SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું પદ ૨૮૩ “ દરેક માણસ પાસે મારા મનની વાત કેટલી કહું ? આનંદરાશિ ભગવાનરૂપ (કુશળ) વૈદ્યના વિયેગે જેને મધુપ્રમેહ થયેલ હોય તે કેવી રીતે જીવી શકે ?” ભાવ-સ્વજન ક્યારે મળશે એ સવાલ સંતપુરુષને પૂછવાનું કારણ એક તે ઉપર કલ્પવામાં આવ્યું છે, તે એ હતું કે એવા મહાત્મા પુરુષો પાસેથી બરાબર જવાબ મળી શકે, પણ તે ઉપરાંત એક બીજું ખાસ મુદ્દાનું કારણ છે અને તે એ છે કે આવી અગત્યની બાબતમાં જેને તેને વાત શું કરવી અને કેટલી કરવી? જેઓથી દુઃખ મટવાને જરા પણ સંભવ નથી તેની પાસે આવી અંતરગતની બાબતમાં રેણુ રવાથી લાભ શું થવાને છે અને વાત પણ એક બે ચાર કહેવાની હોય તે ઠીક, હજારે વાત કહેવાની, હજારે પ્રકારના-અનંતા અનુભવ વિભાવદશામાં થયેલા તે સર્વ કહી સંભળાવવાને હવે વખત આવ્યા છે તે સંતપુરુષ વગર સાંભળે કેશુ? અને સાંભળીને વળી તેને ઉપાય કેણ બતાવે ? એ તે સદાગમ સાંભળનાર હોય અને પાસે પ્રજ્ઞાવિશાળ અને અગૃહીતસંકેતા બેઠેલા હોય ત્યાં આવી ભવ્ય પુરુષ સમક્ષ જ્યારે સંસારી જીવ અંતરગતની વાત કરે ત્યારે તેના અનુભવને ખ્યાલ આવે, ગૂંચને નિકાલ થાય અને હકીકતને પરસ્પર સંબંધ, કાર્યકારભાવ અને પરિણતિભાવ ખ્યાલમાં આવે જેથી દુ:ખ મટવાનું નથી તેઓ પાસે વાત કરવામાં કઈ પ્રકારનો લાભ નથી. અથવા મારા મનમાં અનેક પ્રકારની વાત કરવાની છે તે હે સંતો ! મારા સ્નેહીઓ મળે તો તેઓને કહું. દરેકની પાસે એવી વાતે કરવાથી લાભ શું? તેથી તે ઉલટા હલકા પડવાનું થાય છે, માટે તેઓ મને કયારે મળશે એ કહો. ઘરની વાત ઘરના માણસોને કહેવી એ જ ઉચિત છે, જ્યાં ત્યાં બબડ્યા કરવું એ ડાહ્યા માણસનું કામ નથી. આ અર્થ પણ સમીચીન છે. હે સંત ! મને અધીરજરૂપ વ્યાધિ થયો છે અને તેથી મને સ્થિરતા આવતી નથી, મન મુંઝાયા કરે છે અને એક સ્થાનકે ટકી શકતું નથી અને તેથી હું પણ અસ્તવ્યસ્તપણે રખડ્યા કરું છું. આ વ્યાધિ થયેલે માણસ તે કઈ કુશળ વૈદ્ય મળે તો જ જીવી શકે, નહિ તો તેના પ્રાણ જાય. જેમ કેઈ માણસને મીઠી પેશાબને અથવા મધુપ્રમેહને ભયંકર વ્યાધિ થયું હોય તેનું જ્યારે બહુ વિદ્વાન વૈદ્ય પાસે નિદાન કરાવવામાં આવેતેને ભેદ સમજવામાં આવે ત્યારે જ તેની દવા થવાથી તે વ્યાધિગ્રસ્ત માણસ જીવી શકે છે, કારણ નિદાન સારી રીતે થયા પછી ચિકિત્સા તે ગમે તે કરી શકે છે. આવી રીતે મને પણ અધીરજરૂપ મધુપ્રમેહ થયે છે તે હવે તે આનંદસમૂહ ભગવાન, શુદ્ધ નિરંજન દેવ, ચિદૂઘનાનંદસ્વરૂપ પરમાત્મારૂપ વૈદ્યને જે વેગ થાય અને તેઓ તેનું નિદાન કરે તે પછી યોગ્ય ચિકિત્સા કરતાં વ્યાધિનું જોર નરમ પડે. હે નાથ ! મારે વ્યાધિ તપાસી, તેનું નિદાન કરી મને સ્વાશ્ય પ્રાપ્ત થાય તેમ કરો, આવા મધુપ્રમેહ જેવા * આ સર્વ પા “ ઉપમિતિભવપ્રપંચ કથા” ગ્રન્થમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ ચિતર્યા છે, તેના સંબંધમાં ત્યાં અનેક હકીકત અતિ માર્મિક અને વિચારવાલાયક રીતે બતાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy