SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું પહ ૨૮૧ તેના ઉપર દઢ પ્રીતિ કરે અને સાથે પરભાવરમણુતા દૂર કરો. તમારી પ્રીતિ એકાંત હશે, ભાવના દઢ હશે, સંકલ્પ વિશુદ્ધ હશે તે જે ભાવ સાથે તમે લગ્ન કરવાની ધારણા કરો છો તે તમને જરૂર પ્રાપ્ત થશે. અત્ર સ્વભાવશુદ્ધિ સાથે દૃઢ પ્રેમ કરવાને અને તેમાં જરા પણ કચરો ન રાખવાને ઉપદેશ કર્યો છે. પદ પચીસમું (રાગ-રામશ્રી) क्यारे मुने मिलश्ये *माहरो संत सनेही, क्यारे. संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही. क्यारे० १ “હે સંતપુરુષે ! મારું શુદ્ધ સ્વરૂપ મને ક્યારે પ્રાપ્ત થશે? હે સંત ! પ્રેમવાળા સગાસંબંધી વગર આ પ્રાણી ધીરજ ( સ્થિરતા) રાખી શકે નહિ.” ભાવ–શ્રી આનંદઘનજી મહારાજ પિતે ઉપરના પદમાં એક અતિ મહત્વતાવાળું સત્ય બતાવી હવે તેની પાસે પૃચ્છા કરે છે કે-હે સંત ! મારા સ્નેહને યોગ્ય એ શુદ્ધ આત્મસ્વરૂપ જરા પણું અંતર રાખ્યા સિવાય મને ક્યારે પ્રાપ્ત થશે ? જ્યારે અમુક વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ એક વખત પ્રતીતિ થાય ત્યાર પછી મનમાં તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે અને પછી તે ક્યારે મળશે એવી ઝંખના થાય છે. આ સ્થિતિએ જ્યારે આત્મા પહોંચે છે ત્યારપછી સંતપુરુ પાસે જઈ એ સંબંધી પૃચ્છા કરવામાં આવે એ સ્વાભાવિક છે. જેઓ એકાંત આત્મજાગૃતિમાં ઉક્ત રહ્યા હોય છે, સદ્ગુણશિરોમણિ હોય છે, પારકા અ૮૫ ગુણને ભેટે પર્વત જે માનનારા ગુણાનુરાગી હોય છે, જેનું વર્તન અતિ વિશિષ્ટ હોય છે, તે “સંત પુરુષ કહેવાય છે અને તેવા મહાત્માઓ પાસેથી આવા પ્રશ્નના સીધા સાચા જવાબની આશા રાખવી એ તદ્દન સાથે હકીકત છે. શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે હદયવાસનાનું ગાન કરતા બોલે છે-હે સંતે ! તમે સારી રીતે જાણે છે કે વસ્તુતઃ શુદ્ધ આત્મસ્વરૂપ સાથે મારે અભેદ પ્રીતિ છે, તે મારામય છે અને મારા ખરા સ્નેહી તરીકે તે જ છે. કમનશીબે અત્યાર સુધી વસ્તુસ્વરૂપથી તદ્દન અજાણ રહેલું હોવાથી હું મારા ખરા નેહીને ઓળખી શકયે નહોતો પણ હવે * મારો શબ્દ એક પ્રતમાં નથી. સંતને બદલે “શાંતિ” શબ્દ તે જ પ્રતમાં આ પંક્તિમાં અને બીજી પંક્તિમાં મૂકે છે. ૧ કયારેક વખતે. મુને=મને. સંત=સંતપુરુષ. સનેહી મારું શુદ્ધ સ્વરૂપ. સુરીજન=સગા, સ્વજન, પાખે=વિરહ વિના. ધીરજસ્થિરતા. દેવી-દેહ ધારણ કરનાર, પ્રાણી. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy