ત્રાનુભવસિદ્ધ વસ્તુની સ્થાપના કરવી હાય ત્યારે શ્રદ્ધામાં સ્થિર રહેવા માટે આ જ્ઞાનની જરૂર છે, કારણ કે તેથી આક્ષેપ કરનાર કે શ્રોતા કઈ જગ્યાએ સ્ખલના કરે છે તે સમજાઈ જાય છે તથા સમજાવી શકાય છે. યથાસ્થિત તર્કના નિયમ પ્રમાણે ચર્ચા કરવી તે વાદ અને વિપરીત વાદ કરવા તે વિવાદ, આમાંનુ હે પરમાત્મા ! હું કાંઈ જાણતા નથી. વળી હું પ્રભુ ! હું કવિનું ચાતુર્ય અથવા તેની કળા જાણતા નથી. નવીન કાવ્યે બનાવવામાં અલંકારના ભેદો, રસના વિસાવા, અનુભાવા, સ્થાયી ભાવા અને તેના વિભેદે જાણવા જોઇએ એ સંતું મને જ્ઞાન નથી કે જેથી હું તમારી કવિતા બનાવી તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy