SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી આનઘનજીનાં પદ્મા અતાવે છે. આતમ સમરણુ તિ લાગી' એ પાઠમાં પણ તે જ અથ પ્રતીત થાય છે. મતિ આત્મજ્ઞાનનું રટણ કરવા લાગી છે અને તેથી તે જે કરે છે તે હવે બતાવે છે. સુમતિનું પોતાનું જ વાક્ય છે અને તે મેલે છે કે મારી મતિ આત્માને મળવા લાગી એટલે તેના ભાવ એમ સમજવા કે આત્માની મતિ જે સુમતિરૂપ છે તે બંનેના વ્યક્તરૂપે એકાકાર થતા જાય છે. એટલે આત્મા હવે સુમતિ સાથે જોડાય છે. તેરમા અને ચૌદમા પદમાં સુમતિ આત્માને મંદિરે પધારવા જે વિનતિ કરતી હતી તેના કરતાં અત્રે જે મેળાપ થાય છે તે વધારે સુસ્પષ્ટ અને પ્રગતિ બતાવનાર છે તે વિચારવાથી સમજાશે. અનુભવકલિકા જાગ્રત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી તે વખતે શું ભાસ થયા તે પ્રથમ જુએ. અત્યાર સુધી મને અવ્યવસ્થિત રીતે અહીંતહીં કર્યાં કરતુ હતુ. તે હવે નિજ સ્વરૂપ જોવા લાગ્યું; આત્મસ્મરણમાં તેને હવે જણાયું કે હું પોતે તે અનાદિ અનંત છું, અવિનાશી છું, અરૂપી છું, હું જેને મારા માનતા હતા તેમાંનુ કાઈ મારું નથી, હું પોતે સર્વથી ન્યારે છું, ભિન્ન સ્વરૂપ છુ, તદ્દન અલગ છેં-આવા આવા વિચારરૂપ આત્મસ્વરૂપનું સ્મરણ થવા લાગ્યુ' અથવા એવા વિચારરૂપ શુદ્ધ જ્ઞાનમય આત્મા સાથે મારું મળવુ થયું. આ પ્રમાણે થવા સાથે તમારું મન જે અત્યાર સુધી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ઇન્દ્રિયાના વિષયા તરફ વારંવાર ખેંચાઈ જતું હતું અને તેના સબંધમાં અને તેની પ્રાપ્તિમાં જ જે મન સુખ' માનતું હતું, તેના વિરહમાં જે તદ્ન મુગ્ધ બની જતું હતું તે હવે તેની પાસે જતું નથી. સુમતિ સાથે મેળાપ થતાં મનની દિશા જ બદલાઈ ન્તય છે અને પરવસ્તુમાં રમણ કરવાની એની જે ટેવ હતી તે તદ્દન ફ્રી જાય છે. 6 વળી હે ચેતનજી ! તમારે સર્વ બાબતનું આવી રીતે જ્ઞાન કરી લેવાનેા આ વખત છે. જો તમને જ્ઞાન પ્રગટ નહિ થાય તે તમારા હેતુ પાર પડવા મુશ્કેલ છે. અત્યારે તમે વસ્તુસ્વરૂપ સમજી અનુભવકલિકાને વધારે ખીલવશે તે તમને બહુ મોટા લાભ થશે એ બાબતમાં સ ંદેહ જેવું જરા પણ નથી. જ્ઞાનના મહિમા અપૂર્વ છે એ બાબત તમને વારંવાર બતાવવાની જરૂર નથી, તમે જાણા છે અને જ્ઞાનમય જ છે, માત્ર તેના ઉપર બ્રશ કરવાની–મેલ દૂર કરવાની જરૂર છે તે પ્રગટ કરી તમારી સ્થિતિ જુએ, વિચારા, સમજો. એ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવામાં અને અનુભવકલિકા વિકવર કરવામાં તમારે એક મુદ્દાની ખાખત સંભાળવાની છે તે કહુ છું તે સાંભળા;–તમે અત્યારે અનુભવજ્ઞાનની કળી કેવી રીતે જાગ્રત કરી છે તે તા તમે જાણા છે. માયારૂપ દાસી અને તેના કુટુંબને કબજે કરી લઇને એક કે ઢેઢ દિવસ સુધી તેને ઘેરી લઇ તમે જરા અનુભવજ્ઞાન પામવા લાગ્યા છે એ તમારા ધ્યાનમાં ખાસ રહેવુ જોઇએ. તમે સારી રીતે જાણા છે કે માયા દાસી અને તેનાં કુટુબી ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વિગેરે એવાં ખરાબ છે કે તમારા અને અનુભવના કર્દિ મેળાપ થવા દેતાં નથી, તેને જ્યારે તમે એક ઢોઢ દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy