________________
વીસમું પદ
૨૭૯ કર્યું, હવે તે જ હકીક્ત શ્રી આનંદઘનજી મહારાજ પિતાને ઉદ્દેશીને સવિશેષપણે કહે છે. અનુભવજ્ઞાનનું માહાસ્ય અતિ ઉદાત્ત રીતે બતાવ્યું, તે જ્ઞાનનું પરિણામ પણ સાથે બતાવ્યું. એ સર્વ સાંભળી શ્રી આનંદઘનજી મહારાજને સ્પષ્ટ સમજાયું કે આ અનુભવજ્ઞાન વાત કરવાથી પ્રાપ્ત થાય તેમ નથી, તેને માટે દઢ પ્રયત્ન કરવો જોઈએ. એ અનુભવજ્ઞાનરૂપ રેય સ્વરૂપ મેળવવાના દઢ વિચારને ભાવ બતાવતાં પિતે ઉદ્ગાર કાઢે છે કે-અહો! આવું સેય સ્વભાવનું એકરૂપ જેમાં સ્વભાવે સ્વભાવને મેળાપ થાય છે તે મને ક્યારે પ્રાપ્ત થશે ? જ્યાં મને મનને મેળાપ થાય છે ત્યાં જ પ્રીતિ શેભે છે અને તેનું નામ જ પ્રીતિ કહેવાય છે. વ્યવહારમાં પણ સ્વભાવ એટલે પ્રકૃતિ મળે ત્યારે જ પ્રેમ થયો એમ દુનિયા માને છે. જો કે તે પ્રેમમાં રાગ સ્થળ પદાર્થો પર છે અને ખેંચાણું વિકારમય છે તેમ જ અલ્પકાળ સ્થાયી છે, પરંતુ આત્મિક સૃષ્ટિમાં તે સવિશેષપણે મૂળ સ્વભાવે સ્વભાવ મળે ત્યારે જ પ્રીતિ થાય છે અને ત્યારે જ તેને નિભાવ થાય છે.
માટે શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-કોઈ પણ રમત મને મળ્યા વગર કરવી નહિ. એવી રીતે ઉપર ઉપરની રમત કરનારને રમતમાં મજા આવતી નથી અને એવી પ્રીતિ લાંબો વખત ચાલતી નથી. ચેતન અને જ્ઞાનસ્વભાવ મળે ત્યારે એ રમત રમવી ઉચિત ગણાય, કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિભાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અયોગ્ય લાગે છે. આવી રમત કઈ રમે છે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે. એવી વિભાવદશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ–સ્નિગ્ધતા ન હોવાને લીધે તેના કેળીઆ વળી શકતા નથી અને કદાચ કઈ બહારની વસ્તુ રેતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કેળીઓ વાળવામાં આવે તો પણ તે તદ્દન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કેળીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય છે ચેતન ! તેં અનાદિ કાળથી આવા રેતીના કેળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રખડ્યા કરે છે, માટે હવે તારે આવા મનમેલુ વગર કોઈની સાથે ક્રીડા કરવી નહિ આવી બાહ્ય વિભાવદશાની ક્રિયામાં કોઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ય ભાવમાં રોગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિર્ભાવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાને તારે વિચાર થયું છે તે જ ઇષ્ટ છે, તે જ કર્તવ્ય છે અને તે જ પ્રાપ્તવ્ય છે.
आप मिल्याथी अंतर राखे, सुमनुष्य नही ते लेलू ; आनंदघन प्रभु मन मिलीआ विण, को नवि विलगे चेलु. मुने. २
૨ આ૫=પતે. મિલ્યાથી=મળનારની સાથે. અંતર-આંતરે. સુમનુષ્ય =સારો માણસ. લેલૂકપરાને કટકે. વિલગેવળગે. ચેલુગચેલે, બાળક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org