SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રી આનંદઘનજીનાં પદો ઉત્તર તમે આપી શકશે નહિ, તેમાંના એક પણ પ્રશ્નનો ખુલાસે સંતોષકારક રીતે આપી શકશે નહિ અને તમે અનવસ્થા વિગેરે અનેક હેત્વાભાસોમાં અટવાયા કરશે. અનાદિ અનંત ભાવ માનવાથી આ સર્વ પ્રશ્નોનું એક સાથે નિરાકરણ આવી જશે. અન્ય ધર્મમાં ચિર સ્થિતિ, ઉત્પાદ અને પ્રલય માનવામાં આવે છે તેમાં બહુ વિરોધ આવે છે. સમય સમય ઉત્પાદ અને વિલય તે જૈનશાસ્ત્ર પણ માન્ય કરે છે. પ્રલયના સંબંધમાં જે ભેદ જેનશાસ્ત્રકાર બતાવે છે તે વિચારવા યોગ્ય છે. પર્યાની અપેક્ષાએ દરેક સમય સર્વ વસ્તુઓના ઉત્પાદ અને વ્યય થયા જ કરે છે પણ એકી વખતે સર્વ વસ્તુઓને ચિરકાળ સુધી પ્રલય અન્યત્ર મનાય છે તે બુદ્ધિગમ્ય નથી, પ્રમાણુશાનથી ઉલટે છે અને તેથી વસ્તુસ્વભાવ સમજાવવામાં પાછો પડે છે. આ રીતે વિચાર કરતાં વૃક્ષ પ્રથમ કે બીજ પ્રથમ, સિદ્ધ પ્રથમ કે સંસારી પ્રથમ વિગેરે પ્રશ્નોને અવકાશ રહેતું નથી. અનાદિ સંબંધથી એ વસ્તુઓ એ રૂપમાં રહે છે. હે પ્રભુ! તારાં આગમમાં આ ભાવ એવી વિશુદ્ધ દૃષ્ટિથી અને બુદ્ધિગમ્ય રીતે બતાવવામાં આવ્યું છે કે એ સંબંધી વિચાર કરતાં હૃદયમાં પરમ પ્રમેદ થાય છે. તેની મદદ વગર વિચાર કરનારા શું વિચાર કરી શકે ? તેઓ છેવટે ભૂલ ખાઈ ગયા છે. મુદ્દાની બાબતમાં અટકી પડ્યા છે અને આખરે ગુંચવાઈ ગયા છે. તારાં આગમે તેટલા માટે અગમ્ય અને અપાર છે. સૃષ્ટિકર્તૃત્વ સંબંધી વિચાર માટે શ્રી પ્રકરણ રત્નાકરના ભાગ બીજામાં પૃષ્ઠ ૧૭૭ થી છપાયેલ આસ્તિક નાસ્તિક સંવાદ તથા શ્રીમાન્ આત્મારામજી મહારાજકૃત જૈનતવાદર્શમાં પ્રથમ દેવતત્ત્વનું સ્વરૂપ વાંચવા ગ્ય છે. જૈન આગમમાં કેવી સૂક્ષમ હકીકત બતાવી છે તેનું આ એક દષ્ટાંત થયું. વાત એમ છે કે જેના પરિજ્ઞાનને મુખ્ય પાયે નય અને પ્રમાણ જ્ઞાન ઉપર છે અને આખું જ્ઞાન એવી ઉમદા રીતે તર્ક-ન્યાયના બંધારણ ઉપર રચાયું છે કે પરિણતિ રાખી ઈરછાપૂર્વક તેને અભ્યાસ કરે તે વસ્તુ સ્વરૂપ સમજી શકે. આવી રુચિ તમને જાગ્રત થાઓ અને જેના પરિજ્ઞાન પ્રાપ્ત કરવા તમે પ્રેરાઓ તો સ્યાદ્વાદભૂમિકામાં જે અપૂર્વ રહસ્ય રહ્યું છે તે તમને સમજાશે. બાકી સામાન્ય લોકસંજ્ઞાને અનુસરી તમે પ્રથમથી જ અભિપ્રાય બાંધી ચાલશે તો કદિ સત્ય સમજાશે નહિ. આ આગમજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે દઢ ભાવના કરો, પ્રેમ કરે અને પછી તેને રસ આસ્વાદે. પદ ત્રેવીસમું રાગ-આશાવરી अवधू अनुभवकलिका जागी, *मति मेरी आतम शुं मीलन लागी; अवधूत * “મતિ મેરી આતમ સમરણ લાગી” એ પ્રમાણે પાઠાંતર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy