SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું પદ ૨૮૭ અથવા હે નાથ ! હું આપની પાસે તે સંગીતવિદ્યા માગું કે વાઘવિઘા માગું કે સ્વરજ્ઞાન માગું? આવાં સાધને પણ મને આવડતાં નથી ત્યારે મારે તે આપની પાસે ગુણની માગણી કરવી કે ગુણપ્રાપ્તિનાં સાધનોની માગણી કરવી ? અને મારે ગુણે માગવા તે તે કેવી રીતે માગવા? નીચેની દરેક ગાથાને આવી રીતે પણ અર્થ થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું. वेद न जानुं *किताब न जानु, जाणुं न लक्षण छंदा; તરવા વિવાદ ન નાનું, ન જ્ઞાનું વિધા. વપૂ૦ ૨ “હું વેદ જાણતા નથી, કિતાબ જાણતું નથી, કવિતાનાં લક્ષણ અને છંદ જાતે નથી; તર્કવાદ અને વિવાદ જાણતા નથી તેમ જ કવિત્વકળા જાણતો નથી.” ભાવ-વળી હે નાથ ! સૂર્ય, અગ્નિ અને ચંદ્રથી ઉદ્વરેલા સામ, યજુર અને ઋગવેદ અને ત્રણેથી ઉદ્ધરલે અથર્વ એ ચાર વેદ શ્રીવ્યાસજીએ વિભક્ત કરેલા છે તેમાંથી એક પણ હું જાણતો નથી. હિન્દુ ધર્મશાસ્ત્રને મૂળ પાયે વેદ છે. એની કૃતિના જુદા જુદા અર્થ કરીને અદ્વૈતવાદી આદિ અનેક દર્શને ઉત્પન્ન થયાં છે અને તે એક નયને આશ્રયીને થયેલાં છે. આત્મજ્ઞાન જેને વાસ્તવિક રીતે મેળવવું હોય તેણે પરસ્પર નયાપેક્ષી જ્ઞાનને સારી રીતે સમજવું જોઈએ, કારણ કે અન્ય દર્શનના મૂલભૂત ન વીતરાગ દર્શનનાં અંગ છે. ફક્ત તેઓનું અવધારણ નકામું છે તેથી જ્યાં સુધી એનું જ્ઞાન બરાબર ન થાય ત્યાં સુધી કોઈ વખત એકાંત શ્રદ્ધા થવાથ શુદ્ધ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જવાય છે અને આત્મિક જ્ઞાન પણ અપૂર્ણ રહે છે. આથી વેદમાં શું કહ્યું છે અને તેને અન્ય દર્શનકારે સ્વમતમાં કેવી એક પક્ષદૃષ્ટિથી ખેંચી ગયા છે તે સમજવા યોગ્ય છે. તદુપરાંત પરસ્પરાપેક્ષાવાળા નયસમુદાયના પ્રમાણજ્ઞાનવાનું સમ્યગ્દષ્ટિને ગમે તે ધર્મપુસ્તક લાભ કરનાર થાય છે તે પ્રતીત થાય તેવી હકીકત છે. હે નાથ ! આ ચાર વેદમાંથી એક વેદ પણ હું જાણતો નથી. અથવા વેદ એટલે સ્વરૂપજ્ઞાન એ અર્થ લઈએ તે મને આપના યથાર્થ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન પણ નથી. તે જ પ્રમાણે હે પરમાત્મા ! મને મુસલમાનોનું પવિત્ર ધર્મશાસ્ત્ર કુરાને શરીફ છે તેનું પણ જ્ઞાન નથી. સમુદ્ર જેવા વિશાળ જૈન દર્શનમાં સર્વ દર્શનસરિતાઓ આવી મળે છે અને વિશિષ્ટ બેધવાળાને સર્વ ગ્રન્થમાંથી સાર તુલ્ય રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર–સમયજ્ઞાન થવાથી તેનું અસત્ સ્વરૂપ ભા સમાન થાય ને તેથી જ ઘણે ઊંચે દરજે સત્યની ઉપર રાગ થાય અગર વ્યતિરેક દષ્ટાને માટે તેની જરૂર પડે ને તેથી સ્વમત * કિતાબને બદલે “કહેબ” પાઠ બે પ્રતમાં છે. ર વેદ ચાર વેદ, સ્વરૂપજ્ઞાન, કિતાબ=કુરાન, બક્ષીસ. છંદ પિંગળ, સ્વભાવ, તરકવાદ=ન્યાયશાસ્ત્ર, વિવાદ ઉત્તર પ્રતિઉત્તર કવિફંદા કવિત્વકળા, નવી નવી રચના. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy