SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું પદ ૨૮૫ હે અખંડ સ્વરૂપ ભગવાન્ ! હું ગુણથી રહિત તે (તમારી પાસે) શું માગું ? (તે માગનાર તે) ગુણની ગણતરીમાં પ્રવીણ હોય છે. હું તે ગાઈ જાણતો નથી, બજાવી જાણતો નથી તેમ જ સુરના ભેદ જાણતો નથી; તેમ જ વળી રીઝી જાણતું નથી અને રીઝાઈ પણ જાણતા નથી તથા સ્વરૂપસેવા પણ જાણતો નથી. (ત્યારે હું શું માગું? શા હકે માગું? કેવી રીતે મારું?” ભાવ—સિદ્ધ પરમાત્માની પ્રાર્થના કરતાં શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કેમારા નાથ ! આપનામાં સર્વ ગુણે પ્રગટ થયા છે અને હું તો હજુ સુધી બાહ્યાત્મા જેવા રૂપે વતું છું. મને આપની કૃપાથી સહજ અંતરાત્મપણાને લક્ષ્ય થયે છે પણ હું હજુ સર્વથા ગુણહીન છું, ગુણરહિત છું, મારામાં વાસ્તવિક રીતે એક પણ ગુણ નથી, મારે હજુ બધું કાર્ય બાકીમાં છે અને મારી પાસે કાંઈ નથી. આ ગુણહીન હું આપની પાસે શું માગું? શા હક માગું? કેવી રીતે માગું? હે પરમાત્મા ! મારે આપની પાસે બક્ષીસની માગણી કરવી છે પણ હું કેવી રીતે માગણી કરું ? પ્રથમ તે જે માગનાર હોય છે તે શું માગે છે તેની તેના મનમાં ગણતરી હોય છે, તેને ખ્યાલ સ્પષ્ટ હોય છે અને તેની માગણી અમુક મર્યાદામાં હોય છે. હું તે મારું સ્વરૂપે પ્રગટ થાય અને મને આપનું પદ મળે એવી મેટી બક્ષીસની યાચના કરવા તત્પર થયો છું, પણ આપનામાં ગુણે કેટલા છે, મારા સ્વરૂપમાં શી મહત્તા છે અને કેટલી મહત્તા છે તે ગણવાની તો હજી મારામાં હશિયારી આવી નથી; સંક્ષેપમાં કહું તે મારામાં કઈ કઈ વાતની અલ્પાંશતા છે તે પણ હું હજુ સ્પષ્ટ રીતે સમજી શક્તા નથી, મારે શેને ખપ છે તેનું મને ભાન નથી, મારે તે માગવાનું પણ બાકીમાં છે અને શું માગવાનું છે તેને નિર્ણય કરવાને પણ બાકીમાં છે, ત્યારે મારે માગવું શું? વાસ્તવિક હકીકત એવી છે કે-કઈ કઈ વાર સિદ્ધદશામાં સુખ છે એવી હકીકત સાંભળીને આ જીવને તે મેળવવાની ઈચ્છા થાય છે પણ ત્યાં વાસ્તવિક સુખ શું છે અને અહીંનાં માની લીધેલાં સુખ અને ત્યાંનાં અપ્રતિપાતી સુખ વચ્ચે કેટલું અંતર છે, શો તફાવત છે અને પ્રકારભેદ કેટલું છે એ તે સમજતો નથી. આથી તેને શું માગવું એને ખ્યાલ આવી શકતું નથી. હવે પિતે કેવી રીતે ગુણહીન છે અને પોતાને માગતાં કેવી રીતે આવડતું નથી તે બન્નેને હકીક્ત સાથે બતાવે છે. હે પરમાત્મા ! મારા નાથ ! તમારામાં અનંત ગુણે છે એમ મેં સાંભળ્યું છે પણ તે મને ગાતાં આવડતા નથી, તમારા ગુણો અમુક પ્રકારથી ગાઈ શકાય છે એમ પણ જાણતા નથી અને ગુણે કયા કયા છે તે પણ જાણતા નથી. આથી ગાયન કરી તમારા ગુણે માગી શકું તે મારા સંબંધમાં હાલની અવસ્થાની અપેક્ષાએ બની શકે તેમ નથી. વળી તમારા ગુણ હું ભજવી શકું તેમ નથી. ગીતની સાથે જેમ વાજિંત્ર શેભે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy