SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી આનંદઘનજીનાં પદો માને, પણ વાસ્તવિક હકીકત એ છે કે આનંદસમૂહમાં પિતાની જાતિને સમાવી દઈ જેમ સમુદ્રમાં પાણીનું બિંદુ પડી સમુદ્ર તુલ્ય થઈ જાય, સમુદ્રમય થઈ જાય, પણ તે ત્યાં છે, વ્યક્તિરૂપે છે અને સાધારણ રીતે-સ્વરૂપે તેને અન્ય બિંદુઓથી અભેદ છે પણ વ્યક્તિરૂપે તેને સર્વથા નાશ થતો નથી, તેમ સિદ્ધ અવગાહનામાં તે સ્વરૂપે સર્વ સિદ્ધ સમાન છે અને તેથી સ્વરૂપે અભેદ છે પણ તેની વ્યક્તિગત અવગાહના સિદ્ધદશામાં પણું પડે છે અને તે જ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. અનુભવરસનું સ્વરૂપ આવા પ્રકારનું છે એમાં વૃત્તિનિરોધ એવા ઊંચા પ્રકારનો થાય છે કે અહીં પણ સિદ્ધદશાના અવ્યાબાધ સુખને શેડો વધતે લાભ ધીમે ધીમે મળતું જાય છે અને છેવટે એ દશા પ્રાપ્ત થાય છે. વળી કેકચિ ઉપર એ દશામાં કમાન રહેતી નથી તેથી અને સાંસારિક ભાવ કડવા લાગે છે તેથી મનમાં એક એવી અખંડ શાંતિનું સામ્રાજ્ય ચાલે છે કે એ દશા પર એક વાર પ્રીતિ થયા પછી અન્ય રસની તુરછતા જણાય, અન્ય રસ પીવાની વૃત્તિમાં મતિજડત્વ સમજાય અને અન્ય રસના આસ્વાદનને પરભાવરમણતા ગણાય. સુમતિ મંદિરે પધારવાથી આવી અનુભવકલિકા જાગ્રત થઈ છે, હવે એ કલિકાને પોષણ આપી વધારવી એ ચેતનજીનું કામ છે. ચેતનજી તેમાં ઉદ્યમવંત રહે તે સુમતિ તે ચેતનજીને પિતાને મંદિરે પધરાવી અનુભવરસનું પાન કરાવ્યા કરશે એમાં સંદેહ નથી. પ્રેમને માર્ગ એક સરખે જ છે. વેશ્યા કે કુલાંગના અનુક્રમે મદિરા કે મશાલદાર દૂધનું પતિને પાન કરાવે છે. માયા મમતા રાગદ્વેષ કષાયનું પાન કરાવે છે અને સુમતિ અનભવરસનું પાન કરાવે છે. હવે આ પાનમાં તમને જે પાન પસંદ આવે તે પીઓ અને તે માર્ગ આદરી તેનાં સરસ વિરસ પરિણામે જે તમે સમજી શકે તેવાં છે તે ચેતનજી ભેગવે તેવી સ્થિતિમાં તેને મૂકો. પદ વીસમું (રાગ-રામગ્રી.) मुने मारो कब मिलशे मनमेलु. मुने. मनमेलु विण केलि न कलीए, वाले कवल कोई वेलू. मुने० १ મારા મનના મેળાપી સાથે મારે મેળાપ કયારે થશે ? મનના મેળાપી વગર કઈ રમત રમીએ નહિ. (એ રમત) કે ઈ મૂર્ખ રેતીના કેળીઓ વાળે (તેના જેવી છે.)” ભાવ–સુમતિએ અલખ જતિ જાગ્રત કરવા માટે સામાન્ય રીતે ઉપર વિવેચન ૧ કબ=ક્યારે. મનમેલુ=મનને મેળાપ, જ્ઞાનદષ્ટિ, ગેય સ્વભાવનું એકરૂપ, સ્વભાવે સ્વભાવનો મેળાપ. કેલિ-રમત. કલીએ રમીએ. કવલ=કળી આ. વેલૂરેતીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy