SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેવીસમુ` પદ ૨૭૩ સુધી જરા પણ જોરમાં આવવા ન દીધાં ત્યારે તમને અનુભવરસનું ટીપું પ્રાપ્ત થયું છે. એથી તમે સમજી લેજો કે જો તમારે અનુભવરસના પ્યાલા પીવા હાય તે એ માયા દાસી અને તેનાં કુટુંબીઓને જરા પણ અવકાશ આપતા નિહ. તમે તેને જેમ અવકાશ આપશેા, જેટલા અવકાશ આપશે તેમ અને તેટલે અંશે તમારી અનુભવકલિકા ખીડાતી જશે, માટે તમારે મનમાં દૃઢ નિશ્ચય કરવા કે આ વખત અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા ચેાગ્ય છે અને તેને માટે ઇંદ્રિયના વિષયની નજીક જવા લાયક નથી અને કષાયાને કબજે કરવાની ખાસ જરૂર છે એક ઢાઢ દિવસ એ અલ્પકાળ બતાવનાર શબ્દ છે. એના ખાસ ભાવ કાંઇ હાય એમ જણાતું નથી. એટલા અલ્પ સમયમાં કલિકા વિકવર થઇ છે તેા પછી પ્રયાસ કરી વિન્ન કરનાર ભાવાને નિરંતર ઘેરી રાખવા એ કવ્યપ્રેરણા સુસ્પષ્ટ રીતે અત્ર અતાવી છે. 66 જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણને વશ કર્યાં એટલે તેની અસર દુનિયા પર જેટલી થાય છે તેટલી મારા પર થતી નથી. હું ફકીર ! તને તે ન ગમે તે તેને ફેંકી દે-પછાડી નાખ; તું કેાના પર આટલું મમતાપણું કરે છે ? ” जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; देवकाय * नवा गमें मींया, किस पर ममता एती. अवधू० २ ભાવ-આત્માને હવે અનુભવકલિકા જાગ્રત થવા માંડી છે, તેની અસર નીચે તે રહ્યો છે. તેને વધારે ચાક્કસ રીતે કામ કરવાની ઘણી મજબૂત એક શિક્ષા અત્ર સુમતિ આપે છે. હે ચેતનજી ! અનુભવજ્ઞાન તમને થવાથી હવે કેટલેક અંશે તમે જન્મ, જરા અને મરણને વશ કરી લીધાં છે. જન્મ એટલે દુનિયામાં અવતાર-આગમન અને મરણુ એટલે એક ભવ સંપૂર્ણ કરી અન્યત્ર ગમન. જન્મ, જરા અને મરણુનુ ખરેખરું દુઃખ આ સૌંસારમાં છે. જન્મ્યા પછી મરવું ગમતું નથી અને વધારે જીવાય તેા ઘડપણથી શરીર જર્જરિત થઈ જાય છે તેની બીક લાગ્યા કરે છે, પરંતુ અનુભવજ્ઞાન પ્રાપ્ત થવાથી તમારાં જન્મ મરણુની તેા હવે હદ બંધાઇ ગઇ છે અને તેમાંથી કોઇ તમને હવે મળે–તમારી પાસે આવે તે પણ સામાન્ય પ્રાકૃત મનુષ્ય ઉપર તેની અસર જેટલી થાય છે તેટલી તમારા ઉપર થવાની નહિ. દુનિયાના સામાન્ય માણસો તે કાઇ સંબધીના મરણુની વાત સાંભળી રડવા મડી જાય છે, જન્મની હકીકત સાંભળી હર્ષોંમાં આવી જાય છે, * ‘ મેટવકયાય ' એવા પાઠ એક પ્રતમાં છે. ૨ જરા=ઘડપણ, વસીવશ, કાજે. સારી=કરી. અસરદાર. જેતી=જેટલી. દુનિયા-દુનિયામાં રહેનાર લેકા. દે વકાય નવા ગમે એમ પદચ્છેદ કર્યુ છે. તને ન ગમે તો તેને ધમકાવી નાખ, જન્મ જરા મરણુરૂપ ઘરને પાડી નાખ. એતી એટલી. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy