________________
૨૬૦
શ્રી આન ઘનજીનાં પદા
રીતે સમભઢનયવાળા દરેક શબ્દને તેના જૂદા જૂદા અર્થમાં જ માને છે તેથી આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દને પણ જૂદા જૂદા પર્યાયવાચી સમજી તેના પૃથક્ પૃથક્ અર્થ કરે છે. એવ’ભૂતનયવાળા જે સમયે જે ક્રિયા ચાલતી હેાય તે સમયે તે ક્રિયાથી તે ક્રિયાયુક્ત માને છે, ક્રિયાને તેના કરનાર સાથે જોડી દે છે અને તેથી ચંડાળનું કામ કરનાર આત્માને તે ચંડાળ કહી ખેલાવે છે અને સાધુની ક્રિયા કરનારને સાધુ માને છે. ઋસૂત્રનયવાળા વમાન ગુણુ જુએ છે ત્યારે એવભૂતનયવાળા વર્તમાન ક્રિયા જુએ છે. નવપવૃત્તિમાં સામાયિકના વેષે એડેલાને સામાયિકવાળા કહેલા છે; ગૃહસ્થના વેષમાં સાધુ જેવું વર્તન રાખનાર પણ ગૃહસ્થનાં કાર્યોં કરનારને ઋજુસૂત્રનયવાળા સાધુ કહે છે ત્યારે એવ ભૂતનયવાળા ગૃહસ્થ કહે છે.
આગમસાર ગ્રંથમાં મુનિ દેવચંદ્રજીએ ‘સિદ્ધ' શબ્દની સાતે નયે વ્યાખ્યા કરી છે તે વિચારવા ચેાગ્ય છે. તેઓશ્રી લખે છે કે-“ નૈગમનયને મતે સર્વ જીવ સિદ્ધ છે, કેમકે સર્વ જીવના આઠ રુચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્માંળ છે. સગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે. આ નયવાળાએ પર્યાયાકિનચે કરીને જે કર્મ સહિત અવસ્થા હતી તે ટાળીને દ્રવ્યાથિકનચે કરીને તેની અવસ્થા અંગીકાર કરી. વ્યવહારનયવાળા કહે છે કે જે વિદ્યાલબ્ધિગુણવડે સિદ્ધ થયા તે સિદ્ધ, આ નયવાળાએ બાહ્યતપ પ્રમુખ અંગીકાર કર્યાં. ઋનુસૂત્રનયની અપેક્ષાએ જે પેાતાના આત્માની સિદ્ધપણાની દશા ઓળખે છે અને જેના જ્ઞાનના ઉપચેગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવા. આ નયની અપેક્ષાએ સમકિતી જીવને સિદ્ધ સમાન કહ્યો, શબ્દનયના મત પ્રમાણે જે શુદ્ધ શુક્લધ્યાનના પરિણામે વતા હાય તેને સિદ્ધ કહેવાય છે. સમભિત નયના મત પ્રમાણે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્રાદિ ગુણે સહિત હાય તેને સિદ્ધ કહી શકાય. આ નયના મત પ્રમાણે તેરમા અને ચૌદમા ગુણુસ્થાનકે વર્તતા જીવ સિદ્ધ કહી શકાય. એવભૂતનયના કહેવા પ્રમાણે જેનાં સકલ કમ ક્ષય થઈ લેાકાંતે વિરાજમાન હાઇ અષ્ટ ગુણુસ ́પન્ન હાય તેને જ સિદ્ધ કહી શકાય.
""
આવી રીતે આત્મા તેા સર્વાંગી છે, તે પોતે સ નયના સ્વામી છે, સવ નય તેમાંથી ઉત્પન્ન થાય છે, સ નયનું સ્વરૂપ તે સમજાવે છે અને તે સર્વ નયે વિદ્યમાન છે પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નયે તેને જોઇએ અને દરેક દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીએ તેા જ તેનું ખરૂં સ્વરૂપ સમજવાનું બની શકે તેમ છે.
આ દુનિયામાં જેટલી ધર્મની લડાઈ છે તેટલી નયવાદને લઈને થાય છે. દરેક ધર્મવાળા એક સાઘ્યબિંદું લક્ષ્યમાં રાખી તે દૃષ્ટિબિંદુથી આત્માને જોયા કરે છે અને તે મત સ્થાપન કરે છે. કમનશીબે તે વખતે અન્ય દૃષ્ટિબિ ંદુથી તેને જોવાનું કહેવામાં આવે છે તે તેના ધ્યાનમાં આવતું નથી અને પરિણામે વાદવિવાદનું કારણ પ્રાપ્ત થાય છે. જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org