SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી આનંદઘનજીનાં પદો નથી. એવા અભિપ્રાય ઉપર આ ભવના માની લીધેલા લાભ ખાતર અનેક ભવને વધારી મૂકવાના વિચારને ભલે સાંસારિક જી આદરણીય ગણે પણ સુમતિના મંદિરે પધારનાર મુમુક્ષુ સર્વવંતને તે એ હાસ્યાસ્પદ જ લાગે છે. આવા પ્રકારનો અનુભવ કે જેમાં લેકવાદની પણ દરકાર રહેતી નથી તેના રસનું જ્યારે પાન કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના, પીડા વગરના, નિરુપદ્રવ અને સુખકારી શ્રી નાથજીને ભેટે થાય છે. એટલે તે ઉત્ક્રાનિત કરતો કરતો એવે સ્થાનકે પહોંચી જાય છે કે જ્યાં સંસારની ઉપાધિને સંસર્ગ પણ લાગતું નથી, જ્યાં આત્મસ્વરૂપમાં સ્થિરતા મેરુપર્વત જેવી નિપ્રકંપ હોય છે, તે સ્થિતિ ક્યારે શરૂ થઈ તે કઈ જાણી શકતું નથી અને જે સ્થાનમાં કઈ પણ પ્રકારની બાધા-પીડા નથી એવા કલ્યાણ કરનાર અને સુખ કરનાર સિદ્ધ નિરંજન દેવ સાથે મેળાપ થઈ જાય છે, તપ થઈ જવાય છે અને સંસારમાં પણ ઉત્ક્રાન્તિ દરમ્યાન તે અચળ અબાધિત સુખની વાનકી મળતી જાય છે. અહીં સર્વ પ્રયાસ કરવામાં આવે છે તેને હેતુ માત્ર સુખપ્રાપ્તિને જ છે અને આવું અચળ અબાધિત સ્થાન જ્યાં શિવશંકરને નિરંતર માટે મેળાપ થઈ જાય તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે ત્યાગ કરવો પડે એ લેવાદની દરકાર કર્યા વગર કરવા યોગ્ય છે એમ તે સાધારણ સમજણવાળ પ્રાણી પણ કબૂલ કરે અને અનુભવરસનું પાન કરનાર આવું સ્થાનક પ્રાપ્ત કરે છે એટલું તો નહિ, પણ અત્ર અનુભવ કરવા માંડ્યા પછી તે સ્થાન પ્રાપ્ત થતાં સુધીમાં પણ તે બહુ આનંદમય જીવન ગાળે છે. એ જીવનમાં એને રેગ શોક નથી, ઉપદ્રવ નથી, ઉપાધિ નથી, કડાકૂટ નથી, હાડમારી નથી, રખડપટ્ટી નથી, જીવનનું સાધ્ય, કાર્યનું લક્ષ્યબિંદુ, પ્રયાસનું ફળ આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ આ ચકભ્રમણને છેડે આવે તેમ છે. શિવશંકર શબ્દ પર અત્ર શ્લેષ છે. ઘણું મનુષ્ય શિવશંકરને મળવા પ્રયાસ કરે છે પણ તે માર્ગ બરોબર લેતા નથી. જો તમારે શિવશંકર સાથે-એક બ્રહ્મા-પરમાત્મા સાથે મેળાપ કરે હોય, તપ થઈ જવું હોય તે લકવાદને ભય મટાડી દઈ અનુભવરસનું પાન કરો. તમને શિવ અને શંકર જે સુખ અને કલ્યાણ કરનાર છે અને જે વાસ્તવિક રીતે તમારા પિતાને આત્મા જ છે, જે તમે પિતે જ છે, તે તમને તુરત મળી જશે, તમારું તદ્રુપ સ્વરૂપ નિરંતરને માટે પ્રગટ થશે અને તમને અતિ સુખ આપશે. તમે જાણે છે કે સુખ કે કલ્યાણ આપનાર, લેનાર, ભેગવનાર સર્વ તમે પિતે જ છે, માટે હવે લકવાદને માર્ગ તજી દે અને આ બાધા-પીડા રહિત સ્થાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy