________________
૨૨
શ્રી આનદઘનજીનાં પદ્મા
अनुभवगौचर वस्तुको रे, जाणवो +यह इलाज; कहन सुननको कछु नहि प्यारे, आनंदघन महाराज. निशानी० ५
“ અનુભવથી જાણી શકાય તેવી વસ્તુને જાણવી એ જ ( તેને સમજવાના ) ઉપાય છે, એમાં કહેવાનુ કે સાંભળવાનું કાંઈ નથી. એ આનંદરાશિ મહાત્મા છે. ”
ભાવ—તમે આત્માની નિશાની પૂછે છે, પણ હું તમને એ શુ ખતાવું ? તમને ટૂંકામાં કહું છું તે સાંભળે. જે કાઇ વસ્તુ અનુભવથી જાણી શકાય તેવી હાય છે તેનું જ્ઞાન કરવું એ જ તેની નિશાની છે અને એ જ તેને જાણવાના ઉપાય છે. અનુભવજ્ઞાન એ ઇંદ્રિયાથી જાણી શકાય તેવુ' નથી, મતલબ આંખે જોઇ શકાય તેવું અથવા કાને સાંભળી શકાય તેવુ ં તે જ્ઞાન નથી, તેમ જ જાણનારા માણુસા વચનથી તેને સપૂર્ણ અંશે કહી શકે તેવું પણ તે જ્ઞાન નથી. વાત એમ છે કે—એ વસ્તુનું સ્વરૂપ નિશાની બતાવવાથી કે ઉપર ઉપરની વાત કરવાથી પ્રાપ્ત થઇ શકે તેવુ' નથી, એને પ્રાપ્ત કરવાના ઉપાય તે! તેનુ' જ્ઞાન મેળવવુ એ જ છે. જ્યારે અંશગ્રાહી જ્ઞાન ઉપરથી પ્રમાણજ્ઞાન થાય ત્યારે પછી અંદરથી સ્વયમેવ જ્ઞાન પ્રકટ થાય છે અને તે જ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે. એમાં કહેવા સાંભળવાથી કાંઈ પત્તો ખાય તેવું નથી. આ ચેતનજી સંબંધી જ્ઞાન પણ અનુભવગોચર છે તેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેના શા સમજવા, વિચારવા અને પરસ્પર ઘટાવવા એ જ તેના જ્ઞાનના તેને પ્રાપ્ત કરવાને પરમ ઉપાય છે. એની અમે થાડી ઘેાડી નિશાની બતાવશુ તેથી તમને કાંઇ વિશેષ ખાધ થશે નહિ; માટે જો તમારે પૂરેપૂરું તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તા એનું સ અશગ્રાહી પ્રમાણુજ્ઞાન પ્રાપ્ત કરી અને એમ કરતાં કરતાં જ્યારે તમને સ્વયમેવ અનુભવ જાગશે ત્યારે તમે તેને પૂરા સમજશે.
છતાં તમારે ચેતનની નિશાની જાણુવી જ હેાય તે હું તમને કહું છું તે સાંભળે, તે આનંદઘન મહાત્મા છે, સવ આનંદના રાશિ છે-સમૂહ છે. આનંદનું સ્વરૂપ પણ તમારે સમજવા ચેાગ્ય છે. જેને તમે આનદ સમજો છે તેમાં કાંઈ આનંદ છે જ નહિ. દ્રવ્યપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ, સ્વાદિષ્ટ ભાજન કે ઇંદ્રિયાના અન્ય વિકાશનું સેવન, એમાં ભાગવતી વખત પણુ કાઈ પ્રકારને આનદ નથી, ભાગવ્યા પછી પણ આનંદ નથી અને એના પરિણામમાં પણ આનંદ નથી. એ તા જેમ ખસ (ખુજલી) થઇ હાય અને તેને ખણવાથી આનંદ માનવામાં આવે છે તેના જેવું ઇંદ્રિયજન્ય સુખ છે, તત્ત્વતઃ એમાં કોઈ પ્રકારના આનંદ નથી. એને બદલે તમે એક પુસ્તક વાંચતા હશેા કે ગણિતનું મનાયત્ન સાધ્ય કરતા હશેા તે વખતે કોઇ નવીન સત્ય સમજાતાં તમારા મનમાં જે આનંદ આવશે તે
Jain Education International
+ યહ અથવા ઇહુ અને પાટા છે. અથ એક જ છે.
પ ગૌચર=તાખે. હુ અથવા ય=એ. કહન=કહેવાનું. સુનન=સાંભળવાનું. કહ્યુ=કાંઇ.
For Private & Personal Use Only
www.jainelibrary.org