________________
૨૭
ત્રેવીસમું પદ
वर्षा बुंद समुंद समानी, खबर न पावे कोई
आनंदघन व्है* ज्योति समावे, अलख कहावे सोई. अवधू० ४ “સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તેને પત્તો કઈને લાગતું નથી. આનંદરાશિમાં પિતાની તિને ખરેખર સમાવે તે “અલખ” કહેવાય છે. ”
ભાવ-સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તે સમુદ્રરૂપ થઈ ગયું, તે પ્રમાણે અનુભવરસનું પાન કર્યા પછી જે ક્રિયા કરવામાં આવે છે તે એક બિંદુ તુલ્ય હોય તે પણ તે મેટા સમુદ્ર તુલ્ય થઈ જાય છે. આ બાબતમાં વિચાર કરવાથી સ્પષ્ટ હકીકત સમજાય તેમ છે. અમુક ક્રિયા, ધ્યાન કે ત્યાગની કિમત તે વખતે આત્મિક અધ્યવસાયની નિર્મળતા ઉપર આધાર રાખે છે. બાહ્ય સ્વરૂપે એકસરખી ક્રિયા કરનાર બે જીવમાંથી એક મહા કર્મબંધ કરે છે ત્યારે અન્ય ઉદાત્ત અવસ્થા ભોગવે છે કે તેથી સાધારણ ધ્યાન વિગેરે કરવામાં આવે તે પણ તેનું પરિણામ અતિ વિશાળ થાય છે; કારણ કે અનુભવજ્ઞાન થયા પછી સ્થિતિ ઉપર જણાવ્યું તેમ સિદ્ધદશા સમાન થતી જાય છે.
અથવા અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનોરાજ્ય એવું વિશાળ થઈ જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાની પેઠે સમુદ્રમય વિશાળ થઈ જાય છે; એને પછી પિતાને વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈરછા રહેતી નથી, અભિમાન કરવાની અભિલાષા રહેતી નથી; એ તે પોતાની જાતને એટલી વિશાળ દૃષ્ટિથી જોઈ શકે છે કે એનો ખ્યાલ અનુભવ વગર આવવો પણ મુશ્કેલ છે. અથવા સિદ્ધદશામાં જ્યારે તે પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પોતાના આત્મબિંદુને મેળવી નાખે છે અને તેથી સામાન્ય દૃષ્ટિએ અમુક આત્માની વ્યક્તિ તરીકે અવસ્થાપના કરવી મુશ્કેલ જણાય છે. (છતાં બિંદુ એ સમુદ્રમાં જ છે અને તે ત્યાં રહેવાનું જ છે. દિવ્ય જ્ઞાનથી તે બિંદુનું વ્યક્તિત્વ ત્યાં રહેલ છતાં પણ પ્રાપ્તવ્ય છે એ ધ્યાન બહાર જવું ન જોઈએ.)
આવા આનંદના સમૂહમાં જે પિતાની જતિને સમાવે છે તે અલક્ષ્ય કહેવાય છે. તિ તે અત્ર આમસ્વરૂપની જ્યોતિ સમજવી. અલખવાદવાળા જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી એવા અલખમાં પોતાની જાતને સમાવી દેવાનું શીખવે છે. પરંતુ એ અલક્ષ્યવાદનું વાસ્તવિક સ્વરૂપ એ છે કે આનંદના સમૂહમાં પિતાની આત્મતિને સમાવી દેવી, આનંદરૂપ થઈ જવું, આનંદમય થઈ જવું. સિદ્ધ અવગાહનામાં પિતાની આત્મતિ સમાવવી એ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે. જેઓ અલખવાદ સમજ્યા નથી તેઓ ભલે તિમાં તણ મેળવવાનું કહી આત્મવ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થવાનું
* બૅને બદલે એક પ્રતમાં કે ” શબ્દ દેખાય છે.
૪ વર્ષ વરસાદ, બુંદીધું. સમુદ=સમુદ્ર, દરિયો. સમાની=સમાઈ ગઈ. ખબર=પત્તો. વોટ ખરેખર, જોતિ પ્રકાશ, અલખ અલેક, અલય. કહાવે=કહેવાય છે. સેઈ=તે.
Jain Education International
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only