SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું પદ વચન સુધી નયજ્ઞાન હાઈ સ` નયની અપેક્ષા ધ્યાનમાં રહેતી નથી અને તેથી પર લક્ષ્ય જતું નથી ત્યાં સુધી કદિ પણ ચાખું સત્ય પ્રાપ્ત થતું નથી. તદ્ન સત્ય નથી એમ કહેવાના આશય નથી પણ તે સત્યના અંશ છે અને અંશ ઉપર મક્કમ રહી અન્ય સત્યાંશાને જો ધકેલી દેવામાં આવે તે પછી તે અપ્રમાણ થઈ જાય છે. જૈનશાસ્ત્રકારે તેટલા માટે આ નયજ્ઞાન અને પ્રમાણજ્ઞાન ઉપર બહુ લક્ષ્ય આપ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજ તેટલા માટે આ પદમાં કહે છે કે–સવ નયના સ્વામી ચૈતન તે પ્રમાણનયને જ માન્ય કરે છે, જ્યારે અંશગ્રાહી નયજ્ઞાનવાળા લડાઈનાં સ્થાનકા ઉપજાવે છે. આ નયજ્ઞાનનું સ્વરૂપ અરામર સમજી તેના પ્રચાર કરવામાં આવે તે અનેક ધાર્મિક ઝગડા અને લડાઇઓના છેડા આવી જાય. વિશાળ શાસ્ત્રજ્ઞાનવાળા અંશગ્રાહી જ્ઞાનવાળાની સ્ખલના કયાં અને કેવી રીતે થાય છે તે સમજીને બતાવી શકે છે. આ નય અને પ્રમાણજ્ઞાન જૈનશાસ્ત્રનુ મજબૂત તત્ત્વ છે અને જૈનશાસ્ત્રના જ્ઞાનની જે વિશાળતા અને વિસ્તૃતતા તેમાં સમાયલી છે તે અન્યત્ર પ્રાપ્ત થવી અશક્ય છે એ ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે. હાથીની સુંઢને લઇ એક અંધ તેને મુશળ જેવા કહે છે, પૂંછડું હાથમાં લઈને બીજો અંધ તેને વાંસ જેવા કહે છે, પગ હાથમાં લઈને ત્રીજો થાંભલા જેવા કહે છે, કાન હાથમાં લઈને ચેાથા સુપડા જેવા કહે છે, આવી રીતે નયજ્ઞાનમાં અધાઅધ પરપરા ચાલે છે અને એ કારણથી જ દુનિયામાં મારામારી ચાલે છે. ઘણાખરા પેાતાની વિચારણાને પકડી રાખીને અન્યના હેતુ અને પરિણામા તપાસવાની દરકાર જ કરતા નથી. જો પ્રમાણુજ્ઞાન બરાબર સમજવા યત્ન થાય તે। આ સ્થિતિના છેડા આવે અને લડાઇનાં સ્થાનકે અશજ્ઞાનથી ઉત્પન્ન થાય છે તે દૂર થાય. આ પ્રમાણજ્ઞાનથી ચેતનનું સ્વરૂપ વિચારીએ તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. એ ચૈતન્ય સ્વરૂપ પરિણામી છે, ભવનધર્માંથી ઉત્પાદ-વ્યયપણે પરિણમે છે તેથી તે પિરણામી છે, તેમ જ કર્યાં અને ભાક્તા પશુ તે જ છે. કર્તા હાય તે જ ભાક્તા હેાય કારણ કે કરનાર પાતે ભાગવનાર ન હેાય તે સુખમય તેને કઢિ કહી શકાય નહિ. સંસારીપણામાં તે સ્વદેહપ્રમાણુ છે અને પ્રત્યેક શરીરે ભિન્ન જીવ છે. એ જીવ પાંચ કારણની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રને સાધવાથી સંપૂર્ણ અવિનાશી, નિષ્કલંક, અસહાય, અપ્રયાસ, સ્વગુણુ, નિરાવરણ, સ્વકાર્યપ્રવૃત્ત, અક્ષર, અવ્યાબાધ સુખમય સિદ્ધતા નીપજાવે છે. આ પ્રમાણે આત્મા સંબંધી પ્રમાણુજ્ઞાન શ્રીનયચક્રસાર ગ્રંથમાં શ્રી દેવચંદ્રજીએ બતાવ્યુ છે.* એના વધારે વિસ્તાર અનેક ગ્રંથામાં છે જ્યાંથી તે વાંચી વિચારી જોવે. એ વિષય સૂક્ષ્મ દૃષ્ટિએ મત-કદાગ્રહ મૂકીને સમજવા યાગ્ય છે અને તે જ તે સમજી શકાય તેમ છે. * જીએ પ્રકરણરત્નાકર ભાગ પહેલા, પૃષ્ઠ ૨૪૯. Jain Education International ૬૧ પ્રમાણુજ્ઞાન નયજ્ઞાનમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy