SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી આનંદધનજીનાં પદે “પિતે મળનારની સાથે અંતર રાખે તે સારો માણસ નહિ પણ પત્થર સમજ, આનંદરાશિ ભગવાન સાથે મન મળ્યા વગર કઈ ચેલે વળગે નહિ અથવા હે ભગવાન ! મન મળ્યા વગર કઈ ચેલે પણ વળગતો નથી. ” ભાવ–પિતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતર રાખે, તેને પિતાના હદયની વાત કરે નહિ, તેની સાથે બરબર પ્રીતિ ધરાવે નહિ, પ્રીતિમાં પડદો રાખે, પિતાના સ્વસ્વભાવે તેને મળે નહિ, પણ અન્ય સ્વરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યા કરે તેને સારો માણસ જાણ નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજો. વ્યવહારને આ જાણીતો નિયમ છે કે પિતાના મેળાપી સાથે આંતર રાખે તે સારો માણસ ન ગણાય. પ્રીતિ ન કરવી હોય તે જૂદી વાત છે, પણ મેળાપ તે કરે છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવ નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વસ્ત્રીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ, હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સારા પ્રતિષ્ઠિત માણસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણ પ્રેમ રાખવો એ ઠીક કહેવાય નહિ, પ્રીતિ કરવી તે પછી જીવિત પર્યત ચાલે તેવી, ખુલ્લા હૃદયની અને પરભાવરમણતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ બરાબર જામે અને આદર્શરૂપ પ્રીતિલગ્ન થાય. હે આનંદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતે નિયમ છે કે મને મળ્યા વગર એક બાળક હોય તે પણ વળગતા નથી. નાના બાળક તરફ તમે સદ્દભાવ બતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતો આવશે, પણ તેના તરફ પ્રેમ બતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેને નજીકના સગા હો કે તમે ધનવાન અથવા વયેવૃદ્ધ હો તે વાત બાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચે પ્રેમ રાખશે તે જ તે તમને ચુંટતો આવશે. તેવી જ રીતે આનંદઘન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એકતા થયા વગર કઈ ચેલે પણ થતો નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ તમારા વાચાતુર્ય કે ત્યાગ વૈરાગ્ય પર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારો સદ્દભાવ હશે તે તેને તમારી ત્યાગપરિણતિ પર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે. આ હકીકતમાં એક બહુ મુદ્દાની વાત કરી છે. જેઓને સ્વભાવ જાગ્રત કરવાની ઈચ્છા હોય તેમણે અંતઃકરણ પૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવ રમણતાને ત્યાગ કરવું જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કરવાને ઉદ્દેશ જે દરેક પદમાં સ્પષ્ટ રીતે બતાવ્યું છે અને જે મુદ્દા ઉપર ઉદ્દઘાતમાં જણાવ્યા પ્રમાણે સર્વ પદે રચાયેલાં છે તેને અંગે આ પદમાં વિશેષ વાત એ કહી કે સ્વભાવરમણતા પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા કરવા સાથે તેમાં જરા પણ આંતર રાખે નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy