________________
બાવીસમું પદ
૨૬૭ જ મના હોય તો પછી નકામી ચર્ચા કરવી એ જ ઉચિત નથી. બાઈબલમાં પણ કહે છે કે “Thus far and no further ” તમારી બુદ્ધિ આટલા સુધી જ ચાલશે અને વધારે નહિ. આ તદ્દન વિચિત્ર હકીકત છે અને મનુષ્યજ્ઞાનને અંકુશિત (સંકુચિત) કરનાર તથા તર્ક ગ્રંથનાં પુસ્તક બંધ કરાવનાર છે અને તે એમ બતાવે છે કે પોતાની હકીક્ત સ્થાપિત કરવાની તેની ઈચ્છા છે પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેની પાસે પૂરતી દલીલ નથી તેથી જ એવો જવાબ આપવો પડે છે.
सिद्ध संसारी बिनुं नहि रे, सिद्ध विना संसार;
करता बिन करणी नहि प्यारे, विन करनी करतार. विचारी० ३
સિદ્ધના છે સંસારી જીવ વગર ન હોઈ શકે અને સિદ્ધ વગર સંસાર નથી; તેમ જ કર્તા વગર ક્રિયા નથી સંભવતી અને ક્રિયા વગર કરનાર (સંભવત નથી.)”
ભાવ-સિદ્ધના છ સંસારી જીવ વગર હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યભવમાં સાધનસંપત્તિ પામી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધ થવાય છે તેથી સિદ્ધના જીવ સંસારની અપેક્ષાએ જ છે અને સર્વ કર્મથી રહિતપણું પ્રાપ્ત થાય તે સિદ્ધદશા સંસારી દશાને અપેક્ષીને જ હોય છે અને તે વગર સંસારી જીવ કહેવાઈ શકે નહિ. સિદ્ધના જીવ પહેલા કે સંસારીજીવ પહેલા? એ પ્રશ્નનો ઉત્તર આપો અશક્ય છે. અરસ્પર અવલંબન કરીને રહેલા ભાવે એક બીજાને લઈને જ હયાતી ધરાવે છે અને તેથી બનેને અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે.
તે જ પ્રમાણે કરનાર વગર કિયા નથી અને ક્રિયા વગર કર્તા નથી. કઈ પણ કર્મને કરનાર જીવ જેઈએ અને કર્મ કરવાને પ્રેરનાર–તે સ્થિતિ વ્યવહારુ રૂપમાં લાવનાર પૂર્વ કર્મ હોવું જોઈએ. શુદ્ધ દશામાં તો જીવ કાંઈ કર્મ કરતું નથી ત્યારે આ જીવ સાથે પ્રથમ કર્મ કેવી રીતે લાગ્યું, ક્યારે લાગ્યું, શામાટે લાગ્યું તે વિચારે. એમ પશ્ચાતું પશ્ચાત વિચાર કરતાં કર્મ કરનાર જીવ અને તે કરવાને પ્રેરનાર પૂર્વ કર્મ એમ અનાદિ ભાવ પ્રાપ્ત થશે. શુભાશુભ કરણી એ કર્મબંધને હેતુ તેને અને કમને અનાદિ લઈએ અને તેના કરનાર જીવને અનાદિ લઈએ ત્યારે જ છેવટે નિરાકરણ પ્રાપ્ત થાય છે. ખાણમાં પડેલ સુવર્ણ પ્રથમ કે તેને લાગેલ માટી પ્રથમ એ પ્રશ્ન જ લગભગ મિથ્યા છે. એક બીજાની સહાનુવૃત્તિ અને પૂર્વ અવસ્થા સૂચવતા હોવાથી છેવટે અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. જે વસ્તુસ્વરૂપમાં આવે ઊંડે ભાવ હોય તે એકલા બુદ્ધિબળથી વિચાર કરનાર કયાં સુધી વિચારી શકે એનાં વિશેષ દwતે હજુ પણ જોઈએ.
૩. કરણી=ક્રિયા. કરતાર=કર્તા, કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org