________________
બાવીસમું પદ
૨૬૯ “હે આસ્થાવંત ભવ્ય જી! આનંદરાશિ ભગવાનનાં વચનમાં રુચિ રાખે અને શાશ્વત ભાવ ( અનાદિ અનંત ભાવ) વિચારીને હે બંધુઓ ! વસ્તુસ્વભાવ સર્વ અનાદિઅનંત છે એ ભાવમાં રમણ કરે.”
ભાવ–હે ભવ્ય જતમે આવી રીતે ગોથાં ખાધાં કરશે પણ તમને તેને પાર પ્રાપ્ત થશે નહિ, તમે અનેક ગુંચવણમાં અટવાયા કરશે; માટે હું તમને માર્ગ બતાવું છું તે વિચારી સમજે. તમે ત્રિભુવનનાથ દયાળુ ધીર વીર શાંત સદ્ગુણનિધાન ચિદ્દઘન આનંદરવરૂપ શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનમાં શુદ્ધ આસ્થા રાખો. અમારું કહેવું એમ નથી કે તીર્થકર મહારાજ જે કહે છે તે વિચાર કર્યા વગર કબૂલ કરી લે, પણ તેઓના સર્વાપણુની પરીક્ષા કરી એક વખત તેઓની આપ્તતા તમને જણાય તો પછી તેઓએ જે વિચાર કર્યા છે તે સમજો. અમુક વિચારો કર્યા છે તે બરાબર છે કે નહિ તે સમજવા માટે વિચાર તરફ માન હોવું જોઈએ, સદુભાવ હોવું જોઈએ. પૂર્વ યુદ્ગ્રાહિત ચિત્તવાળે સત્ય પ્રાપ્ત કરી શકતો નથી, માટે તમે તે તરફ પરિણતિ રાખો, તમારા વિચારે તદ્રુપ કરી નાખો એટલે પછી તમને સત્ય સમજાશે. નયપ્રમાણથી જે ભાવે તમને સમજાય તેવા છે તે તમે વિચારશે ત્યારે મહાત્માઓનાં વચનની મહત્વતા, ગંભીરતા અને વિશાળતા તમારા ખ્યાલમાં આવશે, માટે એ વચનો તરફ તમે એક વાર સહાનુભૂતિથી જુઓ. એમ નહિ કરે તો ઉપર જે મુશ્કેલીઓ તમે જોઈ છે તેને ખુલાસો કદિ પણ થશે નહિ.
જેઓ વિચાર કરી શકે તેવી બુદ્ધિવાળા છે તેમને વિચાર કરવાની જેનશાસ્ત્રકારે કદિ ના પાડતા નથી, પણ આપ્તતાની પરીક્ષા કરવાની તે જરૂર પડશે જ. જે શાસ્ત્રમાં પરસ્પર વિરુદ્ધ વચન ન આવતું હોય અને જેમાં નયપ્રમાણજ્ઞાનને સ્પષ્ટ માર્ગ આપે હોય તે આપ્તપ્રણીત શાસ્ત્ર છે એમ સમજવું. મનુષ્યની બુદ્ધિ દાબી દેનાર શાસ્ત્ર સાથે આવા વિશાળ અર્થને કોઈ સંબંધ નથી. અલબત જેઓ વિચાર કરી શકે તેટલા બુદ્ધિવૈિભવવાળા ન હોય તેમને માટે તે “ મgsો શેર જતા જ પથા: ' એ જ માર્ગ ઉત્તમ છે.
આનંદઘનજી મહારાજનાં સર્વ પદેમાં એક વાત જોવામાં આવી હશે અને તે એ છે કે બહ ભાગે છેલ્લી અથવા તેની આગળની પંક્તિમાં તેઓ તેનું રહસ્ય બતાવી આપે છે. તેવી રીતે આ આખા પદને ભાવ બતાવતાં છેલ્લી પંક્તિમાં જૈનશાસ્ત્રને સાર તેઓ બતાવે છે.
આ સર્વ સંબંધ ચિરસ્થાયી છે, શાશ્વત છે, અનાદિ કાળથી તે પ્રમાણે છે એમ વિચારે, એ વચનમાં રટણ કરે, તલ્લીન થઈ જાઓ એટલે જે મુશ્કેલી તમને થઈ છે તે સર્વ દૂર થઈ જશે. તમે ખુદાએ પૃથ્વી બનાવી એમ માનશે કે પરમેશ્વરકૃત તેને માનશે તે જડમાંથી ચિતન્ય કેમ બને ? બનાવવા માટે વસ્તુઓ જોઈએ તે કયાંથી આવી? તેને કોણે અને ક્યારે બનાવી? પ્રભુને એ વસ્તુ બનાવવાનું, માયાસ્વરૂપે વ્યક્ત થવાનું અને ન્યાયાધીશની જગ્યા પિતે રાખવાનું પ્રયોજન શું ? વિગેરે અનેક સવાલે ઉત્પન્ન થશે તેને
Jain Education International
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only